Home >
ખાદ્ય તેલના ભાવ વધવાની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં ખાદ્ય તેલની મોંઘવારી લોકોને પરેશાન કરે તેવી શક્યતા છે. ખાસ તો, વૈશ્વિક સ્તરે ઊભા થયેલા સંજોગોને લીધે આયાતી તેલ મોંઘું થઈ રહ્યું છે.
પ્રતિકૂળ હવામાન, અતિ ભારે વરસાદ અને પૂરને કારણે પશુચારો મોંઘો થઈ રહ્યો છે, જેના લીધે આગામી ચારેક મહિનામાં દૂધની કિંમત લિટરે Rs 2થી Rs 4 વધી શકે છે.
હવે ડુંગળી અને બટાટામાં મોંઘવારીની શરૂઆત થઈ છે. ઓછા વાવેતરને કારણે ડુંગળી અને બટાટાના સપ્લાય પર અસર પડવાની સંભાવના છે. ડુંગળી અને બટાટાના ભાવમાં હજુ આકરો વધારો થયો નથી, પરંતુ આગામી દિવસોમાં ભાવમાં તીવ્ર વધારો થવાની શક્યતા છે.
ભારતમાં ચોખાની કિંમતને કાબુમાં રાખવા માટે સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતનાં આ નિર્ણયને ચોખા ઉદ્યોગે વખોડ્યો છે. ચોખાની નિકાસ અટકશે તો વિશ્વમાં ખાદ્ય કટોકટી ઊભી થઈ શકે છે.
હળદરનાં ભાવ સતત વધી રહ્યાં છે. હળદરનું વાવેતર ઘટવાથી અને માંગ વધવાથી ભાવમાં તેજી ચાલી રહી છે. વાયદા બજારથી લઈને હાજર બજારમાં હળદરનાં ભાવ લગભગ બમણા થઈ ગયા છે.
છેલ્લાં એક મહિનામાં મહારાષ્ટ્રમાં મકાઈનો ભાવ 23 ટકા વધી ગયો છે જ્યારે કર્ણાટકમાં મકાઈનો ભાવ લગભગ 10 ટકા વધ્યો છે.
ક્યાંક વધારે પડતા તો ક્યાંક ઓછા વરસાદને કારણે દાળના વાવેતર પર અસર પડી છે.
દેશભરમાં 14 જુલાઈ સુધીમાં 536 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ વાવેતર થયું છે, જે ગયા વર્ષે 560 લાખ હેક્ટરમાં નોંધાયું હતું.
મોંઘવારી માંડ-માંડ ઘટવાની શરૂ થઈ હતી ત્યાં ફરી વધવાની શરૂઆત થઈ ચૂકી છે. જૂન મહિનામાં છૂટક મોંઘવારીનો દર 4.81 ટકા જાહેર થયો છે. ખાસ તો શાકભાજી, મસાલા અને કઠોળ મોંઘા થવાથી ફુગાવો વધ્યો છે.
દેશનાં અમુક વિસ્તારોમાં ઓછો વરસાદ થવાથી જ્યારે કેટલાક વિસ્તારોમાં વધારે પડતા વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચવાની શક્યતા છે અને તેની ભરપાઈ આગામી દિવસોમાં મોંઘવારીના સ્વરૂપે કરવાનો વારો આવી શકે છે.