લગભગ એક વર્ષની નોકરી બાદ શ્રેયા બિજલાણી પાસે રોકાણ કરવા લાયક રુપિયાની બચત તો થઇ જ જાય છે. મ્યુચ્યુઅલ ફંડ વિશે થોડુક સાંભળીને, થોડુંક વાંચીને તે એટલું તો જાણી જ ગઇ કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે સિપ જેવી પણ કોઇ ચીજ હોય છે, જેમાં દર મહિને પૈસા ભરવાના હોય છે. શ્રેયા સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડની બારીકીઓ તો નથી જાણતી પરંતુ દોસ્તોના સિપ પર રિટર્ન જોઇને તેને ખાતરી થઇ ગઇ છે કે જો સિપ કરવામાં આવે તો બચત અને રિટર્ન બન્ને વધે છે. પરંતુ સિપ કરવા જતાં તેમને એક મુંઝવણ છે કે બધા મ્યુચ્યુઅલ ફંડ એક સમાન રિટર્ન કેમ નથી આપતા.
બધા એક જ શેરબજારમાં પૈસા લગાવે છે અને બધા માટે કામકાજના નિયમો પણ એક સરખા જ છે. પરંતુ એવું કેમ થાય છે કે એક, ત્રણ અને પાંચ વર્ષમાં લાર્જ કેપ અને મિડ કેપ ફંડના રિટર્નમાં આટલો ફરક હોય છે. લાર્જ એટલે મોટા શેરોમાં અને મિડ કેપ એટલે મધ્યમ શેરોમાં રોકાણ.
મ્યુચ્યુઅલ ફંડ પર રિટર્ન એટલે કે રોકાણ પર નફો ઘણાં કારણોથી નક્કી થાય છે. જેમ કે, કયું ફંડ કયો સ્ટોક પસંદ કરે છે, ક્યાં સુધી રાખે છે અને સૌથી ઉપર તેના ફંડ મેનેજરની કુશળતા કેટલી છે.
ફિસડમના કો.ફાઉન્ડર આનંદ દાલમિયા કહે છે કે એક જ શ્રેણીના મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ ફંડ મેનેજર પોતપોતાની રોકાણ ફોર્મૂલા લગાવે છે. એટલે કે એક સ્ટોક કે શેર પર અલગ અલગ ફંડવાળાનો અલગ અલગ દ્રષ્ટિકોણ. એટલા માટે તેમના રિટર્નમાં પણ ફરક હોય છે.
ત્રણ કારણોથી બીજા મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન તમારા કરતાં સારુ હોઇ શકે છે.
પહેલું કારણ
ફંડ મેનેજરથી પણ ભૂલો થઇ શકે છે. તેમના નિર્ણયનો આધાર ઘણાં આર્થિક, બુનિયાદી અને ટેકનિકલ કારણ હોઇ શકે છે. તેમની પસંદગી ખોટી ઠરે છે અને તેમના રોકાણકાર રિટર્નમાં પાછળ રહી જાય છે.
બીજું કારણ
પોર્ટફોલિયો મેનેજર એટલે કે ફંડ મેનેજર રિટર્નની સાથે જોખમ પણ સંતુલિત કરે છે. તેમાં ઘણીવાર પોર્ટફોલિયોના બધા શેર એક સરખું રિટર્ન નથી આપતા. જેના કારણે આખા ફંડમાંથી થતો ફાયદો અન્ય હરીફ ફંડ કરતાં ઓછો થાય છે. જોખમનું પ્રબંધન એક મોટુ કારણ છે જેના કારણે એક ફંડમાં કેટલાક સ્ટોક નબળા, તો કેટલાક સારા હોય છે, એટલે રિટર્ન એક જેવું નથી હોતું.
ત્રીજું કારણ
તમારુ ફંડ બીજા કરતાં એટલે પણ નબળું હોઇ શકે છે, કારણ કે ફંડ મેનેજર પર વધારે પૈસા ખર્ચ થઇ રહ્યા છે. એટલેકે તમે જ્યારે ફંડ વેચી રહ્યા છો તો તેમાંથી બહાર નીકળવાની એટલે કે મેનેજમેન્ટ ફી વધારે વસૂલવામાં આવી રહી છે. જેને ફંડવાળા એક્ઝિટ લોડ કહેયા હોય છે. એક ફંડ મેનેજર હંમેશા કોશિશ કરતો હોય છે કે જોખમ સિમિત રાખીને વધારે નફો આપવામાં આવે. કોઇ નથી ઇચ્છતું કે રોકાણકારોને નુકસાન થાય. પરંતુ ઘણાં કારણોસર ફંડના પ્રદર્શન અલગ અલગ હોઇ શકે છે.
ક્યારેક સમય ફંડ મેનેજરને મુશ્કેલમાં નાંખી દે છે. તમે ફ્રેન્કલિન ટેમ્પલ્ટનના ખરાબ સમયની વાત તો સાંભળી જ હશે. 2020ના એપ્રિલમાં આ ફંડના ટ્રસ્ટીએ તેના છ યીલ્ડ ઓરિએન્ટેડ મેનેજ્ડ ક્રેડિટ સ્કીમો બંધ કરી દીધી હતી. કોવિડના લોકડાઉન પછી ઘણી કંપનીઓને રોકડની મુશ્કેલી ઉભી થઇ હતી. આ ફંડમા તેમના રુપિયા લાગ્યા હતા. ઉપાડ વધવા લાગ્યો. અને એટલા લોકો રુપિયા ઉપાડવા લાગ્યા કે ફ્રેન્કલિનના ફંડ જ બેસી ગયા.
મની9ની સલાહ
મની9ની સલાહ છે કે તમે તમારા રોકાણ લક્ષ્યને માપદંડ બનાવીને ફંડ પસંદ કરો. એટલે કે તમે ક્યાં સુધી કેટલું રોકાણ કરવા માંગો છો. જેમ કે ડેટ ફંડમાં લાંબા ગાળા સુધી રોકાણ કરી શકાય છે પરંતુ ઇક્વિટી કે ઇન્ડેક્સ ફંડ છે તો ફંડ મેનેજરની ભૂલથી પરિણામ બગડી શકે છે.
બીજી વાત એ કે જે મ્યૂચ્યુઅલ ફંડ તમને આપવામાં આવી રહ્યું છે તેની રોકાણ રણનીતિ પર થોડીક જાણકારી મેળવી લો. ઓછામાં ઓછું તેનો પોર્ટફોલિયો જોઇ લો. તેના જેવા બીજા ફંડ બજારમાં પાસ થયા છે કે ફેલ, એટલું જાણવું તો જરુરી બની જાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો