Money9: તાજેતરમાં નિફ્ટી 18,850ની નીચે સરકી ગયો હતો. પરંતુ નીચલા સ્તરેથી નિફ્ટીમાં ફરી રિકવરી પણ જોવા મળી છે. 26 ઓક્ટોબરના lowથી નિફ્ટીમાં અંદાજે પોણા 600 અંકોનો ઉછાળો આવી ચૂક્યો છે. અને 28 માર્ચના રોજ બનેલા 16,913.75ના નીચલા સ્તરેથી તો નિફ્ટીએ અંદાજે 2,500 અંકોની છલાંગ લગાવી છે. આવા સંજોગોમાં શું પસંદગીની કંપનીઓના શેરમાં સાવધાની રાખવી જોઇએ? જો હાં, તો શું હાઇ પીઇ એટલે કે વધુ પીઇ મલ્ટીપલવાળા શેરોથી વધારે સતર્ક રહેવું જોઇએ? અને જો કોઇના પોર્ટફોલિયોમાં આવા શેર છે તો તેણે શું કરવું જોઇએ?..આવો જાણીએ…
પહેલા તો એ સમજીએ કે PE મલ્ટીપલ શું હોય છે. PE મલ્ટીપલ એટલે કે પ્રાઇસ ટુ અર્નિગ્સ મલ્ટીપલ, જેને આપણે PE રેશિયોના નામથી પણ ઓળખીએ છીએ. PE મલ્ટીપલ આપણને બતાવે છે કે કોઇ કંપનીનો શેર કે કોઇ ઇન્ડેક્સ પોતાના EPS એટલે કે પ્રતિ શેર નફાની સરખામણીએ શેર બજારમાં કેટલા ગણા પર ટ્રેડ કરી રહ્યો છે. આને આપણે એ રીતે પણ સમજી શકીએ કે કોઇ એક ચોક્કસ પ્રતિ શેર નફો કમાનારી કંપનીના શેરને ખરીદવા માટે આપણે કેટલા ગણી વધુ કિંમત ચૂકવવા માટે તૈયાર છીએ.
ઉદાહરણ તરીકે જો કોઇ કંપનીનો EPS 10 રૂપિયા અને શેરનો ભાવ 100 રૂપિયા છે. તો તે કંપનીના શેરને ખરીદનારા લોકો 10 ગણો મલ્ટીપલ આપી રહ્યા છે. હવે હંમેશા વેલ્યૂએશન્સ જોઇને શેરમાં ખરીદ-વેચાણનો નિર્ણય કરનારા અરવિંદની નજર નિફ્ટી 50 ઇન્ડેક્સ અને નિફ્ટીની 50 કંપનીઓના PE મલ્ટીપલ પર અટકી ગઇ છે. આવું એટલા માટે કારણ કે નિફ્ટીના 50માંથી 29 શેરનો PE મલ્ટીપલ ઇન્ડેક્સ વધુ છે. તેમાંથી ટોપ 9 કંપનીઓનો PE મલ્ટીપલ 55 ગણાથી વધુ છે અને 2 કંપનીઓ એપોલો હોસ્પિટલ્સ અને અદાણી એન્ટરપ્રાઇઝિસ તો 100 ગણાથી પણ વધુના મલ્ટીપલ પર ટ્રેડ કરી રહી છે.
પરંતુ બીજા ક્વાર્ટરના પરિણામો બાદ વિદેશી બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેન્લીએ ઓવરરેટિંગ જાળવી રાખ્યું છે અને લક્ષ્ય વધારીને 6,101 રૂપિયા કરી દીધું છે. જ્યારે શેર 5,150 રૂપિયાની નજીક ટ્રેડ થઇ રહ્યો છે. એટલું જ નહીં, પ્રથમ ક્વાર્ટરના પરિણામો બાદ પણ એપોલો હોસ્પિટલ્સ પર બે બ્રોકેરેજ હાઉસ જેફરિઝ અને ગોલ્ડમેન શાક્સે લક્ષ્યમાં વધારો કર્યો હતો. આવી સ્થિતિમાં અરવિંદનું કન્ફ્યુઝ થવું સ્વાભાવિક છે. કન્ફ્યૂઝ એ વાતને લઇને જો કોઇ કંપનીનો PE મલ્ટીપલ પહેલેથી જ આટલો ઉંચો છે તો કોઇ બ્રોકર હાલના ભાવથી ઉપરનું લક્ષ્ય કેવી રીતે આપી શકે છે?
એટલે કે શું ઉંચા PEવાળા શેરોમાં પણ રોકાણ કરી શકાય છે? તો સ્વસ્તિકા ઇન્વેસ્ટમાર્ટના HoR સંતોષ મીણાનું માનવું છે કે કોઇ શેરમાં રોકાણ કરતી વખતે તેના PEની EPS ગ્રોથ સાથે પણ તુલના કરવી જોઇએ. PE અને EPS ગ્રોથના રેશિયોને આપણે પ્રાઇસ ટુ અર્નિગ્સ ગ્રોથ અથવા તો PEG રેશિયોના નામથી ઓળખીએ છીએ..આ રેશિયોને જોવો મહત્વનો છે કારણ કે સામાન્ય રીતે વધારે ગ્રોથવાળી કંપનીઓનો PE મલ્ટીપલ ઉંચો જ હોય છે. તેમણે એમ પણ જણાવ્યું કે એકથી ઓછાનો PEG રેશિયો સારો માનવામાં આવે છે. પરંતુ ભારત જેવી હાઇ ગ્રોથ ઇકોનોમીમાં એકથી ઓછા PEG રેશિયોવાળા સારા શેર મળવા ઘણાં મુશ્કેલ હોય છે.
હવે અરવિંદની પાસે આ ઉંચા PE મલ્ટીપલવાળા મોટાભાગના શેરમાં પોઝિશન ઉભી છે. કારણ કે તે દિગ્ગજ શેરોમાં જ રોકાણ કરવાનું પસંદ કરે છે. પરંતુ તેણે એ પણ સમજવું જોઇએ કો બાકી 21 કંપનીઓમાં શું કરવું જોઇએ. કારણ કે તે હંમેશા સસ્તા વેલ્યુએશનવાળા શેરો પર જ ફોક્સ કરતા આવ્યા છે. સસ્તા વેલ્યુએશનવાળા શેરોની વાત કરીએ તો 15થી નીચેના PE વાળા 9 શેર છે. જેનું નિફ્ટીથી ઓછું વેલ્યુએશન છે. તો હવે સૌથી મોટ સવાલ છે કે શું નિફ્ટીથી ઉંચા PEવાળા બધા શેરમાં સતર્ક રહેવું જોઇએ અને ઓછા PEવાળા શેર પર કેવી રણનીતિ બનાવવી?
સંતોષ મીણાનું માનવું છે કે છેલ્લા બે, ત્રણ કે ચાર ત્રિમાસિકગાળામાં ખરાબ પરિણામોના પગલે કોઇ શેરનો PE ઉંચો હોઇ શકે છે. જેમ કે એપોલો હોસ્પિટલનો કેસ પણ છે. અદાણી એન્ટરપ્રાઇઝ અને HDFC Lifeના શેર મોંઘા છે. ટાઇટનનો શેર મોંઘો છે પરંતુ 10 થી 12 ટકા વાર્ષિક રિટર્ન આપતું રહેશે. તો લાંબાગાળા માટે Airtelનું આઉટલુક પણ સારુ છે. ઓછા PEવાળા શેરોમાં BPCL, ટાટા મોટર્સ અને ઇન્ડસઇંડ બેંક આકર્ષક છે. જો કે ઇન્ડસઇંડ બેંક જેવા બેકિંગ શેરોની PBV એટલે કે પ્રાઇસ ટુ બુક વેલ્યૂના હિસાબે મૂલ્યાંકન કરવું જોઇએ. 6 મહિનાના દ્રષ્ટિકોણથી 20 થી 25 ટકા રિટર્નની આશા છે. પરંતુ 2 થી 3 વર્ષના દ્રષ્ટિકોણથી રોકાણ કરવું વધુ સારુ રહેશે.
તો અરવિંદના સવાલોના જવાબથી આપણને શિખવા મળે છે કે ભલે કોઇ કંપનીના શેરમાં રોકાણ કરતા પહેલા વેલ્યૂએશન જરૂર જોવું જોઇએ અને વધુ PE વાળી કંપનીઓના બધા શેરોમાં રોકાણ કરતા પહેલા સતર્ક પણ રહેવું જોઇએ. પરંતુ આનો અર્થ એ નથી કે PE મલ્ટીપલવાળો દરેક શેર ખરાબ હોય છે. PE મલ્ટીપલની સાથે-સાથે કોઇ કંપનીનો PEG રેશિયો પણ જોવાનું મહત્વનું હોય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો