Money9: મોંઘા ઘરોની આજકાલ ખુબ ડિમાંડ છે. ગણતરીના દિવસોમાં હજારો મકાન વેચાઇ રહ્યાં છે. બીજીબાજુ સસ્તા ઘરોનો કોઇ ભાવ પણ નથી પૂછતું. આ સ્થિતિ એવા સમયે છે, જ્યારે મોંઘવારીને કાબૂમાં લેવા માટે રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કર્યો છે અને તેના કારણે હોમ લોન મોંઘી થઇ ગઇ છે. તો બીજી તરફ, મોટીથી લઇને નાની, એમ તમામ કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. સાથે જ પ્રોપર્ટીની કિંમત પણ સારીએવી વધી ગઇ છે. તેમ છતાં મોંઘા ઘરનું વેચાણ વધી રહ્યું છે.
તાજેતરનો કિસ્સો રિયલ એસ્ટેટ કંપની DLF સાથે જોડાયેલો છે… DLFએ ગુરુગ્રામ સ્થિત પોતાના હાઉસિંગ પ્રોજેક્ટ ‘ધ આર્બર’માં 3 દિવસની અંદર 1,137 લક્ઝરી એપાર્ટમેન્ટ વેચ્યા છે. દરેક ફ્લેટની કિંમત 7 કરોડ રૂપિયા કે તેથી વધુ છે. પ્રોજેક્ટનું ઔપચારિક વેચાણ શરુ થતા પહેલા જ કંપનીએ 8,000 કરોડ રૂપિયાનું રેકોર્ડ વેચાણ કર્યું છે. આ મોંઘા ઘરોની વધતી માંગને દર્શાવે છે..
ફક્ત ગુરુગ્રામમાં જ નહીં પરંતુ દેશના લગભગ તમામ મોટા શહેરોમાં વતાઓછા અંશે કંઇક આવી જ સ્થિતિ છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે દેશના 7 મોટા શહેરોમાં વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં અંદાજે 1 લાખ 14 હજાર મકાનોનું વેચાણ થયું છે. તેમાં અંદાજે 24 ટકા લક્ઝરી ઘર છે. આ એવા ઘર છે જેની કિંમત દોઢ કરોડ રૂપિયાની ઉપર છે. આ શહેરોમાં મુંબઇ મહાનગર ક્ષેત્ર, એનસીઆર, બેંગાલુરુ, પુણે, હૈદરાબાદ, ચેન્નઇ અને કોલકાતા સામેલ છે.
નજર નાંખીએ વર્ષ 2022 અને તેની અગાઉના આંકડાઓ પર..અને સમજીએ મોંઘા ઘરોની માંગને..વર્ષ 2019માં કુલ 2,61,360 મકાનનું વેચાણ થયું. જેમાં લક્ઝરી ઘરોની હિસ્સેદારી 7 ટકા રહી. વર્ષ 2020માં વેચાયેલા 1,38,350 ઘરોમાં તેનો હિસ્સો 6 ટકા હતો. જ્યારે વર્ષ 2021માં કુલ 2,36,520 મકાન વેચાયા. જેમાં લક્ઝરી ઘરોની હિસ્સેદારી 9 ટકા થઇ ગઇ છે. વર્ષ 2022માં 3,64,870 મકાનોના વેચાણમાં લક્ઝરી હાઉસિંગનો શેર 18 ટકા એટલે કે 65,676 રહ્યો..જેમાં મુંબઇ મહાનગર ક્ષેત્ર, NCR અને હૈદરાબાદમાં અંદાજે 50,100 મોંઘા ઘર વેચાયા…
લોકો મોંઘા ઘર કેમ ખરીદી રહ્યા છે? મોંઘવારી, વૈશ્વિક અનિશ્ચિતતા જેવી ચીજોની રિયલ એસ્ટેટ પર શું પડશે અસર, એ તો તમે જાણી લીધું. હવે આવીએ ભારતના રિયલ એસ્ટેટ બજાર પર. ભારતનું પ્રોપર્ટી બજાર હકીકતમાં સસ્તા મકાનોનું બજાર છે. આવી સ્થિતિમાં આ ઘરોનું ઓછું વેચાણ એ દર્શાવે છે કે સસ્તા ઘરો સામાન્ય માણસની પહોંચથી દૂર જઇ રહ્યા છે. સસ્તા ઘરો કેમ નથી વેચાઇ રહ્યા..તેની સ્થિતિ ક્યારે સુધરશે..ઘર ખરીદનારા માટે વર્ષ 2023 કેવું રહેશે…આવો જાણીએ
ઇનકમ વધવા ઉપરાંત બીજા ઘણાં પરિબળો છે જેના કારણે સુધીર જેવા લોકો લકઝરી ઘર ખરીદી રહ્યાં છે. જેમ કે સારી લાઇફસ્ટાઇલની ઇચ્છા, આધુનિક સુખ-સુવિધાઓ, સારુ લોકેશન, સેફ્ટી અને પ્રાઇવસી, કોવિડ દરમિયાન વ્યાજ દરોમાં ઘટાડો..જાણકારોનું કહેવું છે કે જો તમે રહેવા માટે ઘર ખરીદવા માંગો છો અને તેના માટે નાણાકીય રીતે તૈયાર છો, એટલે કે પર્યાપ્ત ડાઉન પેમેન્ટ છે અને તમને તમારી ઇનકમમાં નિશ્ચિતતા દેખાઇ રહી છે, તો ઘર ખરીદવાનો હાલ યોગ્ય સમય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો