શેરબજારમાં પહેલીવાર ઉતરેલો સૂરજ કેટલાક સારા શેરની શોધમાં હતો. એટલામાં તેના નાનપણના દોસ્ત મનોરંજનનો ફોન આવી ગયો. મનોરંજન ઘણા સમયથી શેરબજારમાં રોકાણ કરે છે. મનોરંજને સૂરજને સલાહ આપી કે ભાઇ કંઇ પણ વિચારીશ નહીં, આંખ મીચીને નિફ્ટીની કંપનીઓમાં રોકાણ કરી લે. બધી જ દિગ્ગજ એટલે કે લાર્જકેપ કંપની છે, કોઇ રિસ્ક પણ નહીં અને રિટર્ન પણ સારું મળશે.
સૂરજ ભલે પહેલી વખત રોકાણ કરી રહ્યો હોય પરંતુ કંપનીઓ વિશે માહિતી મેળવવામાં તે એક્કો છે. તેણે તરત જ મનોરંજનને ચોપડાવી દીધું કે નિફ્ટીની 50 કંપનીમાંથી 22 કંપનીતો 2023 અન્ડરપર્ફોર્મર રહી છે. એટલે કે ઇન્ડેક્સની તુલનાએ ઓછું રિટર્ન આપ્યું છે. આ સાંભળીને મનોરંજન ચોંકી ગયો…….. તો આવો જાણીએ કે એવી કઇ કંપનીઓ છે કે જે નિફ્ટીમાં હોવા છતાં ઇન્ડેક્સ કરતાં ઓછું રિટર્ન આપ્યું છે. આની પાછળ શું કારણ છે અને શું આ કંપનીઓની મદદથી પોર્ટફોલિયો તૈયાર કરી શકાય છે? ચાલો જાણીએ…
મનોરંજનને ત્યારે આશ્ચર્ય થયું કે જ્યારે તેને ખબર પડી કે અન્ડરપર્ફોર્મર 22 કંપનીઓમાં Adani Ent, Adani Ports, Reliance Industries, HUL, SBI, Asian Paints જેવી દિગ્ગજ કંપનીઓ શામેલ છે. એટલે કે દેશની સૌથી મોટી બેન્ક, સૌથી મોટી FMCG કંપની ઉપરાંત અદાણી-અંબાણી જેવા દેશના સૌથી ઢનાઢ્ય પરિવારની કંપનીઓ પણ આ યાદીમાં સામેલ છે. આ વર્ષે અત્યાર સુધીમાં નિફ્ટીના 9%ના રિટર્નની તુલનાએ આ કંપનીઓએ 8.2%થી લઇને 3.7% સુધીનું રિટર્ન આપ્યું છે.
આ તે કંપનીઓ છે જે લગભગ દરેક પેસિવ ફંડ કે ઇન્ડેક્સ ફંડ મેનેજરના પોર્ટફોલિયોમાં હશે. અને આ પહેલી વખત નથી કે જ્યારે કોઇ નવાણિયો શેરબજારમાં ઉતરે છે ત્યારે તેને આ નામચીન કંપનીઓમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે.
હવે સવાલ તે થાય છે કે આ કંપનીઓ ઇન્ડેક્સ કરતાં ઓછું પર્ફોર્મ કેમ કર્યું?
શેરબજાર નિષ્ણાત સંતોષ સિંઘ માને છે કે જાન્યુઆરી 2023થી પહેલાં બજાર અને મોટાભાગના શેરોએ સારું રિટર્ન આપ્યું છે. ત્યાર બાદ આ શેરોમાં time correction થઇ રહ્યું છે. એટલે કે નવી તેજીની શરૂઆત થવા માટે આ શેરોમાં સમય લાગશે. જેને કારણે તેઓ એક રેન્જમાં કારોબાર કરી રહ્યા છે.
કોઇ પણ શેરમાં રોકાણ કરતા પહેલાં તે કંપનીના આંકડા જોઇ લેવા જોઇએ. જેમકે PE એટલે કે પ્રાઇસ ટુ ઇક્વિટી, ROE એટલે કે રિટર્ન ઓન ઇક્વિટી, નફાની વૃદ્ધિ વગરે… પ્રાઇસ ટુ ઇક્વિટી આપણને કોઇ પણ કંપનીના વેલ્યૂએશન વિશે માહિતી આપે છે, ROEથી ખબર પડે છે કે કંપની નફો કમાવવામાં ઇક્વિટી ફંડિંગનો કેટલો અસરકારક રીતે ઉપયોગ કરી રહી છે. નફાની વૃદ્ધિ પરથી કંપનીની આર્થિક અને કારોબારની સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. એવું માનવામાં આવે છે કે, આ માપદંડ પર કંપની જો સારી છે તો તેને પોર્ટફોલિયોમાં સામેલ કરી શકાય છે.
હવે આ 22 કંપનીઓ પર ત્રણેય માપદંડ લાગુ કરીએ.. 40થી ઓછાનો PE, લગભગ 15 ટકા કે તેથી વધુ રિટર્ન ઓન ઇક્વિટી અને નફાની વૃદ્ધિની યાદીમાં માત્ર 9 કંપની બચશે જેમાં SBI, HDFC Bank, Infosys, Kotak Mah Bank, Wipro, Bajaj Finserv, ICICI Bank, Eicher Motors અને TCS સામેલ છે. આ આંકડાઓને ધ્યાનથી જોઇએ તો ખબર પડે છે કે Eicher Motors સિવાયની 8 કંપની banking financial services AND insurance અને IT સેક્ટરની છે.
હવે સવાલ તે છે કે શું આ 8 કે 9 કંપનીઓની મદદથી પોર્ટફોલિયો તૈયાર કરી શકાય છે?
તો સંતોષ સિંઘના મત મુજબ Eicher Motors, ICICI Bank, Kotak Bank, SBI, Britanniaમાં 1થી 1.5 વર્ષના ટાર્ગેટથી રોકાણ કરી શકાય છે. સાથે જ ઘટાડે Hindalcoમાં પણ રોકાણ કરી શકાય છે. આ શેરોમાં 40-60 ટકા સુધીનું રિટર્ન મળવાની આશા છે. જો કે તમામ કેશ રોકાણ કરવાની સલાહ નથી.
માટે સાંભળેલી વાતો અને મિત્રોની સલાહ સાંભળીને તમારી મહેનતની કમાણી આંખ મીચીને શેરબજારમાં ના નાંખો. યોગ્ય રિસર્ચ બાદ કે કોઇ સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લઇને પોર્ટફોલિયો તૈયાર કરવો જોઇએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો