Budget 2024: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે ઉડ્ડયન ક્ષેત્રની છેલ્લા 10 વર્ષમાં ઝડપી પ્રગતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હાલના એરપોર્ટનું વિસ્તરણ અને નવા એરપોર્ટનું નિર્માણ ઝડપી ગતિએ ચાલુ રહેશે.
નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે સીતારમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈને 149 થઈ ગઈ છે.
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા નાગરિક ઉડ્ડયન બજારોમાંનું એક છે અને સ્થાનિક હવાઈ મુસાફરોનો ટ્રાફિક સતત વધી રહ્યો છે.
તેમણે કહ્યું, “હાલના એરપોર્ટનું વિસ્તરણ અને નવા એરપોર્ટનો વિકાસ ઝડપી ગતિએ ચાલુ રહેશે.”
નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, “UDAN યોજના હેઠળ, ટિયર-ટુ અને ટિયર-થ્રી શહેરો માટે એર કનેક્ટિવિટીનું મોટા પાયે વિસ્તરણ કરવામાં આવ્યું છે. દેશમાં 517 નવા હવાઈ માર્ગો પર 1.3 કરોડ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે ભારતીય ઉડ્ડયન કંપનીઓએ સક્રિય રીતે 1,000 થી વધુ નવા એરક્રાફ્ટ માટે ઓર્ડર આપ્યા છે.
ત્રણ ડોમેસ્ટિક એરલાઈન્સ – એર ઈન્ડિયા, ઈન્ડિગો અને અકાસા એરે મળીને એક વર્ષથી ઓછા સમયમાં કુલ 1,120 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે.
ગયા મહિને અકાસા એરે 150 બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટનો ઓર્ડર જાહેર કર્યો હતો. ગયા વર્ષે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ મળીને બોઈંગ અને એરબસ પાસેથી કુલ 970 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો.
Published - February 1, 2024, 06:40 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો