સુરતની બીના પરમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું. ડિસ્ટ્રિબ્યુટરનો આ ત્રીજો કૉલ હતો,.. તેને ન્યૂ ફંડ ઑફર એટલે કે એનએફઓ (NFO)માં રોકાણ કરવાની સલાહ આપવામાં આવી રહી હતી. સુનિતાએ અગાઉ બે વાર કૉલ નકારી કાઢ્યા હતા. પરંતુ આ વખતે, ડિસ્ટ્રીબ્યુટરે દાવો કર્યો કે જો સુનિતા રોકાણ નહીં કરે, તો તે બેસ્ટ રિટર્ન ગુમાવશે.
સુનીતાએ આખરે NFO માં રોકાણ કર્યું. જોકે, થોડા મહિના પછી, તેને સમજાયું કે આ રોકાણમાં તેને ઘણું મોટું નુકસાન થયું છે. કારણ કે આ પ્લાન એક સેક્ટોરરલ મ્યુચ્યુઅલ ફંડ હતો. તેમાં ઘણું જોખમ રહેલું હોય છે, જ્યારે સુનિતા તો એવી રોકાણકાર છે જે જોખમથી દૂર જ રહેવાનું પસંદ કરે છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીની કડકાઈ છતાં, મ્યુચ્યુઅલ ફંડ્સમાં મિસસેલિંગ હજુ પણ બેકાબૂ છે. આ રમતમાં, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ, ફાઇનાન્સિયલ એડવાઇઝર્સ સલાહકારો અને કેટલાક કિસ્સાઓમાં, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પણ સામેલ છે. આના કારણે સુનિતા જેવા ઘણા રોકાણકારોને નુકસાન સહન કરવું પડે છે.
મૂડીરોકાણની દુનિયામાં મિસસેલિંગ, છેતરપિંડી અને કૌભાંડો જેવા કિસ્સાઓ કંઈ નવી વાત નથી. આવા કિસ્સા લાંબા સમયથી જોવા મળી રહ્યા છે. જો કે, સમય સાથે ટેક્નોલોજીના વધતા ઉપયોગ સાથે, મોડસ ઓપેન્ડી બદલાઈ રહી છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં તમે કેવી રીતે છેતરાઈ શકો છો? ચાલો જોઇએ.
કેટલાક બ્રોકર્સ તમને સારા વળતર માટે એક ફંડ સ્કીમમાંથી બીજી સ્કીમમાં સ્વિચ કરવાની સલાહ આપે છે. આ પ્રક્રિયા દરમિયાન, તેઓ એ વાત જાહેર કરતા નથી કે તમારે બ્રોકરેજ ચાર્જ પણ આપવો પડશે. ઘણી વખત, તેઓ તમારા પોર્ટલમાં લૉગ ઇન કરીને તમારા વતી જાતે જ સ્કીમ સ્વિચ કરી લે છે. . રોકાણકારને લાગે છે કે બ્રોકરે તેના સારા માટે આ કામ કર્યું હશે.
જો તમે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર છો, તો તમારા રોકાણની નિયમિતપણે સમીક્ષા કરો. સમયાંતરે તમારું એકાઉન્ટ સ્ટેટમેન્ટ તપાસો. જો કોઈએ તમને સ્કીમ બદલવાની સલાહ આપી હોય તો. તે માટેનું કારણ પૂછો. તેમ કરવામાં કેટલી ફી અને ટેક્સ લાગશે તે સમજો. ઘણી વખત, બ્રોકર્સ અથવા અન્ય ઇન્ટરમિડિયરીઝ, મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોના ફોર્મમાં તેમના પોતાના ઇમેઇલ અથવા મોબાઇલ નંબરને નાંખી દે છે. સાવધાન તેઓ ફંડ ઉપાડની બેંક વિગતો પણ બદલી શકે છે.
આ બધાથી બચવા માટે, તમારું રોકાણ ફોર્મ જાતે ભરો. જો કોઈ બ્રોકરે ફોર્મ ભર્યું હોય, તો તેના પર સહી કરતા પહેલા તેને ધ્યાનથી વાંચો. છેતરપિંડીથી બચવા માટે, PAN, આધાર, બેંક એકાઉન્ટ અને પોર્ટફોલિયોની વિગતો ફક્ત અધિકૃત લોકોને જ આપો. તમારું લોગિન આઈડી, પાસવર્ડ અને OTP કોઈની સાથે શેર ના કરો.
બીના પરમારની જેમ, તમને પણ ડિસ્ટ્રિબ્યુટર તરફથી કૉલ આવી શકે છે. તમને કહેવામાં આવશે કે તમને તેમાંથી બેસ્ટ રિટર્ન મળશે.
મનીફ્રન્ટના સહ-સ્થાપક મોહિત ગંગ કહે છે. કે ડિસ્ટ્રીબ્યુટર ચેનલમાં NFO વેચાણ વધારવાની વર્તમાન પરંપરા યોગ્ય નથી. તેમાં સુધારાની જરૂર છે. રોકાણકારોને જાણ કરવી જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડની દરેક નવી થીમ માટે અરજી કરવી તેમના પોર્ટફોલિયોના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.
જો કોઈ ડિસ્ટ્રિબ્યુટર તમારા પોર્ટફોલિયોમાં સતત ફેરફારો કરે છે. 1-2 વર્ષના નબળા પ્રદર્શન પછી, તે તમને એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં જવાની સલાહ આપે છે. જો તે નવી ફંડ ઑફર્સ સાથેની સ્કીમમાં વધુ વ્યાજ આપવાની ગેરન્ટી આપે છે. તો રોકાણકારોએ સાવધાન થઇ જજો. આ ઉપરાંત, ખાતરી કરો કે ટૂંકા ગાળામાં કોઈપણ સ્કીમના પર્ફોર્મન્સનું મૂલ્યાંકન ન કરો. કોઈના દબાણમાં આવીને પોર્ટફોલિયોમાં ફેરફાર કરશો નહીં.
હવે પ્રશ્ન એ છે કે AMC અને ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા આપવામાં આવતા ખોટા વચનોથી કેવી રીતે બચવું?
સારી રીતે સમજો કે મ્યુચ્યુઅલ ફંડમાં નિશ્ચિત વળતરની કોઈ ગેરંટી નથી.
રોકાણ કરતા પહેલા, સ્કીમ સંબંધિત તમામ ઑફર દસ્તાવેજો વિગતવાર વાંચો. યોજના સાથે સંકળાયેલા કેટલાક જોખમો પણ હોઈ શકે છે.
AMC, ડિસ્ટ્રિબ્યુટર અને નાણાકીય સલાહકાર પાસેથી પૂછપરછ કરો.
સ્કીમને વિગતવાર સમજો. સ્કીમના પૈસા ક્યાં રોકાણ કરવામાં આવશે? શું જોખમો છે? વગેરે..
જો કોઈ AMC અથવા ડિસ્ટ્રિબ્યુટર ગેરંટીવાળા વળતરનું વચન આપે છે, તો પછી તમે છેતરાઈ રહ્યા છો.
જો તમને જૂઠું બોલીને મ્યુચ્યુઅલ ફંડ વેચવામાં આવે છે. તો સાવધાન.
તમે SEBIના ‘SCORES’ પ્લેટફોર્મ પર AMC અને ડિસ્ટ્રિબ્યુટર સામે ફરિયાદ નોંધાવી શકો છો. SEBI, SCORES પર ઑનલાઇન ફરિયાદોનું નિરાકરણ કરે છે.
આ અંગે સેબી અથવા ઉદ્યોગ સંગઠન એમ્ફીને પણ ફરિયાદ કરી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો