MONEY9 GUJARATI: દીપક આજકાલ વકીલની ઓફીસના ચક્કર લગાવી રહ્યો છે… કારણ કે તેના પિતા પાસે 4 પ્રોપર્ટી (property) છે… જેના માટે તે અલગ અલગ વિલ (Multiple wills) બનાવવા માંગે છે… દીપકના મનમાં પ્રશ્ન છે કે શું અલગ-અલગ પ્રૉપર્ટી માટે Will એટલે કે વસિયત અલગ-અલગ હોવી જોઈએ.. કે પછી એક જ વસિયત (testament) પર્યાપ્ત હશે… શું એક કરતાં વધુ વસિયત કાયદેસર રીતે માન્ય છે? ચાલો પહેલા જાણીએ કે વસિયત શું છે અને તે શા માટે બનાવવી જોઈએ…
વસિયત એટલે કે વિલ એ એક કાનૂની દસ્તાવેજ છે… જે સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિના મૃત્યુ પછી, તેની મિલકત તેની ઇચ્છા અનુસાર વહેંચવામાં આવે… જે વ્યક્તિના નામે વસિયત બનાવવામાં આવે છે, તે વસિયતનામું બનાવનાર વ્યક્તિ એટલે કે વસિયતકર્તા દુનિયામાં ના રહે ત્યારે સંપત્તિનો ઉત્તરાધિકારી બની જાય છે..
વિલ વ્યક્તિના મૃત્યુ પછી અસરકારક બને છે… આવી સ્થિતિમાં, વસિયત લખનાર વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન કોઈપણ સમયે તેને રદ કરી શકે છે અથવા બદલી શકે છે… જે લોકો પાસે મિલકત છે, પછી તે વધુ હોય કે ઓછી હોય, તેઓ તેમની મિલકત સરળતાથી આગામી પેઢીને અથવા અન્ય કોઈને આપવા માટે વિલ તૈયાર કરી શકે છે. પરંતુ સામાન્ય રીતે, વસિયત બનાવવાની બાબતમાં બેદરકારી રાખવામાં આવે છે…
મિલકત અંગેના કૌટુંબિક વિવાદોની ઘટનાઓ સામાન્ય છે… અદાલતોમાં આ પ્રકારના કિસ્સાઓ ભરેલા છે… વસિયત મિલકતને લઈને વારસદારો વચ્ચેના વિવાદો અને કોર્ટ કાર્યવાહીને ઘટાડશે… તેના દ્વારા, મૃત્યુ પછી તમે તમારી સંપત્તિને તમે ઈચ્છો તે હાથમાં છોડી શકો છો…
વધારે મિલકત હોય ત્યારે કોઈ વ્યક્તિ અલગ-અલગ વીલ કરી શકે છે.. . પરંતુ આનાથી લાભાર્થીઓ વચ્ચે મિલકતના વિભાજન અંગે મૂંઝવણ થઈ શકે છે, એટલે કે જેઓ મિલકત પ્રાપ્ત કરવાના હોય છે… વધુમાં, વધારે વસિયત જ્યારે થાય છે તો તેને તેઓને હેન્ડલ કરવું મુશ્કેલ છે… આના માટે ઉચ્ચ કાનૂની ખર્ચની પણ જરૂર પડી શકે છે… વિવિધ વિલમાં વિરોધાભાસી શરતો હોય છે, એટલે કે એવી શરતો કે જેના પર લાભાર્થીઓ વચ્ચે તકરાર હોય… તે સ્થિતિમાં, કાનૂની સમસ્યાઓ અને વિવાદો ઊભા થઈ શકે છે.. આવી સ્થિતિથી બચવા માટે એક જ વસિયત બનાવવી જોઈએ..જેમાં તમામ સંપત્તિ કવર થઈ જાય..
સૌ પ્રથમ, તમારી દરેક પ્રૉપર્ટી અને કેશ, જ્વેલરી જેવી બીજી સંપત્તિનું એક લીસ્ટ તૈયાર કરો.. કઈ સંપત્તિ કઈ વ્યક્તિ પાસે જશે અને કેટલા હિસ્સામાં જશે તેનો ઉલ્લેખ વસિયતમાં કરો… સંપત્તિ વિશે અને ભવિષ્યમાં મિલકત કોને મળવાની છે તેનો ઝીણવટપૂર્વક ઉલ્લેખ કરો. વિલ લખાય ત્યાં સુધી તમારી પાસે કોઈ દેવા હોય તો તેનો પણ સામેલ કરો…
વસિયતનામા માટે એગ્ઝીક્યૂટરની પસંદગી કરવી જોઈએ… એગ્ઝીક્યૂટરનું કામ એ છે કે જ્યારે તમે દુનિયામાં ના હોવ ત્યારે તમારી ઈચ્છા મુજબ તમારી પ્રૉપર્ટીનું વિતરણ કરે… કોઈ નજીકના મિત્ર કે સંબંધીને એગ્ઝીક્યૂટર બનાવી શકાય છે… સલાહ આપવામાં આવે છે કે એગ્ઝીક્યૂટર એવી વ્યક્તિ હોવી જોઈએ કે જેને વિલમાંથી કોઈ લાભ મળવાનો ના હોય.
વસિયતનામા પર તમારા એટલે કે વસિયતનામા કરનારના હસ્તાક્ષર એટલે કે સહી હોવી જરૂરી છે… આ સિવાય બે સાક્ષીઓ હોવા જરૂરી છે… જો શક્ય હોય તો, બેમાંથી એક સાક્ષી ડૉક્ટર હોવો જોઈએ… જેથી ભવિષ્યમાં એ વાત પર કોઈ વિવાદ ઊભો ન થાય કે જ્યારે વસિયતનામું કરવામાં આવ્યું ત્યારે વસિયતકર્તાની માનસિક સ્થિતિ બરાબર હતી કે કેમ…
વિલની નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન જરૂરી નથી હોતું… પરંતુ વિલ રજિસ્ટર થવાથી તેની મજબૂતી વધે છે… અને વિવાદની શક્યતા ઓછી થાય છે… વસિયતને કોર્ટમાં પડકારી શકાય છે… આ પડકારોને ઓછા કરવા માટે વસિયત બનાવતી વખતે તેની વિડીયોગ્રાફી પણ કરી શકાય છે… જો તમે કોઈ વ્યક્તિને તમારી મિલકતમાં કોઈ પણ હિસ્સો આપવા માંગતા નથી,, તો તેનો ઉલ્લેખ પણ વસિયતમાં કરી શકો છો…
આશા છે કે દીપકની જેમ, તમારી મૂંઝવણ પણ દૂર થઈ ગઈ હશે,, કે વધારે પ્રૉપર્ટીનું એક જ વિલ દ્વારા વિભાજન કરી શકાય છે… દરેક મિલકત માટે અલગ વસિયતનામું બનાવવાની જરૂર નથી…
વિલ કરનાર વ્યક્તિ કોઈ પણ સંપત્તિ ઉમેરવા અથવા દૂર કરવા, કોઈપણ લાભાર્થીઓને સમાવિષ્ટ કરવા અથવા બાકાત કરવા માટે જીવિત હોય ત્યાં સુધી વિલને અપડેટ કરી શકે છે… છેલ્લી વસિયતને માન્ય ગણવામાં આવશે… વસિયત એ એસ્ટેટ એટલે કે સંપત્તિ યોજનાનો એક મહત્વનો ભાગ છે… આવી પરિસ્થિતિમાં, જો કોઈ પ્રકારની મૂંઝવણ હોય, તો તમે વકીલની સલાહ લઈ શકો છો…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો