દેશમાં ઈલેક્ટ્રિક કાર (ELECTRIC CAR)નું વેચાણે હજુ પણ જોઇએ તેવી સ્પીડ પકડી નથી…. તમે આ વાતનો અંદાજો તે હકીકતથી લગાવી શકો છો કે ફેબ્રુઆરી 2024માં ઈલેક્ટ્રિક કારનું વેચાણ 5 મહિનાના નીચા સ્તરે આવી ગયું હતું, આની સામે 2023માં 90 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી હતી … આ આંકડાઓ જોતા, એવું લાગે છે કે ભારતને ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ સ્વિચ કરવામાં લાંબો સમય લાગશે. …. તો શા માટે ઈલેક્ટ્રિક કારનું વેચાણ ધીમું પડી રહ્યું છે? વેચાણ વધારવા માટે સરકાર અને કંપનીઓ શું પગલાં લઈ રહી છે? આ ક્ષેત્રમાં રોકાણની વ્યૂહરચના કેવી રીતે તૈયાર કરવી જોઈએ? ચાલો સમજીએ…
સરકારના વ્હિકલ પોર્ટલના ડેટા દર્શાવે છે કે ફેબ્રુઆરી 2024માં દેશમાં કુલ 7,277 ઈલેક્ટ્રિક કાર વેચાઈ હતી, જે ઑક્ટોબર 2023 પછીની સૌથી ઓછી છે… આમ છતાં, દેશની ટોચની ત્રણ ઇલેક્ટ્રિક કાર કંપનીઓ, ટાટા મોટર્સ, M&M, અને MG એ તેમની કિંમતો ઘટાડી છે… Tata Motors એ Tiago અને Nexon EV ની કિંમતોમાં 70,000 થી 1,20,000 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે.. MG એ કોમેટની કિંમત 1 લાખ રૂપિયાથી ઘટાડીને 7 લાખ રૂપિયા કરી છે. M&Mએ વધુ ફીચર્સ સાથે 2 નવા વેરિઅન્ટ્સ લોન્ચ કર્યા છે અને તે પણ ભાવ ઘટાડા સાથે. કિંમતોમાં ઘટાડો થયો હોવા છતાં, વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે કારણ કે ભાવમાં ઘટાડો ગ્રાહકોને EV તરફ વાળવા માટે અપૂરતો છે.
એટલું જ નહીં, એપ્રિલથી EVના વેચાણમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે કારણ કે સરકાર દ્વારા FAME-2 સ્કીમ હેઠળ આપવામાં આવતી સબસિડી પૂરી થવામાં હવે થોડા દિવસો જ બાકી છે… આ સબસિડી ખાસ કરીને કમર્શિયલ વ્હિકલને લાગુ પડે છે જે EVના કુલ વેચાણમાં મોટો હિસ્સો ધરાવે છે… એક અહેવાલ મુજબ, ઘટતા વેચાણને ધ્યાનમાં રાખીને, ટાટા મોટર્સે એપ્રિલ અને મેમાં ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય કર્યો છે…. આ મહિને, કંપની 2200-2500 EVsનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે, જે 4-5 મહિના પહેલાના 4500 યુનિટના ટોચના ઉત્પાદનનો લગભગ અડધો ભાગ છે.
હવે જોઈએ કે સરકાર આ મામલે શું કરી રહી છે?
FAME-2 સ્કીમ હેઠળ આપવામાં આવતી સબસિડી 31 માર્ચ, 2024 ના રોજ પૂરી થઈ રહી છે… પરંતુ ઇલેક્ટ્રિક ટુ અને થ્રી-વ્હીલરના વેચાણને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક નવી સ્કીમ જાહેર કરી છે…. આ સ્કીમ એપ્રિલથી જુલાઇ 2024 સુધી અમલી રહેશે અને સરકાર 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.. વધુમાં, સરકારે વિદેશી રોકાણને આકર્ષવા, અને ટેસ્લાના ભારત પ્રવેશને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે સ્થાનિક EV ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે એક યોજના પણ શરૂ કરી છે…
જે કંપનીઓ $500 મિલિયન અથવા ₹4150 કરોડથી વધુનું રોકાણ કરવા અને 3 વર્ષમાં મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે તેમના માટે પસંદગીની EVs પર આયાત કર ઘટાડવાની સરકારની યોજના છે. જે કંપનીઓ આ શરતોને પૂર્ણ કરે છે તેઓને ઓછામાં ઓછા $35,000ની કિંમતવાળા વાહનો પર પ્રથમ 5 વર્ષમાં માત્ર 15ટકા કસ્ટમ ડ્યુટી લાગશે. જો કે, ટાટા મોટર્સ અને M&M જેવી કંપનીઓએ આ શરતો અંગે ચિંતા વ્યક્ત કરી છે.
સ્થાનિક કંપનીઓ વેચાણ ઘટવાથી પહેલેથી જ ચિંતિત છે… કદાચ તેથી જ EV સેગમેન્ટમાં 70 ટકા કરતાં વધુ બજાર હિસ્સો ધરાવતી ટાટા મોટર્સે પ્રથમ વખત EVની કિંમતો ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જો કે, કંપનીએ આ કટ પાછળનું કારણ ખર્ચમાં ઘટાડો દર્શાવ્યો છે, કારણ કે બેટરી સેલના ભાવમાં ઘટાડો થયો છે, જે નજીકના ભવિષ્યમાં વધુ ઘટવાની ધારણા છે.
2023ના ઊંચા બેઝ ઉપરાંત, 2024માં EV વેચાણમાં ઘટાડાનું બીજું કારણ હાઇબ્રિડ વાહનો છે. આ વાહનોની વિશ્વસનીયતા, પોસાય તેવી કિંમતો અને ઓછા જાળવણી ખર્ચને કારણે તેમની લોકપ્રિયતા વધી રહી છે. બીજી તરફ, EVs મર્યાદિત શ્રેણી, અપૂરતું ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊંચા વીમા ખર્ચ જેવા પડકારોનો સામનો કરી રહી છે… હકીકતમાં, લોકો ફુલ ઈલેક્ટ્રિક વ્હિકલ ખરીદતા પહેલા પેટ્રોલ-ડીઝલ અને ઈલેક્ટ્રિક કારના મિક્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેથી તેઓ વૈકલ્પિક ઈંધણથી પણ ગાડી ચલાવી શકે. … કદાચ તેથી જ ઓટો કંપનીઓએ 2023માં 51 નવા હાઈબ્રિડ મોડલની સરખામણીમાં માત્ર 29 EV મોડલ લૉન્ચ કર્યા હતા… 2023 દરમિયાન, PV વેચાણમાં હાઈબ્રિડ વાહનોનો હિસ્સો લગભગ 12 ટકા હતો, જ્યારે EVએ માત્ર 2.3ટકા ટકા હિસ્સો નોંધાવ્યો હતો. હાલમાં, ટોયોટા 78ટકા માર્કેટ શેર સાથે હાઇબ્રિડ વાહન માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે, મારુતિ પાસે 20ટકા અને હોન્ડા પાસે 2ટકા માર્કેટ શેર છે.
મોટો પ્રશ્ન એ છે કે આ સેગમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવી?
શેરબજારના નિષ્ણાત અંબરીશ બલિગાના જણાવ્યા અનુસાર, કિંમત અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજુ પણ ઈવી માટે મુખ્ય પડકારો છે, જ્યારે હાઈબ્રિડ વાહનોનું વેચાણ ચાલુ રહેવાની અપેક્ષા છે… મારુતિની વ્યૂહરચના સ્પષ્ટ છે કે તે FY25 પછી EV સેગમેન્ટમાં પ્રવેશ કરશે, જ્યારે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થવાની અપેક્ષા છે… જો કે, તેઓ હાઈબ્રિડ વાહનો માટે ટોયોટા સાથે જોડાણ ધરાવે છે…. 12-15 મહિનાના પરિપ્રેક્ષ્યમાં, મારુતિમાં ₹14,800ના ટાર્ગેટ સાથે અને સંવર્ધન મધરસનમાં રૂ. 180ના ટાર્ગેટ સાથે રોકાણ કરી શકાય છે.
એકંદરે, દેશમાં ઈવી માર્કેટને સંપૂર્ણ પરિપક્વ થવામાં લગભગ 3-4 વર્ષ લાગશે… જ્યારે કિંમતોમાં ઘટાડો, સર્વિસ ચાર્જ, વીમા ખર્ચ અને ચાર્જિંગ સમય તેમજ ખર્ચમાં ઘટાડો અપેક્ષિત છે… આવા સંજોગોમાં, એવી ઓટો કંપનીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જે હાઇબ્રિડ વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમને ઘટકો સપ્લાય કરે છે.
ક્યા શેરમાં કરવું રોકાણ, ક્યા સ્ટોક વેચી મારવા અને ક્યા સ્ટોક હોલ્ડ કરવા, મેળવો માર્ગદર્શન મની9 એપ પર. મળશે તમારા દરેક સવાલના જવાબ મની9 એપ પર. અત્યારે જ ડાઉનલોડ કરો મની9 એપ.
https://play.google.com/store/apps/details?id=com.apps.tv9live.money9&hl=en_IN&gl=US
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો