Money9: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના શેરે આ વર્ષે ફેબ્રુઆરીમાં તેની 52 સપ્તાહની નીચલી સપાટીએથી અદભૂત રિકવરી કરી છે. 24 જાન્યુઆરી, 2023ના રોજ, હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના આક્ષેપોને પગલે અદાણી ગ્રૂપના અન્ય શેરો સાથે ડૂબી ગયેલો આ સ્ટોક 86%થી વધુ ઉછળ્યો છે. અદાણી પોર્ટ્સનો શેર આજે વધારા સાથે રૂ. 743 પર ટ્રેડ થઈ રહ્યો છે. તે તેના રૂ. 394.95ના 52 સપ્તાહના નીચા સ્તરેથી 86%થી વધુ રિકવરી દર્શાવે છે.
અદાણી પોર્ટ્સ 24 જાન્યુઆરી, 2023ના રોજ રૂ. 760.85 પર હતો, જે માત્ર સાત ટ્રેડિંગ સેશનમાં 48% ઘટ્યો હતો. 20 સપ્ટેમ્બર, 2022ના રોજ શેર રૂ. 987.90ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. અદાણી પોર્ટ્સનો સ્ટોક નજીકના ભવિષ્યમાં પણ તેજી ચાલુ રાખે તેવી શક્યતા છે.
વૈશ્વિક બ્રોકરેજ ફર્મ નોમુરાને આશા છે કે અદાણી પોર્ટ્સના શેર રૂ. 1,025 સુધી પહોંચશે. તે સ્ટોક પર ‘બાય’ રેટિંગ ધરાવે છે. નોમુરાએ જણાવ્યું હતું કે, “મેનેજમેંટે નાણાકીય વર્ષ 24 સુધીમાં દેવું ઘટાડવા અને લઘુત્તમ શેર ગીરવે રાખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને કંપની લોજિસ્ટિક્સ વોલ્યુમમાં મજબૂત વૃદ્ધિ જોઇ રહી છે. તે લોજિસ્ટિક્સમાં કન્ટેનર વોલ્યુમમાં 20-22 ટકાની મજબૂત વૃદ્ધિની અપેક્ષા રાખે છે.” જો કે, અદાણી પોર્ટ્સના સ્ટોક પર CLSAનો રૂ. 878નો લક્ષ્યાંક નોમુરાની સરખામણીમાં આશાવાદી નથી.
CLSA એ તેનો લક્ષ્યાંક રૂ. 792 થી સંશોધિત કરતાં કહ્યું છે કે કોર પોર્ટ અને લોજિસ્ટિક્સ EBITDA માં 35 ટકાની વૃદ્ધિ થઇ છે અને કંપનીએ અનેક એક્વિઝિશન પૂર્ણ કરીને બિઝનેસ પર તેની પકડ મજબૂત કરી છે. અન્ય બ્રોકરેજ ફર્મ ફિલિપ કેપિટલે તેનો લક્ષ્યાંક રૂ. 950થી સુધારીને રૂ. 930 કર્યો છે. તેણે સ્ટોક પર ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું છે.
(ડિસ્ક્લેમર: નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી ભલામણો, સૂચનો, મંતવ્યો અને અભિપ્રાયો તેમના પોતાના છે અને મની9ના નથી. અહીં આપેલી માહિતી માત્ર શેરના પ્રદર્શન વિશે છે, તે રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું એ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ જરૂર લો.)
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો