MONEY9 GUJARATI: સરકાર કરચોરી (Tax evasion) રોકવા માટે તમામ પ્રયાસો કરી રહી છે… ડેટા માઈનિંગ, ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે… એટલું જ નહીં ઈન્કમટેક્સ (Income Tax), GST, બેંક (Bank) જેવા અનેક વિભાગો સાથે મળીને કામ કરી રહ્યા છે. સરકાર મોટી કંપનીઓ પર નજર રાખી રહી છે, જેમાં નોકરી કરતા લોકોથી લઈને નાના ઉદ્યોગપતિઓ (Businessmen) પણ છે… ઘણા ઉદ્યોગપતિઓ વધારે ટર્નઓવર બતાવે છે, પરંતુ આવક ઓછી… સરકાર તેમના પર કેવી રીતે નજર રાખે છે… આ સિસ્ટમ કેવી રીતે શરૂ થઈ અને કેવી રીતે કામ કરે છે? ચાલો આને સમજવાનો પ્રયત્ન કરીએ…
ટેક્સ ચોરી રોકવાની સ્ક્રિપ્ટ શરુ થઈ GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલીકરણ સાથે.. GSTએ ન માત્ર સમગ્ર દેશમાં ઉત્પાદનો અને સેવાઓ માટે એકસમાન ટેક્સની વ્યવસ્થા કરી,, પરંતુ કેન્દ્ર સરકાર પાસે તમામ પ્રકારના ટેક્સ સાથે સંબંધિત આંકડા પહોંચાડવાનું કામ કર્યું.. વર્ષ 2019માં તેની સિક્વલ સામે આવી હતી… જ્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે CBDTએ એક આદેશ જારી કર્યો… જેના પછી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને GST ઓફિસર્સ વચ્ચે ITR ફાઇલિંગ સ્ટેટસ, ટર્નઓવર, ગ્રૉસ ટોટલ ઈનકમ, ટર્નઓવર રેશિયો, ગ્રૉસ ટોટલ ઈનકમ રેન્જ, ટર્ન ઓવર રેન્જ જેવી મહત્વપૂર્ણ નાણાકીય માહિતી શેર કરી શકાય છે… આ સિસ્ટમ એવા ટેક્સપેટર્સ માટે લાવવામાં આવી છે જેમને કોઈ વ્યવસાયમાંથી આવક થાય છે….
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને GST નેટવર્ક વચ્ચેના ‘સહયોગ’ પછી, નોટિસ મોકલવાની પ્રક્રિયા જૂન 2019 માં જ શરૂ થઈ હતી… વિવિધ અહેવાલો અનુસાર, આ કદાચ પહેલો કિસ્સો હતો જ્યારે ઈનકમ ટેક્સ રિટર્ન અને GST રિટર્ન મેચ થયા હતા. .. બંને વચ્ચે મિસમેચ એટલે કે તફાવત હોય તો નોટિસ મોકલવામાં આવી હતી..ITR અને GST રિટર્નના મેચિંગ પરથી જાણવા મળ્યું કે GST ક્લેમ વધારીને બતાવેલા હતા અને ઈનકમ ટેક્સ રિટર્નમાં કમાણી ઓછી દર્શાવવામાં આવી હતી… તે પણ બહાર આવ્યું હતું કે વેપારીઓ GST રિટર્ન મુજબ તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરતા નથી.
GST સિસ્ટમની શરૂઆત પહેલાં, આવકવેરા વિભાગ માટે આવા ડેટાને એકત્ર કરવાનું શક્ય નહોતું… તેનું કારણ એ હતું કે સેલ્સ રિટર્ન રાજ્ય સ્તરે ફાઇલ કરવામાં આવતું હતું, જ્યારે ઈનકમ રિટર્ન કેન્દ્ર સરકાર હેઠળ આવે છે… હવે બંને વિભાગો કેન્દ્ર હેઠળ આવે છે… આના કારણે અધિકારીઓ માટે ડેટા મેળવવાનું સરળ બન્યું… આ પગલું દર્શાવે છે કે સરકાર ટેક્સ ચોરી અને ટેક્સ ચોરી કરનારાઓને પકડવા માટે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરી રહી છે…
એવા વેપારીઓ અથવા વ્યવસાયો માટે GST નોંધણી ફરજિયાત છે જેમનું વાર્ષિક ટર્નઓવર નિર્ધારિત મર્યાદા કરતાં વધી ગયું છે… ઉત્પાદનોનું વેચાણ કરતા લોકો માટે, આ મર્યાદા 40 લાખ રુપિયા છે અને સેવા ક્ષેત્રમાં કામ કરતા ઉદ્યોગપતિઓ માટે આ મર્યાદા 20 લાખ રુપિયા છે… કેટલાક કિસ્સાઓમાં આ મર્યાદા અનુક્રમે 20 લાખ અને 10 લાખ રુપિયા છે… જો ટર્નઓવર આનાથી વધુ છે, તો GST નોંધણી જરૂરી છે… GST નોંધણીમાં, વેપારીઓને GST નંબર મળે છે… જેમાં PAN નંબરના 10 અંકોનો સમાવેશ થાય છે…જેના દ્વારા આવકવેરા વિભાગ તમારા PAN નંબર પર નોંધાયેલા ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવે છે…
સરકારે ટેક્સપેટર્સનો ડેટા એકત્રિત કરવા માટે એક વ્યાપક સિસ્ટમ બનાવી છે જેથી ટેક્સ ચોરીને રોકી શકાય… જો તમે વેપારી છો અને તમારા GST રિટર્ન અથવા ઈનકમ ટેક્સ રિટર્નમાં કોઈપણ પ્રકારની મિસમેચ હોય, તો નોટિસ મળી શકે છે. કોઈપણ આવક છુપાવવી એ ટેક્સ ચોરી ગણી શકાય છે… જેના માટે પેન્લટીથી માંડીને મુકદ્દમા અને સજા સુધીની જોગવાઈઓ છે… આવી સ્થિતિમાં, સારું રહેશે કે તમે ITRમાં સાચી આવક દર્શાવો અને તે મુજબ ટેક્સ ચૂકવો અને ટેન્શન ફ્રી રહો… જો તમે નાણાકીય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્નમાં કોઈપણ આવક બતાવવાનું ભૂલી ગયા છો, તો હવે વધુ મોડું થયું નથી, તમે 31 ડિસેમ્બર 2023 સુધી સુધારેલું રિટર્ન ફાઇલ કરી શકો છો… 2 વર્ષ સુધી જૂના રિટર્નમાં સુધારા માટે તમે અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકો છો..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો