MONEY9: રિટાયરમેન્ટ બાદ અત્યાર સુધી નેશનલ પેન્શન સ્કીમના સબ્સ્ક્રાઇબરને એન્યુઇટી ખરીદવા માટે બે ફોર્મ ભરવા પડતા હતા. પહેલા પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે PFRDAની પાસે એક્ઝિટ ફોર્મ સબમિટ કરવું પડતું હતું અને પછી વીમા કંપનીઓને એક પ્રપોઝલ ફૉર્મ પણ સબમિટ કરવાનું રહેતું હતું. PFRDAની પાસે જમા કરવા પડતા એક્ઝિટ ફોર્મમાં સભ્યની બધી ડિટેલ જેવી કે ક્યારે શરૂ કર્યું રોકાણ, કેટલા વર્ષ સુધી ચાલ્યું અને ક્યારથી તે એન્યુઇટી મેળવવા માંગે છે, વગેરે જાણકારીઓને વીમા કંપનીઓના પ્રપોઝલ ફોર્મમાં પણ ભરવાની થતી હતી.
બન્ને ફોર્મમાં એક જ સરખી જાણકારી આપવી પડતી હતી, એટલે એક્ઝિટ ફોર્મ ભર્યા બાદ અલગથી પ્રપોઝલ ફોર્મ ભરવાનો કોઇ અર્થ રહેતો નહોતો. એટલે હવે આને ડિસકન્ટિન્યૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વીમા નિયામક IRDAI એ પોતાના સર્ક્યુલરમાં કહ્યું છે– “સીનિયર સિટિઝન્સના જીવનને વધારે સરળ બનાવવા માટે IRDAIએ એનપીએસના ફંડમાંથી એન્યુઇટી ખરીદવા માટે અલગથી પ્રપોઝલ ફોર્મ સબમિટ કરવાની જરૂરિયાતને જ સમાપ્ત કરી દીધી છે.”
હવે PFRDA માં જમા કરવામાં આવતા એક્ઝિટ ફોર્મને જ વીમા કંપનીઓ એન્યુઇટી ખરીદવાનું પ્રપોઝલ ફોર્મ પણ માનશે. PFRDA થી ઓથોરાઇઝ્ડ વીમા કંપનીઓ એન્યુઇટી આપે છે અને વીમા નિયામક IRDAI વીમા કંપનીઓની આ પ્રોસેસ પર નજર રાખે છે. NPS ના મેચ્યોર થવા પર ઓછામાં ઓછો 40 ટકા હિસ્સો એન્યુઇટી ખરીદવામાં લગાવવો જરૂરી છે. જેના બદલે દર મહિને પેન્શન આપવામાં આવે છે. બાકી 60 ટકા રકમ રિટાયરમેન્ટ બાદ એકસાથે કાઢી શકાય છે. NPSમાં બીજો ફેરફાર એ થયો છે કે પેન્શનર્સ હવે લાઇફ સર્ટિફિકેટ ઑનલાઇન જમા કરી શકશે.
ઇન્સ્યોરન્સ કંપનીઓ લાઇફ સર્ટિફિકેટ વેરિફિકેશન માટે આધાર આધારિત પ્રમાણીકરણ જેવું કે જીવન પ્રમાણને સ્વીકાર કરશે. જીવન પ્રમાણ ભારત સરકાર તરફથી સંચાલિત પ્રોગ્રામ છે જેને પેન્શનર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને વર્ષ 2014માં શરૂ કરવામાં આવ્યો હતો. આ પેન્શનર્સ માટે બાયોમેટ્રિક ઇનેબલ્ડ ડિજિટલ સર્વિસ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો