Money9: જતીન અદાણી ગ્રૂપના શેરમાં પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યો છે…. પણ તે ખૂબ જ મૂંઝવણમાં છે… મૂંઝવણ એ છે કે અત્યારે આ શેર્સમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે કે બહાર નીકળવાનો?…હકીકતમાં જતિને અદાણી ગ્રુપ વિશે કેટલાક સમાચાર વાંચ્યા છે. અને તે IHCના નિર્ણયથી ખૂબ જ ચોંકી રહ્યો છે.
હકીકતમાં સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં, IHCએ અદાણી ગ્રીન અને અદાણી એનર્જી સોલ્યુશન્સમાંથી મોટુ નુકસાન કરીને એગ્ઝિટ કર્યું. છેવટે, વિદેશી રોકાણકારોને અદાણીના શેરમાં શું દેખાઇ રહ્યું છે? અને અદાણીની કઈ કંપનીમાં વધુ દમ છે? આવો જાણીએ..
ધડાધડ લોન લઈને કંપનીઓ ખરીદી રહેલા અદાણી ગ્રુપે 24 જાન્યુઆરીના રોજ જાહેર થયેલા હિંડનબર્ગ રિપોર્ટ બાદ તેનું ફોકસ બદલીને લોનની ચુકવણી પર ધ્યાન કેન્દ્રીય કર્યું. જૂન 2023માં આરબીઆઈને આપેલા પ્રેઝન્ટેશન મુજબ, ગ્રુપ પર 2,27,248 કરોડ રૂપિયાનું ગ્રોસ દેવું હતું. જો કે ગ્રૂપની પાસે 40,351 કરોડ રૂપિયાની રોકડ પણ હતી. એટલે કે 1,86,897 કરોડ રૂપિયાનું ચોખ્ખું દેવું હતું. પરંતુ જૂનના અંત સુધી રોકડનો આંકડો વધીને 42,115 કરોડ રૂપિયા થઇ ગયો કારણ કે જૂન ક્વાર્ટરમાં ગ્રુપે 23,532 કરોડ રૂપિયાનો રેકોર્ડ EBITDA એટલે કે ઓપરેટિંગ નફો નોંધાવ્યો હતો.
તો હિંડનબર્ગ રિપોર્ટ પછી ગ્રુપના શેરની સ્થિતિ શું છે? આવો પહેલા તેની પર નજર કરી લઇએ…
24 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, અદાણી ગ્રુપના 10 શેરોમાંથી માત્ર 2 જ શેર એવા છે તે સ્તરની ઉપર છે… તે પણ 3.5 થી 24 ટકા.. બાકીના આઠ શેર હજુ પણ 14 થી 85 ટકા ડાઉન છે.
ભલે 24મી જાન્યુઆરી બાદ સ્ટોકમાં ગાબડાને કારણે 1 વર્ષમાં ગ્રૂપની બધી કંપનીઓનું રિટર્ન નેગેટિવ છે..પરંતુ 5 વર્ષના સમયગાળામાં અદાણી ગ્રીન, અદાણી પાવર અને અદાણી એન્ટરપ્રાઇઝે 500થી માંડીને 2600 ટકા સુધીનું દમદાર રિટર્ન આપ્યું છે.
તો ગ્રુપના મોટાભાગના શેર 52 સપ્તાહના નીચલા સ્તરેથી રિકવર થઇ ચૂક્યા છે. અદાણી ગ્રીને સૌથી વધુ 340 ટકા અને અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સે નીચલી સપાટીએથી લગભગ બેથી અઢી ગણી રિકવરી કરી છે. જોકે, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસે 9 ઓક્ટોબરના રોજ 52 સપ્તાહની નવી નીચલી સપાટી નોંધાવી.
પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે, અદાણી ગ્રૂપે લોનની ચૂકવણી કરવાનું શરૂ કર્યું…. કારણ કે હિંડનબર્ગ રિપોર્ટમાં, ગ્રૂપ કંપનીઓમાં પ્રમોટરો દ્વારા ગીરવે રાખેલો હિસ્સો મુખ્ય ચિંતાનો વિષય હતો…. ગીરવે મૂકેલા શેરના રિડમ્પશનની પ્રક્રિયા રિપોર્ટ જાહેર થયાના 2 સપ્તાહની અંદર જ શરૂ થઇ ગઇ હતી અને જૂન 2023 સુધી ચાલુ રહ્યો, જે હેઠળ 2.65 અબજ ડોલરની લોન ચૂકવવામાં આવી.
નવી લોન લેવી ન પડે તે માટે, ગ્રૂપે ઘણી કંપનીઓ ખરીદવાની યોજનામાંથી પીછેહઠ કરી છે. ફેબ્રુઆરી 2023માં, અદાણી પાવરે DB પાવરને રૂ. 7,017 કરોડમાં ખરીદવાનો સોદો રદ કર્યો. સાથે જ જૂન 2023માં પણ, અદાણી એન્ટરપ્રાઇઝે 37.5 કરોડ ડોલરમાં મેક્વેરી ગ્રૂપની 2 રોડ એસેટ્સને ખરીદવાની ડીલમાંથી પોતાને પાછી ખેંચી લીધી. આ ઉપરાંત, મૂડી ખર્ચને રોકવા માટે, જૂથે ક્ષમતા વિસ્તરણ સંબંધિત ઘણા પ્રોજેક્ટ્સમાંથી પોતાના હાથ પાછા ખેંચી લીધા..ફેબ્રુઆરી 2023 માં, અદાણી ગ્રીને FY24 માટે 10,000 કરોડ રૂપિયાની ક્ષમતા વિસ્તરણ યોજનાને રિવ્યૂમાં નાંખી દીધી. માર્ચ 2023 માં, મુન્ધ્રા ગ્રીન પીવીસી પ્લાન્ટમાં બાંધકામ પ્રવૃત્તિઓને 6 મહિના માટે હોલ્ડ પર મૂકી દેવામાં આવી.
જો કે, આ સમયગાળા દરમિયાન, વિદેશી રોકાણકારોએ ગ્રુપ કંપનીઓમાં હિસ્સો ખરીદ્યો છે…યુએસ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સે 5 ગ્રુપ કંપનીઓમાં રૂ. 38,700 કરોડથી વધુનું રોકાણ કર્યું છે….જેમાં અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન એટલે કે અદાણી એનર્જી, અદાણી એન્ટપ્રાઇઝિસ અને અદાણી પાવરનો સમાવેશ થાય છે. ઓગસ્ટમાં કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી એટલે કે QIA એ અદાણી ગ્રીનમાં 2.7 ટકા હિસ્સો 3,919 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તાજેતરમાં અબુ ધાબીની ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની એટલે કે IHCએ અદાણી એન્ટરપ્રાઇઝિસમાં પોતાનો હિસ્સો વધારીને 5.04 ટકા કર્યો. પરંતુ જતિનના મનમાં મોટો પ્રશ્ન એ છે કે વિદેશી રોકાણકારોને અદાણીના શેરમાં શું દેખાઇ રહ્યું છે? અને કઈ કંપનીમાં સૌથી વધુ દમ છે?
મંત્રી ફિનમાર્ટના ફાઉન્ડર અરુણ મંત્રી માને છે કે, “મોટા ભાગના વિદેશી બ્રોકર્સ અદાણી ટ્રાન્સમિશન, ગ્રીન અને વિલ્મર પર ન્યૂટ્રલ અથવા મંદીવાળા છે. કારણ કે બજારમાં નવી ઊંચાઈએ પહોંચવા છતાં, આ શેરોએ તેજીમાં ભાગ લીધો ન હતો. આ ગ્રુપમાં અદાણી પોર્ટ્સ સૌથી મજબૂત સ્ટોક છે જેમાં 1 વર્ષમાં 950 થી 1,000 સુધીનું ટાર્ગેટ શક્ય છે. બીજા નંબરે અંબુજા સિમેન્ટ છે જેમાં 20 થી 25 ટકા રિટર્ન શક્ય છે. અને ઘટાડામાં અદાણી પાવરમાં પણ રોકાણ કરી શકાય છે. આ ત્રણેય કંપનીઓના વેલ્યુએશન સારા છે અને બિઝનેસ મોડલ એકદમ મજબૂત છે.
કુલ મળીને અદાણી ગ્રૂપના મોટા ભાગના શેર 24મી જાન્યુઆરીના સ્તરથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. અને વિદેશી રોકાણકારો પણ મોટાભાગના શેર્સ પર બુલિશ નથી. તેથી, અદાણી ગ્રૂપના પસંદગીના શેર્સમાં ઓછામાં ઓછા એક વર્ષના દ્રષ્ટિકોણથી જ રોકાણ કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો