MONEY9: દિવસે દિવસે લોકોમાં શેરબજારમાં રોકાણ કરવા તરફ આકર્ષાઇ રહ્યા છે. શેરબજાર અંગેની ચર્ચા વખતે આપણે કેટલાક શબ્દો સાંભળવા મળે છે. જેમકે, ‘મિડ કેપ સ્ટોક્સ’, ‘લાર્જ કેપ સ્ટોક્સ’ વગેરે. તે જે લોકો શેરબજારમાં નવા છે અને શેરબજાર (STOCK MARKET)ની આંટીઘૂંટીઓ સમજવા આતુર છે તેમના માટે અમે અહીં સમજ આપી રહ્યા છીએ.
કંપનીઓને માર્કેટ કેપિટલના આધારે કેવી રીતે વિભાજિત કરવામાં આવે છે?
માર્કેટ કેપની રીતે શેર કે કંપનીઓને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. શેર બજારમાં 5000 કરોડ રૂપિયાથી વધુ પરંતુ 20 હજાર કરોડ રૂપિયાથી ઓછી માર્કેટ કેપ ધરાવતી કંપનીઓને મિડ કેપ કંપની કહેવામાં આવે છે. મેટ્રોપોલિસ હેલ્થકેર, કેસ્ટ્રોલ ઇન્ડિયા અને LIC હાઉસિંગ ફાઇનાન્સ શેર બજારમાં લિસ્ટેડ કેટલીક મિડકેપ કંપનીઓના ઉદાહરણ છે. આ જ રીતે શેર બજારમાં 5000 કરોડ રૂપિયાથી ઓછા માર્કેટ કેપવાળી કંપનીઓને સ્મોલકેપ અને 20,000 કરોડ રૂપિયાથી વધુના માર્કેટ કેપવાળી કંપનીઓને લાર્જ કેપ કેટેગરીમાં રાખવામાં આવે છે. બીજી તરફ, મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ક્રાઇટેરિયા થોડોક અલગ છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં માર્કેટ કેપની રીતે ટોપ 100 શેરોને લાર્જકેપ, 101 થી 250 એટલે કે 150 કંપનીઓને મિડકેપ અને બાકી કંપનીઓને સ્મોલ કેપ માનવામાં આવે છે.
જુઓ અન્ય રસપ્રદ સ્ટોરી: https://www.youtube.com/watch?v=N2Pwb4jNt9Y
લાર્જ કેપ એટલે દિગ્ગજ શેરોની તુલનામાં મિડ કેપ શેરોમાં રોકાણ કરવું જોખમથી ભરેલું હોઇ શકે છે. આવુ એટલા માટે કારણ કે મિડ કેપ શેરોમાં ઉતાર-ચઢાવ વધુ રહે છે. હકીકતમાં લાર્જકેપ કંપનીઓ સારી રીતે સ્થાપિત થયેલી હોય છે અને પોતાની ઇન્ડસ્ટ્રીમાં મોટો માર્કેટ શેર હોલ્ડ કરે છે. એટલે તે ઘણી સ્ટેબલ હોય છે. આ જ કારણ છે કે મંદી કે કોઇ મુશ્કેલ પરિસ્થિતિમાં તે પોતાને સારીરીતે સંભાળી શકે છે. સામાન્ય રીતે આ કંપનીઓ ઘણાં દશકથી કામકાજ કરી રહી હોય છે તેથી તેની રેપ્યુટેશન પણ સારી હોય છે. પરંતુ એક બીજા પાસા પર પણ ધ્યાન આપવું પડશે અને તે એ કે મિડકેપ કંપનીઓમાં પણ લાંબા ગાળામાં લાર્જકેપ બનવાની ક્ષમતા હોય છે. દિગ્ગજોની તુલનામાં મિડકેપ શેરોમાં ગ્રોથ પોટેન્શિયલ વધારે હોય છે. એટલે રોકાણકાર આવી કંપનીઓમાં પૈસા લગાવવા માટે વધુ આકર્ષિત થાય છે.
મિડકેપ શેર કયા ફેકટર્સને ધ્યાનમાં રાખીને પસંદ કરવા જોઇએ?
સારા ફંડામેન્ટલ્સ હોવા ઉપરાંત મિડકેપ શેરોની પસંદગીમાં કેટલીક અન્ય વાતો પણ ધ્યાનમાં રાખવી જોઇએ. સારા ફંડામેન્ટલ જોવાનો અર્થ છે કે પ્રમોટરનું હોલ્ડિંગ અને ગિરવે હિસ્સો, લોન અને કેશની સ્થિતિ, કંપની ગ્રોથવાળી કે સાયક્લિકલ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે, ઓપરેટિંગ માર્જિનનો ટ્રેન્ડ અને વેલ્યૂએશનની સ્થિતિ શું છે, આ બધી વસ્તુ ધ્યાનમાં લેવી જોઇએ.
તો સારા ફંડામેન્ટલ જોવા ઉપરાંત મિડકેપ શેરની પસંદગી દરમિયાન આ વાતો પર પણ ધ્યાન આપો. પહેલું, કંપનીની આવક ગ્રોથની સાથે-સાથે માર્જિન અને નફામાં પણ વૃદ્ધિ થઇ રહી હોય એટલે કે કારોબારમાં વધારાની સાથે સાથે ઓપરેટિંગ માર્જિન અને નફામાં વધારાનો ટ્રેન્ડ હોય. બીજું, લોનમાં ઘટાડો અને ફ્રી કેશ ફ્લોમાં વધારો થઇ રહ્યો હોય. ટેક્સ ચુકવણી બાદ વધેલા ઓપરેટિંગ નફામાંથી રોકાણ કે ક્ષમતા વિસ્તરણ ખર્ચને ઘટાડવા પર ફ્રી કેશ ફ્લો મળે છે. જો તમને ઇન્ડિવિઝ્યુઅલ સ્ટોક્સનું મૂલ્યાંકન કરવામાં મુશ્કેલી આવી રહી હોય અને કામ જટીલ લાગી રહ્યું હોય તો તમારે ETF કે મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા રોકાણ કરવું જોઇએ.
મિડ કેપ શેર કેવા પ્રકારના લોકો માટે યોગ્ય છે?
પહેલી મહત્વની વાત એ છે કે લાર્જકેપની તુલનામાં મિડ-કેપ શેરોમાં ગ્રોથની અપાર ક્ષમતા હોય છે. પરંતુ તેમાં ફક્ત એવા જ રોકાણકારોએ પૈસા લગાવવા જોઇએ જેનું રિસ્ક ટોલરન્સ મજબૂત હોય. એટલે કે જોખમ લેવાની ક્ષમતા ઘણી વધારે હોય. મિડ-કેપ શેરોની તુલનામાં સ્મોલ-કેપ શેરોમાં ગ્રોથની સંભાવના વધુ હોય છે, પરંતુ તેમાં જોખમ પણ મિડ-કેપ શેરની તુલનામાં વધારે હોય છે. તો ઉતાર-ચડાવને સહન કરી શકતા અને વધુ જોખમ લેવાની ક્ષમતા રાખનારા રોકાણકારોએ જ મિડકેપમાં રોકાણ કરવું જોઇએ.
જેટલું જોખમ વધુ તેટલું રિટર્ન વધુ
બીજુ મહત્વનું ફેક્ટર એ છે કે વધુ જોખમ લેવાથી જ બજારમાં સારુ રિટર્ન મળે છે. દિગ્ગજોના ઇન્ડેક્સ એટલે કે લાર્જકેપ શેરોના મિશ્રણથી બનેલા નિફ્ટી કે સેન્સેક્સ જેવા મોટા ઇન્ડેક્સની તુલનામાં મિડકેપ શેરોમાં વધુ રિટર્ન આપવાની ક્ષમતા હોય છે. મિડકેપ કંપનીઓની સૌથી ખાસ વાત હોય છે લાર્જકેપથી સારો ગ્રોથ અને સ્મોલકેપના મુકાબલે સારી નાણાકીય સ્થિતિ કે બેલેન્સ શીટ.
રોકાણ અવધી કેટલી રાખવી
મહત્વપૂર્ણ વાત એ છે કે તેમાં લોંગ ટર્મ માટે રોકાણ કરવું જોઇએ. મિડકેપ કંપનીઓ એવા સ્થાપિત કારોબાર ધરાવતી હોય છે જે ધીમી ગતિથી વધી રહેલા લાર્જ કેપ મલ્ટીનેશનલ્સ અને ઝડપી ગતિથી વધી રહેલા સ્મોલ કેપ બિઝનેસિસની વચ્ચે હોય છે. પરંતુ વધુ સ્થિરતા અને ધીમી ગ્રોથ વાળા લાર્જ કેપ શેરોની સરખામણીએ મિડકેપ શેરોમાં ઉતાર-ચડાવ વધારે થાય છે અને દિગ્ગજોને બિટ કરવા માટે રોકાણનું હોરાઇઝન એટલે કે અવધિ લાંબાગાળાની હોવી જોઇએ.
પોર્ટફોલિયો કેવી રીતે બનાવવો
જો તમારી પાસે જાતે રિસર્ચ કરવાનો સમય નથી અને તમે રોકાણ કરવા માટે કેટલાક સારા શેર જાણવા માંગો છો તો એક્સપર્ટની મદદ લઇ શકો છો. તો કુલ મળીને એમ કહી શકાય કે સારો પોર્ટફોલિયો બનાવવા માટે ડાયવર્સિફિકેશન હોવું ઘણું જરૂરી છે. એટલે પોર્ટફોલિયોમાં મિડકેપ શેરોનો અંદાજે 30 ટકા હિસ્સો જરૂર હોવો જોઇએ..કારણ કે તેમાં રિટર્ન સારુ મળે છે, પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે રોકાણની અવધિ લોંગ ટર્મ હોય અને જોખમ લેવાની ક્ષમતા વધુ હોવી જોઇએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો