Money9: આર્બિટ્રેજ ફંડ એક મ્યુચ્યુઅલ ફંડ છે જે હાઇબ્રિડ કેટેગરીમાં આવે છે. આ ફંડ ઘણા એસેટ્સમાં રોકાણ કરે છે. જેમ કે સ્ટોક્સ, બોન્ડ્સ, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આર્બિટ્રેજ ફંડ્સનો હેતુ છે સમાન એસેટના અલગ-અલગ પ્લેટફોર્મ પર કિંમતોમાં ઉતાર-ચડાવથી નફો કમાવવો.
આર્બિટ્રેજ ફંડ્સમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના સંગઠન એમ્ફીના તાજેતરના ડેટા અનુસાર, આર્બિટ્રેજ ફંડ્સની નેટ એસેટ્સ અંડર મેનેજમેન્ટ એટલે કે AUM ડિસેમ્બર 2022માં 74,722.26 કરોડ રૂપિયા હતી. ડિસેમ્બર 2023માં આ AUM વધીને 1,34,220.64 કરોડ રૂપિયાને પાર પહોંચી ગઇ. એક વર્ષમાં તેમાં 80 ટકાથી વધુનો વધારો થયો. સેબીના નિયમો અનુસાર આર્બિટ્રેજ ફંડ્સે આર્બિટ્રેજ રણનીતિનું પાલન કરવું જોઈએ. આ સ્કીમ્સે કુલ એસેટના લગભગ 65 ટકા ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરવું જોઈએ. ખાસ વાત એ છે કે આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ઓછા જોખમવાળી છે.
આર્બિટ્રેજનો એટલે કે કોઇ એક સિક્યોરિટીનું એક સાથે અલગ-અલગ પ્લેટફોર્મ પર ખરીદ અને વેચાણ કરવું. જેથી કોઇ જોખમ વગર નફો મળી શકે. ઉદાહરણ તરીકે, જો કોઈ ફંડ મેનેજરે કેશ માર્કેટમાં 100 રૂપિયાના શેર ખરીદ્યા અને ફ્યૂચરમાં તે જ શેરની કિંમત 102 રૂપિયા છે, તો ફ્યૂચર માર્કેટમાં આ જ શેરના વેચાણનો સોદો કરીને 2 રૂપિયાનો નફો કમાઇ લેશે.
આર્બિટ્રેજ ફંડ્સ, ડેટ કે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં 35 ટકા સુધી રોકાણ કરી શકે છે. જેનો અર્થ સ્પષ્ટ છે કે આ રોકાણમાં હાઇ રિસ્ક જોડાયેલું છે. એટલે આર્બિટ્રેજ ફંડ્સમાં રોકાણ કરતા પહેલાં ફંડના ડેટ પોર્શનની ક્રેડિટ ક્વોલિટીની તપાસ કરી લેવી જોઇએ. આર્બિટ્રેજ ફંડ્સથી રિર્ટન્સ પણ બજારના પ્રદર્શનના ભરોસે છે. એટલે કે જેવી માર્કેટની ચાલ, તેવો જ નફો કે નુકસાન.
Ace મ્યુચ્યુઅલ ફંડ અનુસાર, આર્બિટ્રેજ ફંડે છેલ્લા એક વર્ષમાં સરેરાશ 7.18 ટકા રિટર્ન આપ્યું છે. ત્રણ વર્ષનું સરેરાશ રિટર્ન 4.98 ટકા અને 5 વર્ષનું સરેરાશ રિટર્ન 4.94 ટકા રહ્યું છે. નિયમો અનુસાર, આર્બિટ્રેજ ફંડ એ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીની સ્કીમ છે…તેથી જો તમે આ ફંડમાંથી એક વર્ષ પહેલાં પૈસા ઉપાડો છો, તો તેને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવશે. આ નફા પર 15 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે. જો રોકાણને એક વર્ષ બાદ રિડીમ કરાવવામાં આવે તો તેને લોંગ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવશે. આ કમાણી પર 10 ટકા ટેક્સ લાગશે. જો કે, ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત રોકાણોમાંથી વાર્ષિક 1 લાખ રૂપિયા સુધીનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ફ્રી છે. તેનાથી ઉપરની કમાણી પર ટેક્સ ભરવો પડશે.
આર્બિટ્રેજ ફંડ એવા રોકાણકારોના માટે યોગ્ય છે જેઓ ટૂંકાગાળાના રોકાણ પર ઓછા જોખમ સાથે સારું રિટર્ન ઇચ્છે છે. નાનાથી મધ્યમ જોખમવાળા લિક્વિડ ફંડ્સ કરતાં આર્બિટ્રેજ ફંડમાં થોડું વધારે રિટર્ન મળે છે. એવા રોકાણકારો જે છ મહિનાના સમયગાળા માટે ઓછા જોખમવાળા રોકાણના વિકલ્પો શોધી રહ્યા છે તેઓ આર્બિટ્રેજ ફંડ્સમાં રોકાણ કરી શકે છે.
મનીફ્રન્ટના કો-ફાઉન્ડર અને સીઈઓ મોહિત ગંગ કહે છે કે ટેક્સના ફ્રન્ટ પર ડેટ ફંડ્સ કરતાં આર્બિટ્રેજ ફંડ વધુ સારો વિકલ્પ છે. લિક્વિડ ફંડના સમાન રિટર્ન છતાં, આ ફંડ ટેક્સ બાદ વધુ સારું રિટર્ન આપે છે. જો તમે આર્બિટ્રેજ ફંડ્સમાં રોકાણ કરી રહ્યા છો, તો સારી રીતે સમજી લો કે આ ફંડ વધુ ઉતાર-ચડાવવાળા હોય છે. આમાં મળતું રિટર્ન દર મહિને ઉપર-નીચે જઈ શકે છે. જે લોકો તેમના રોકાણમાં નિશ્ચિતતા અને સ્થિરતા ઈચ્છે છે તેમના માટે લિક્વિડ ફંડ વધુ સારો વિકલ્પ રહેશે.
આર્બિટ્રેજ ફંડ્સમાં રોકાણ કરવું એવા રોકાણકારો માટે યોગ્ય નથી જે ઘણા ટૂંકાગાળા માટે રોકાણ કરવા માંગે છે. સારા રિટર્ન માટે પોતાના રિટર્નને 3 મહિના જાળવી રાખવું જોઇએ. કેટલાક દિવસ કે પછી કેટલાક સપ્તાહના રોકાણ માટે લિક્વિડ ફંડ્સ પસંદ કરવું સારુ રહેશે. જો તમે આર્બિટ્રેજ ફંડ્સમાં રોકાણ કરવા માંગો છો તો હીરેનની જેમ પહેલા પોતાના એડવાઇઝરની સલાહ જરૂર લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો