ભારતીય બજાર એક વખત ફુલ ગુલાબી તેજીમાં છે. રોકાણકારો ફરી એક વખત પૈસા રોકવા આતુર થઇ રહ્યાં છે. હોસ્પિટલ, હોટલથી લઇને ગ્રાફિક્સ કંપની સુધી.. દરેક પ્રકારના કારોબારવાળી કંપનીઓ બજારમાં ઉતરી રહી છે. અને રોકાણકારો મન મૂકીને રોકાણ કરી રહ્યા છે. આવામાં વિતેલા બે-ત્રણ વર્ષમાં આવેલા IPOમાં રોકાણકારોએ દર્શાવેલો ઉત્સાહ પણ યાદ આવી રહ્યો છે. એવા ઘણા IPO છે કે જેમાં રોકાણકારો દાઝ્યા છે. દેશની સૌથી મોટી વીમા કંપની LIC હોય કે Paytm, CarTrade, Fino Payments જેવી કંપની.. આમાં રોકાણ કરીને IPO રોકાણકારો ફસાયા હતા. તેવામાં તે સવાલ થાય છે કે તમારે અત્યારના યુફોરિયા કે ચમકદમકથી અંજાવવું જોઇએ કે સાવચેત રહેવું જોઇએ… IPOમાં રોકાણ કરવા માટે તમારે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ ? આવો તે સમજીએ
સૌથી પહેલાં આપણે થોડા આંકડાઓ જોઇએ.. ચાલુ વર્ષે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં આવેલા 23 IPOમાંથી 19 IPOએ સારું પ્રદર્શન કર્યું છે. એટલું જ નહીં, આઠ IPOમાં તો રોકાણકારોએ અત્યાર સુધીમાં 50થી 157 ટકા સુધી રિટર્ન મેળવ્યું છે. સૌથી શાનદાર પ્રદર્શન Cyient DLM Limitedના IPOનું રહ્યું.
ચાલુ વર્ષે 10 જુલાઇના રોજ આ શેરનું NSE પર લિસ્ટિંગ 403 રૂપિયા પર થયું હતું. તેની ઇશ્યૂ પ્રાઇસ રૂ. 265 હી. લિસ્ટિંગના દિવસે તેણે 420 સુધીની હાઇ બનાવી હતી. 14 સપ્ટેમ્બરે આ શેરની બજાર કિંમત રૂ. 680 હતી. એટલે કે આ શેરમાં અત્યાર સુધીમાં 157 ટકાનો ઉછાળો આવી ચુક્યો છે.
ખરાબ પ્રદર્શનવાળા IPOમાં Pyramid Technoplast Limited, Udayshivakumar Infra Limited અને Radiant Cash Management Services Limitedનો સમાવેશ થાય છે. આ શેરનું રિટર્ન -0.01%થી લઇને -2.37% સુધી રહ્યું છે.
હવે તે સમજી લઇએ કે આ તેજીનો માહોલ કેમ છે?
હકીકતમાં ભારતીય અર્થતંત્ર ટકાઉ છે અને દુનિયાભરના રોકાણકારો અહીં રોકાણ કરવા માગે છે. ગયા છ મહિનામાં FPIએ ભારતયી બજારમાં જોરદાર રોકાણ કર્યું. તેને કારણે બજાર સતત નવી ઉંચાઇ સર કરી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીએ તાજેતરમાં ઓલ-ટાઇમ-હાઇ બનાવી છે. તેના કારણે ભારતીય રોકાણકારોનો વિશ્વાસ પણ શેરબજારમાં વધ્યો છે.
તો રોકાણકારોએ શું કરવું જોઇએ? જ્યારે તમે તમારી મહેનતથી કમાયેલી મૂડીને કોઈ કંપનીમાં રોકાણ કરવા જઈ રહ્યા હોવ… તો તમારે તેના વિશે કેટલીક બાબતો જાણવી જોઈએ… કંપની શું કરે છે? તેનો હિસાબ કેવો છે? કંપનીના પ્રમોટર્સ કોણ છે? કંપનીના કારોબારનો પ્રકાર કેવો છે? શું કંપની ગ્રોથવાળી ઇન્ડસ્ટ્રીનો ભાગ છે, એટલે કે એફએમસીજી, ફાર્મા, હેલ્થકેર, ખાદ્ય ચીજવસ્તુઓ, પાવર, વગેરે જેવી સાયકલિક ઇન્ડસ્ટ્રીના બદલે ટકાઉ ક્ષેત્ર છે કે નહીં?
એ પણ જુઓ કે કંપની દેવું મુક્ત છે કે નહીં. ઉપરાંત, કોર્પોરેટ ગવર્નન્સ સારું હોવું જોઈએ… કંપની કે પ્રમોટરો સામે કોઈ કેસ પેન્ડિંગ નથી… અને એ પણ સુનિશ્ચિત કરો કે આગામી સમયમાં કંપનના પ્રોસપેક્ટ કેવા છે.. એટલે કે વૃદ્ધિ ની સંભાવના કેટલી છે.
શેર બજારના નિષ્ણાત ડૉ. રવિ સિંઘ કહે છે… કે કોઈ પણ કંપનીમાં રોકાણ કરતા પહેલાં, રોકાણકારોએ ઘણા મૂળભૂત તથ્યો ધ્યાનમાં લેવા જોઈએ… જેમ કે છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીની વૃદ્ધિ હકારાત્મક રહી હોય.. EBITDA પોઝિટિવ હોય, કંપની દેવું મુક્ત હોય.. અને પ્રમોટર સારી પ્રતિષ્ઠા ધરાવતો હોય.
આ ઉપરાંત, એવી કંપનીમાં નાણાંનું રોકાણ કરવું જોઈએ… જે IPOમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ તેના વિસ્તરણ માટે કરતી હોય.
કોઈપણ ઉત્સાહમાં ડર એ છે કે તમે ઘણા નબળા શેરોમાં નાણાંનું રોકાણ કરો છો અને ફસાઈ જાઓ છો. તમારે આનાથી સુરક્ષિત રહેવાનું છે. નિષ્ણાતો પણ આ સમયે શેરબજાર વિશે ચેતવણી આપી રહ્યા છે.બજાર અત્યારે તેની ટોચ પર છે અને આગળ ઘટાડો આવી શકે છે… તમારે આ બધા જોખમોને સમજ્યા પછી જ રોકાણ કરવું જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો