Money: રિયલ એસ્ટેટ નિયામક RERA જો રદ્દ કરી દે પ્રોજેક્ટ તો ઘર ખરીદનાર પાસે શું છે રસ્તા?
સામાન્ય માણસ જીવનભરની કમાણી ઘર ખરીદવામાં લગાવી દે છે. ઘણીવાર બિલ્ડરોના કારનામાથી તમારા ડ્રીમ હોમનું સપનું ફક્ત સપનું બનીને જ રહી જાય છે. રાઘવેન્દ્ર સિંહે ગાઝિયાબાદમાં એક ફ્લેટ બુક કરાવ્યો. વર્ષ 2013માં ફ્લેટ આપવાનો વાયદો કરવામાં આવ્યો. ફ્લેટ માટે તેણે લોન લીધી. લોનના હપ્તા પૂરા થયા પરંતુ ફ્લેટ ન મળ્યો. હવે RERAએ પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન રદ્દ કરી દીધું. આવામાં ઘર ખરીદારો પાસે શું અધિકાર છે.
UP રેરા (RERA) એ હાલમાં ગાઝિયાબાદના 3 રહેણાંક પ્રોજેકટ્સનું રજિસ્ટ્રેશન રદ્દ કરી દીધું. તેમાં અંતરીક્ષ સંસ્કૃતિ ફેઝ-2, અંતરિક્ષ ફેઝ-3 અને રક્ષા વિજ્ઞાન સંસ્કૃતિ ફેઝ-2 સામેલ છે. નિર્માણમાં વિલંબ અને નિયમોને માનવામાં આડોડાઇ તેનું કારણ રહ્યું. આ પ્રોજેક્ટ્સ પર વર્ષ 2015માં નિર્માણ શરૂ થયું હતું, જેને વર્ષ 2023 સુધી પૂરા કરવાના હતા. હકીકતમાં, વર્ષ 1992માં 250 સભ્યોએ મળીને રક્ષા વિજ્ઞાન કર્મચારી સહકારી આવાસ સમિતિ બનાવી અને 12.50 એકર જમીન ખરીદી. પ્રોજેક્ટ તૈયાર કરવાની જવાબદારી અંતરિક્ષ રિયલટેકને આપી. તેમની વચ્ચે કરાર થયો કે 40 ટકા મકાન સમિતિના સભ્યોના બનશે અને 60 ટકા ફ્લેટ બિલ્ડર વેચશે.
રેરાની જવાબદારી
ઘણાં ખરીદારોએ નિર્માણમાં વિલંબ બદલ બિલ્ડરની સામે રેરામાં ફરિયાદ કરી. પઝેશન આપવામાં એટલું મોડું કર્યુ કે 3 પ્રોજેક્ટમાંથી એકમાં 40 ટકા, બીજામાં 30 ટકા જ કામ થઇ શકયું. રક્ષા વિજ્ઞાન સંસ્કૃતિ ફેઝ-2માં તો કોઇ કામ જ ન થયું. ઘણાં વર્ષોથી કામ બંધ પડ્યું છે. હવે પ્રોજેક્ટ રદ્દ કરીને રેરાએ કમિટી બનાવી છે જેની પર અટકેલું કામ પૂરા કરવાની જવાબદારી છે. રેરાના આ પગલાથી ખરીદારોને ઘર મળવાની આશા જાગી છે. તેમછતાં ઘર ખરીદારોની પાસે શું રસ્તા છે.
કાયદો શું કહે છે
સુપ્રીમ કોર્ટના વકીલ અનિલ કર્ણવાલ જણાવે છે કે પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન રદ્દ થવું મેક્સિમમ પેનલ્ટી છે. હવે અટકેલા પ્રોજેક્ટને પૂરા કરવાની જવાબદારી RERAની છે. RERA કમિટી રચીને આગળનું કામ કરાવશે. ઘર ખરીદાર ઇચ્છે તો પોતાનું ઘર લઇ શકે છે કે પછી રિફંડની પણ માંગ કરી શકે છે. રિફંડ માટે કન્ઝ્યુમર કોર્ટ કે સિવિલ કોર્ટના દરવાજા ખટખટાવી શકે છે.
કર્ણવાલ જણાવે છે કે ઘર ખરીદારોએ રજિસ્ટર્ડ એસોસિએશન બનાવવું જોઇએ જેથી તેમની સ્ટ્રેટેજી કોઇ એકની ન રહેતાં સામુહિક બની જાય. કોઇપણ કાયદાકીય ઉપાય કરવો હોય તો એસોસિએશન ઓફ એલોટી બનાવીને કરવો વધારે યોગ્ય છે. જો એસોસિએશનના સભ્ય સરકાર પાસેથી પ્રોજેક્ટને પૂરો કરવા ગ્રાન્ટની માંગ કરે તો ગ્રાન્ટ પણ આપી શકાય છે. કારણ કે RERA એક્ટની સેક્શન 73 અને 74 હેઠળ કેન્દ્ર કે રાજ્ય સરકાર RERA ઑથોરિટીને ગ્રાન્ટ કે લોન આપી શકે છે.
ગાઝિયાબાદના 3 પ્રોજેક્ટ રદ્દ કરતાં પહેલાં પણ RERA આ પ્રકારની કાર્યવાહી કરી ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર પ્રદેશ RERAની તપાસમાં 13 અધૂરા રહેણાંક પ્રોજેક્ટ્સનું કામ ચાલી રહ્યું છે. તેમાંથી એક પ્રોજેક્ટ લખનઉ અને 12 પ્રોજેક્ટ ગાઝિયાબાદ, નોઇડા અને ગ્રેટર નોઇડાનાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો