Money9: શેર બજારમાં જો કોઇ વ્યક્તિ રોકાણ કરે તો સ્વાભાવિક છે કે તે સારો ફાયદો કમાવવા માટે જ કરે. નીચા ભાવે શેર ખરીદવા અને ઉંચી કિંમતે વેચવાના કારણે લોકોને કેપિટલ ગેઇન એટલે કે મૂડી વધવાનો ફાયદો મળે છે. એટલું જ નહીં, સારા પ્રદર્શનવાળી કંપનીઓ પોતાના રોકાણકારોને ડિવિડન્ડ પણ આપે છે. કંપનીઓ શેરધારકોને ડિવિડન્ડ એટલે પણ આપે છે કારણ કે તે રોકાણકારોને પોતાના કારોબારનો મહત્વનો હિસ્સો માને છે. અને કોઇ રોકાણમાં તમને ડિવિડન્ડ જેવો ફાયદો નથી મળતો. આમ તો બધી કંપનીઓ માટે ડિવિડન્ડ આપવું અનિવાર્ય નથી હોતું. પરંતુ ફાયદાવાળી કંપનીઓ મોટાભાગે ડિવિડન્ડ આપે છે.
હવે આનો ફાયદો મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે થઇ શકે..આવો આને પણ સમજીએ. હકીકતમાં જે લોકો રિટર્ન ઓછું મળવાના જોખમથી બચવા માંગે છે, તે આવા ડિવિડન્ડ પેઇંગ ફંડ્સમાં રોકાણ કરે છે જે પોતાની કમાણીનો એક હિસ્સો ડિવિડન્ડથી પ્રાપ્ત કરે છે.
ડિવિડન્ડ યીલ્ડ ફંડ એટલે શું?
પહેલા એ જાણો કે ડિવિડન્ડ યીલ્ડ ફંડ કોને કહે છે. માર્કેટ રેગ્યુલેટર SEBIએ કહ્યું કે ડિવિડન્ડ યીલ્ડ ફંડ સ્કીમના ઓછામાં ઓછા 65 ટકા રોકાણ ડિવિડન્ડ યીલ્ડિંગ આપનારા શેરમાં હોવું જોઇએ. મોટાભાગના રોકાણકાર કોઇ શેરને ખરીદવા કે વેચવામાં એ પણ ધ્યાન રાખે છે કે કંપની ડિવિડન્ડ આપે છે કે નહીં. તે એવી કંપનીઓની શોધમાં રહે છે જેમની પાસે સારો રોકડ પ્રવાહ હોય, બેલેન્સ શીટ મજબૂત હોય અને જે નિયમિત રીતે ડિવિન્ડ આપી રહી હોય. તો મોટાભાગના ડિવિડન્ડ યીલ્ડ ફંડ પણ આવા શેરોમાં રોકાણ કરે છે જે હાઇ ડિવિડન્ડ યીલ્ડ અને પેઆઉટ આપી રહ્યાં હોય.
ડિવિડન્ડ યીલ્ડ કોને કહેવાય?
કોઇ શેરની માર્કેટ વેલ્યૂ અને તેના રોકડ ડિવિડન્ડના રેશિયોને ડિવિડન્ડ યીલ્ડ કહે છે. ઉદાહરણ તરીકે માની લો કે કોઇ શેરની કિંમત 500 રૂપિયા છે અને કંપનીએ 10 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ આપ્યું છે તો તેની ડિવિડન્ડ યીલ્ડ 2 ટકા હશે. Dividend yield funds (ડિવિડન્ડ યીલ્ડ ફંડ્સ) રોકાણકારોને તેમના રોકાણને ડાયવર્સિફાઇ કરવામાં અને તેને બજારના અલગ-અલગ સેગમેન્ટમાં ભાગ લેવાની તક પૂરી પાડે છે. વેલ્યૂ રિસર્ચના 7 જુલાઇ, 2022 સુધીના ડેટા અનુસાર, dividend yield mutual fundsએ છેલ્લા ત્રણ વર્ષમાં 16% રિટર્ન આપ્યું છે.
કોણે કરવું જોઇએ રોકાણ?
આ પ્રકારના ફંડમાં કોણે રોકાણ કરવું જોઇએ? તો જાણકાર કહે છે કે એવા રોકાણકાર જે ઓછી પણ નિયમિત આવક ઇચ્છે છે તેઓ આ પ્રકારના ફંડમાં રોકાણ કરી શકે છે. Investography (ઇન્વેસ્ટોગ્રાફી)ના ફાઉન્ડર શ્વેતા જૈન કહે છે કે ડિવિડન્ડ યીલ્ડ ફંડ્સ એવા ફંડ હોય છે જે એવા શેરોમાં રોકાણ કરે છે જે ઉંચું ડિવિન્ડ આપતા હોય છે. તે એવા રોકાણકારો માટે યોગ્ય હોય છે જે ઘણું આક્રમક વલણ નથી અપનાવતા કારણ કે સામાન્ય રીતે આ ટકાઉ કંપનીઓ હોય છે.
રોકાણકારોએ એ વાત ધ્યાનમાં રાખવી પડશે કે આ એક પ્રકારના ઇક્વિટી ફંડ હોય છે જે એ રીતે ઉતાર-ચડાવવાળા નથી હોતા જેવા કે થીમેટિક ફંડ હોય છે. તો પણ આની પર બજારના ઉતાર-ચડાવની અસર તો થાય જ છે. તો આ એવા રોકાણકારો માટે સારો વિકલ્પ હોઇ શકે છે જે સ્થાયી રિટર્ન માટે જોખમ લેવા તૈયાર છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો