Money9: Paytm KYC નિયમોનું યોગ્ય રીતે પાલન નહોતી કરી રહી અને તેના પર જે કાર્યવાહી થઇ તેનાથી બીજી કંપનીઓ પણ ડરી ગઇ છે. હવે જે યોગ્ય રીતે KYC નહોતી કરી રહી તે પણ કાર્યવાહીના ડરે સંપૂર્ણ પ્રક્રિયામાં કોઇપણ પ્રકારની ખામીને દૂર કરવામાં લાગી ગઇ છે. RBI ફિનટેક, લેંડિંગ એપ્સ અને બીજી રેગ્યુલેટેડ એન્ટિટિઝમાં KYC એટલે કે Know Your Customerના નિયમ કરવા સાથે સંકળાયેલી ખામીઓ દૂર કરવા પર ધ્યાન આપી રહી છે. જેના કારણે આને યોગ્ય રીતે લાગુ ન કરનારી કંપનીઓ પર નાણાકીય દંડ અને કામકાજ પર પ્રતિબંધ જેવા પગલા ભરવામાં આવી રહ્યા છે.
નો યોર કસ્ટમર..એટલે કે KYC દ્વારા બેંક કે અન્ય પ્રકારની નાણાકીય સંસ્થાઓ તેમના કસ્ટમરની ઓળખને પાક્કી કરે છે. કેવાયસીની પ્રક્રિયામાં કસ્ટમર પાસેથી તેનું એડ્રેસ પ્રૂફ અને આઇડેન્ટિટી પ્રુફ માંગવામાં આવે છે જેથી બેંક અથવા તો જે સંસ્થા તમને લોન આપી રહી છે તે એ સુનિશ્ચિત કરી શકે કે જે કસ્ટમરને લોન આપવામાં આવી રહી છે અથવા તો જેની સાથે નાણાકીય ટ્રાન્ઝેક્શન થવાનું છે તે કોણ છે. પરંતુ Paytmના કેસમાં એવું થયું કે ઘણાંબધા લોકોની KYC જ ન થઇ. અથવા તો KYCની પ્રક્રિયામાં ક્ષતિઓ જોવા મળી. જો તમે KYC કરાવી છે તો બેંક કે અન્ય નાણાકીય સંસ્થાને એ ખબર હોય છે કે તમારી પર ભરોસો કરી શકાય છે. આને તમે એક પ્રકારનું ફિલ્ટર માની શકો છો. જે બેંક અને કસ્ટમરની વચ્ચે હોય છે.
હવે આપણે એ પણ સમજીએ કે આ ભૂલોની કસ્ટમર પર શું અસર પડી શકે છે. તો તમે તેને આ રીતે સમજી શકો કે કોઇ ફિનટેક એપ કે પેમેન્ટ એપ પર જો તમારા પાન કાર્ડથી કોઇ બીજાનું એકાઉન્ટ લિંક્ડ છે, તો તે વ્યક્તિ તેનો ઉપયોગ ડિજિટલ લોન લેવા માટે કરી શકે છે. અને આમાં કોઇ આશ્ચર્યની વાત નથી કારણ કે આવું થયું પણ છે. બે વર્ષ પહેલા થયેલા આવા જ એક કિસ્સામાં ફિલ્મ એક્ટ્રેસ સની લિયોનીના પાન કાર્ડનો મિસયૂઝ થયો હતો. કોઇએ તેમની પાન કાર્ડ ડિટેલ્સનો ઉપયોગ કરીને એક ડિજિટલ લોન એપમાંથી લોન લીધી હતી. સનીએ બાદમાં એવો દાવો કર્યો કે તે લોન એપે તેમની કોઇ મદદ ન કરી.
આ પ્રકારના મોટાભાગના કેસોમાં લોકોને તેમના પાન કાર્ડથી કોઇના લોન લેવાની ખબર ત્યારે પડી જ્યારે તેમણે પોતાની ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરી. લોકોએ જોયું કે તેમના CIBILમાં તેમના નામથી લોન બોલે છે. એટલે આવુ કંઇ થાય તો તમે નાણાકીય સંકટમાં તો ફસાશો જ સાથે સાથે તમારો CIBIL સ્કોર પણ ખરાબ થશે.
એક્સપર્ટ્સ કહે છે KYCમાં ભૂલથી ફક્ત કસ્ટમર પર જ નહીં પરંતુ આખી નાણાકીય વ્યવસ્થા પર પણ અસર પડે છે. તેનાથી બેંકિંગ સિસ્ટમમાં લોકોનો ભરોસો સમાપ્ત થવા જેવું જોખમ ઉભું થઇ શકે છે. આ બધાની અસર નાણાકીય અસ્થિરતા અને દેશની આખી ઇકોનોમી પર પડી શકે છે.
હવે સવાલ ઉઠે છે કે આપણે KYCનો દુરુપયોગ કેવી રીતે રોકી શકીએ?..શું કોઇ સિક્યોરિટી ફિચર છે જેનાથી આપણને કોઇ મદદ મળે? તો આનો જવાબ એક્સપર્ટ કંઇક આમ આપે છે.
તો તમારુ પરેશાન થવું સ્વાભાવિક છે. પરંતુ ચિંતાથી બચવા માટે જાગૃત થવું પણ જરૂરી છે. એટલે પોતાની KYC તો કરાવો જ સાથે જે એપનો ઉપયોગ કરી રહ્યા છો તેની વિશ્વસનિયતાને પણ તપાસી લો. સમયાંતરે પોતાનો CIBIL પણ ચેક કરો. આનાથી તમારા પાનનો દુરુપયોગ કરીને જો કોઇ લોન લેવામાં આવી છે તો તે તમારી પકડમાં આવી જશે. ઉપરાંત UPI એક સારો અને વધુ સિક્યોર ઓપ્શન છે તો પેમેન્ટ એપ પર વોલેટ કે તેના બેંક ખાતામાં પૈસા નાંખીને તેનો ઉપયોગ કરવાના બદલે તમે UPIનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકો છો. તો જાગતા રહો અને આ પ્રકારની તમામ સલાહ મેળવવા માટે જોતા રહો મની9નો આ ખાસ શો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો