Money9: આ વર્ષે મે મહિનાથી દેશમાં વ્યાજ દરો વધવાનો ટ્રેન્ડ ફરી પાછો શરૂ થઇ ગયો છે. આ સાથે જ મની માર્કેટમાં ઘણાં ફેરફાર પણ જોવા મળ્યા છે. એક મોટો ફેરફાર જે છેલ્લા થોડાક દિવસોમાં જોવા મળ્યો છે તે ડેટ મ્યુચ્યુઅલ ફંડને લઇને છે. છેલ્લા કેટલાક સમયથી ડેટ મ્યુચ્યુઅલ ફંડની ચમક ફીકી પડવા લાગી છે અને ઇન્વેસ્ટર્સ તેનાથી દૂર જવા લાગ્યા છે.
ડેટ મ્યુચ્યુઅલ ફંડની ચમક ફીકી
મોર્નિંગસ્ટારના આંકડા અનુસાર મે મહિનામાં ડેટ ફંડ્સથી 32,722 કરોડ રૂપિયા અને જૂનમાં 92,247 કરોડ રૂપિયાનો ભારે ભરખમ ઉપાડ જોવા મળ્યો. ત્યારબાદ જુલાઇમાં 4,930 કરોડ રૂપિયા અને ઓગસ્ટમાં 49,164 કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું. જો કે ત્યારબાદ ફરીથી વેચવાલીનો ટ્રેન્ડ આવ્યો. સપ્ટેમ્બરમાં 65,372 કરોડ રૂપિયા અને ઓક્ટોબરમાં 2,817 કરોડ રૂપિયાના ડેટ ફંડ વેચવામાં આવ્યા.
એનબીએફસીના ફંડિંગને લઇને કેર રેટિંગ્સની એનાલિટિકલ કંપની કેર એજના એક તાજેતરના રિપોર્ટમાં કેટલાક સંકેત મળે છે. આ રિપોર્ટ જણાવે છે કે સપ્ટેમ્બર 2022માં એનબીએફસી પર બેંકોની કુલ બાકી 11.7 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઇ હતી. વાર્ષિક આધારે તેમાં 30.6 ટકાનો વધારો થયો છે. તો બીજી તરફ એનબીએફસીમાં મ્યુચ્યુઅલ ફંડ્સનું ડેટ એક્સપોઝર સપ્ટેમ્બર 2022માં ઘટીને 1.13 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું. જે વાર્ષિક ધોરણે 32.6 ટકાનો ભારે-ભરખમ ઘટાડો દર્શાવે છે.
AMFIના આંકડા શું કહે છે
આ આંકડા પરથી સ્પષ્ટ રીતે ખબર પડે છે કે NBFC બેંકો પાસેથી ફંડ એકત્ર કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ બદલાતી પરિસ્થિતિમાં લાંબાગાળા માટે પોતાની કેપિટલને લોક કરવાથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. AMFIના આંકડા દર્શાવે છે કે મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ડેટ કેટેગરીમાં સંચાલિત સંપત્તિ ઝડપથી ઘટી છે. આવી સંપત્તિ ઓક્ટોબર 2022માં ઘટીને 12.45 લાખ કરોડ રૂપિયા પર આવી ગઇ છે. જે એક વર્ષ પહેલાની તુલનામાં 13 ટકા ઓછી છે.
MF ફિકસ્ડ ટર્મ પ્લાનની લોકપ્રિયતા ઘટી
કેર એજ અનુસાર, મ્યુચ્યુઅલ ફંડ્સ ફિકસ્ડ ટર્મ પ્લાન પોતાની લોકપ્રિયતા ગુમાવી રહ્યાં છે અને લિક્વિડ ફંડ્સથી દર ક્વાર્ટરમાં નિયમિત ઉપાડ જોવા મળી રહ્યો છે. ડેટ ફંડ્સમાંથી ઉપાડનું સૌથી મોટુ કારણ ઉંચા વ્યાજ દરોનો સમય પાછો ફરવાનું છે. વ્યાજ દરો વધવાથી ડેટ ફંડ પર નેગેટિવ અસર પડે છે. કારણ કે ડેટ સાધનોની ફેસ વેલ્યુમાં ઘટાડો આવે છે એટલે છેલ્લા કેટલાક મહિનાઓમાં રિઝર્વ બેંકના સતત વ્યાજ દરો વધારવાથી રોકાણકાર ડેટ ફંડના રિટર્નને લઇને ચિંતિત થઇ ગયા. વ્યાજ દરો જ્યારે વધે છે તો બોન્ડની કિંમતોમાં ઘટાડો આવે છે જેના કારણે રોકાણકારોને ડેટ સાધનોમાં નુકસાન થઇ શકે છે. આ આશંકાના કારણે રોકાણકાર ડેટ સાધનોમાંથી ઉપાડ કરવા લાગ્યા અથવા તો રોકાણ કરવાથી બચવા લાગ્યા. તેના બદલે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ અને બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ જેવા બીજા વિકલ્પ ઘણાં લોકપ્રિય થઇ ગયા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો