MONEY9 GUJARATI: ફ્લાઈટ કેન્સલેશન (Flight cancellation) હોય કે હોટેલ બુકિંગ કેન્સલેશન (Hotel Booking Cancellation), રેલ્વે, મૂવી ટીકીટ કે અન્ય કંઈપણ હોય, મોટાભાગના લોકો કેન્સલેશન પૉલિસી (Cancellation Policy) વિશે વાંચવું જરૂરી નથી માનતા. તેઓ ઉતાવળમાં હજારો રૂપિયાની ટિકિટ ખરીદી લે છે, પરંતુ એ નથી જાણતા કે કેન્સલ થવાના કિસ્સામાં રિફંડનું શું થશે? કેટલું રિફંડ (Refund) મળશે? મળશે કે નહીં? તેથી, કોઈપણ સાઇટ પરથી ટિકિટ બુક કરતા પહેલા, તેની કેન્સલેશન પૉલિસી અને તેનાથી સંબંધિત નિયમો વાંચવા ખૂબ જ જરૂરી છે. સમજી લો કે અલગ-અલગ બુકિંગ/રિઝર્વેશન સાઇટ્સ (Booking/Reservation Sites)ની અલગ-અલગ પૉલિસી હોઈ શકે છે… કેન્સલેશનના કિસ્સામાં તમને રિફંડ કેવી રીતે મળશે? આનાથી સંબંધિત તમારા અધિકારો શું છે… આમાં ઈન્સ્યોરન્સ પૉલિસી (Insurance policy) કેવી રીતે મદદ કરી શકે છે આ બધું જાણવાની આપણે તસ્દી નથી લેતા, જ્યારે આપણા માટે આ જાણવું ફરજિયાત હોવું જોઈએ.
તમે જાણો છો કે કેન્સલેશનની સ્થિતિમાં કેટલું આર્થિક નુકસાન થઈ શકે છે. હવે આ નુકસાનથી કેવી રીતે બચવું, શું કોઈ ઉપાય છે? કારણ કે એવું નથી કે જો તમારી ટિકિટ કે બુકિંગ કેન્સલ થઈ જશે તો તમારા પૈસા ખોવાઈ જશે, હકીકતમાં તમે તમારા પૈસાની રક્ષા કરી શકો છો. પછી તે મૂવી ટિકિટ હોય, હોટલ હોય કે ફ્લાઈટ હોય. દરેક બુકિંગ સાઇટમાં તમને કેન્સલેશનથી બચાવવા માટે વ્યવસ્થા પણ હોય છે. હા, આ માટે સામાન્ય કરતાં થોડા વધુ પૈસા ચૂકવવા પડશે. તો ચાલો સમજીએ કે આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે…
આજકાલ, ઑનલાઈન ટ્રાવેલ સાઇટ્સ પરથી ટિકિટ બુક કરાવવી એ ફાયદાનો સોદો છે. જ્યારે પણ તમે ઑનલાઈન ટ્રાવેલ સાઇટ પરથી ટિકિટ બુક કરો છો, ત્યારે ઝીરો કેન્સલેશન ઑપ્શન એડ કરી લો.. આ માટે તમારે ઓછામાં ઓછા 500થી 600 રૂપિયા ચૂકવવા પડશે. પરંતુ ટિકિટ કેન્સલેશન પર તમને 100% રિફંડ મળશે. તેવી જ રીતે, હોટલ બુક કરતી વખતે, ટ્રિપ સિક્યોર ઇન્સ્યોરન્સ એડ કરી લો. આ ઈન્સ્યોરન્સ માત્ર 50-100 રૂપિયામાં એડ કરી શકાશે.. હવે જો તમે બીમારી કે અન્ય કોઈ ઈમરજન્સીના કારણે તમારું બુકિંગ રદ કરશો તો તમારું નુકસાન ભરપાઈ કરવામાં આવશે.
બસ અને ટ્રેનની ટિકિટના કિસ્સામાં, તમે જેટલી વહેલી ટિકિટ કેન્સલ કરશો, તેટલી વધારે રકમ રિફંડ તરીકે મળશે. ટ્રેનના કિસ્સામાં, જો તમે 48 કલાક પહેલાં કેન્સલ કરો છો, તો તમારે નજીવો કેન્સલેશન ચાર્જ ચૂકવવો પડશે… એટલે કે, તમને ટિકિટની લગભગ સંપૂર્ણ રકમ પાછી મળશે. પરંતુ જો કેન્સલેશન 12 કલાક પહેલા કરવામાં આવે તો ટિકિટના 75 ટકા રિફંડ આપવામાં આવશે. જો ટિકિટ 12 કલાકથી ઓછા સમયમાં અને ચાર કલાક પહેલા રદ કરવામાં આવે તો માત્ર 50% રિફંડ આપવામાં આવશે. બસના કિસ્સામાં પણ, તમે જેટલી વહેલી ટિકિટ કેન્સલ કરશો, તેટલું વધુ રિફંડ તમને મળશે. મોટા ભાગના કિસ્સાઓમાં, જો મુસાફરીની તારીખે ટિકિટ રદ કરવામાં આવે તો કોઈ રિફંડ આપવામાં આવતું નથી. તેથી, હવે આપણે સમજી ગયા છીએ કે જો મુસાફરીની તારીખે ટિકિટ અથવા બુકિંગ રદ કરવામાં આવે તો રિફંડનું શું થશે. હવે આપણે વિપરીત પરિસ્થિતિ વિશે વાત કરીએ. .. એટલે કે, જો એરલાઇન, બસ કે ટ્રેન… ઑપરેટરના અંતે કેન્સલેશન થાય તો શું? આવી સ્થિતિમાં, તમે ન માત્ર સંપૂર્ણ રિફંડ મેળવવા માટે જ હકદાર બનો છો પરંતુ ઘણા કિસ્સાઓમાં તમને એક્સ્ટ્રા કૉમ્પન્સેશન પણ મળી શકે છે.
એવિએશન મિનિસ્ટ્રીના એર પેસેન્જર ચાર્ટર મુજબ, ફ્લાઇટ કેન્સલ થવાના કિસ્સામાં, પેસેન્જર બીજી ફ્લાઇટનો વિકલ્પ, ટિકિટનું રિફંડ અથવા વળતર મેળવી શકે છે. એરલાઇન્સે ઓરિજીનલ ડિપાર્ચરના 2 કલાકની અંદર પેસેન્જરને અલ્ટરનેટિવ ફ્લાઇટ અથવા સંપૂર્ણ રિફંડ આપવાનું રહેશે. તેવી જ રીતે, જો બસ રદ થાય અને તમને સમયસર રિફંડ ન મળે, જો બસ ઓપરેટર તમને સંપૂર્ણ રિફંડ આપવામાં આનાકાની કરે તો તમે કન્ઝ્યૂમર ફોરમમાં ફરિયાદ કરી શકો છો. તમને માત્ર રિફંડ જ નહીં પરંતુ કૉમ્પન્સેશન પણ મળશે.
એક અન્ય ઉપાય છે જેના દ્વારા તમે કેન્સલેશનની સ્થિતિમાં નુકસાન ટાળી શકો છો. આ ઉપાયનું નામ છે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ.. એક્સપર્ટ્સ કહે છે કે ટ્રાવેલ ઈન્સ્યોરન્સને તમારા ટ્રાવેલ પ્લાનિંગનો આવશ્યક ભાગ બનાવવો જોઈએ. ફ્લાઈટ કેન્સલેશન હોય, બસ કેન્સલેશન હોય કે બીજું કંઈ પણ, આ તમામ કેન્સલેશન ઈન્સ્યોરન્સમાં આવરી લેવામાં આવે છે. આ તમને કૉમ્પન્સેશન આપે છે અને તમે નાણાકીય નુકસાનની ચિંતા કર્યા વિના ટ્રાવેલ પ્લાન કરી શકો છો.
માટે જ કેન્સલેશનના ચક્કરમાં તમારી ટિકિટ અથવા ભાડાના સંપૂર્ણ પૈસા ગુમાવશો નહીં. અમે જે ઉપાયો બતાવ્યા છે તેનો ઉપયોગ કરો..સૌ પ્રથમ, સંપૂર્ણ રિફંડ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરો, જો સંપૂર્ણ રિફંડ શક્ય ન હોય તો આંશિક રિફંડ માટે પ્રયત્ન કરો. કેન્સલેશન સાથે સંબંધિત નિયમો અને શરતોને સારી રીતે સમજો. આ રીતે તમારી મહેનતની કમાણી વ્યર્થ નહીં જાય. તમારા અધિકારોને સારી રીતે જાણો, સજાગ રહો અને પૈસા ગુમાવવાથી બચો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો