Money9: આજકાલ લોકોના 4 કે 5 બેંક એકાઉન્ટ હોવા નોર્મલ વાત થઇ ગઇ છે..આવી સ્થિતિમાં તમામ એકાઉન્ટ પર ધ્યાન રાખવાનું મુશ્કેલ થઇ જાય છે. આ મુશ્કેલીને કારણે કેટલાક એકાઉન્ટ ધ્યાનમાં નથી આવતા. 12-15 વર્ષ વીતી જાય છે ત્યારે જુના કબાટમાંમાં કોઇ કાગળ શોધતી વખતે, પાસબુક મળી આવે ત્યારે આપણને ભાન થાય છે..આ જ રીતે, ઘણા લોકોને પરિવારના કોઈ સભ્યના મૃત્યુ બાદ તેના બેંક ખાતા વિશે ખબર પડે છે. જેમાં લાખો રૂપિયા જમા હોઇ શકે છે. સવાલ એ થાય છે કે આ પૈસાને કેવી રીતે અને ક્યાંથી પાછા મેળવી શકાય? તે પહેલા આપણે જાણી લઇએ કે આ પૈસાને શું કહેવાય અને આ પ્રકારના કેટલા પૈસા બેંકોમાં પડ્યા છે?
બેંકના એવા સેવિંગ્સ અથવા કરન્ટ એકાઉન્ટ, જેમાં 10 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન એટલે લેવડદેવડ નથી થઇ અથવા એવી ટર્મ ડિપોઝિટ એટલે કે ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ, જેમાં મેચ્યોરિટીની તારીખથી 10 વર્ષની અંદર ક્લેમ નથી કરવામાં આવ્યો. આવા ખાતાને અનક્લેમ્ડ ડિપોઝિટની કેટેગરીમાં રાખવામાં આવે છે. 10 વર્ષ કે તેથી વધુ સમયથી ઓપરેટ ન થતા હોય તેવા ખાતામાં રહેલા પૈસાને બેંક રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના ડિપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ એટલે કે DEA ફંડમાં જમા કરી દે છે.
તાજેતરના સરકારી ડેટા અનુસાર, પબ્લિક સેક્ટર એટલે કે સરકારી બેંકોએ ફેબ્રુઆરી 2023 સુધીમાં લગભગ 35,000 કરોડ રૂપિયાની અનક્લેમ્ડ ડિપોઝિટ એટલે કે દાવા વગરની થાપણો રિઝર્વ બેંકમાં ટ્રાન્સફર કરી છે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા 8,086 કરોડ રૂપિયાની દાવા વગરની થાપણો સાથે ટોચ પર હતી. પંજાબ નેશનલ બેંકમાં આ આંકડો 5,340 કરોડ, કેનેરા બેંકમાં રૂ. 4,558 કરોડ અને બેન્ક ઓફ બરોડામાં 3,904 કરોડ રૂપિયા હતો.
દાવા વગરના નાણાને શોધી કાઢવાની પ્રક્રિયા હવે બહુ મુશ્કેલ નથી રહી. રિઝર્વ બેંકની માર્ગદર્શિકા મુજબ, દરેક બેંકે તેની વેબસાઇટ પર અનક્લેમ્ડ ડિપોઝિટની માહિતી શેર કરવી જરૂરી છે. શું બેંકની પાસે તમારા કોઇ દાવા વગરના પૈસા પડ્યા છે,..તે શોધવા માટે તમારે ફક્ત ખાતાધારકનું નામ અને કેટલીક અન્ય માહિતીઓ જેવી કે સરનામું, પિન કોડ અથવા ફોન નંબર ટાઈપ કરવાની રહેશે..આનાથી તમને તમારી અનક્લેમ્ડ ડિપોઝિટની માહિતી મળી જશે.
દાવા વગરની રકમને ડિપોઝિટર્સ સુધી પહોંચાડવા માટે રિઝર્વ બેંકે તાજેતરમાં જ એક કેન્દ્રીય વ્યવસ્થા શરૂ કરી છે..જેનું નામ ‘ઉદગમ’ પોર્ટલ છે… આની મદદથી તમે એક જ જગ્યાએ ઘણી બેંકોમાં પડેલી પોતાની અનક્લેમ્ડ રકમને શોધી શકો છો. આ માટે તમારે પોર્ટલ પર ફોન નંબર, નામ જેવી વિગતો દાખલ કરીને નોંધણી કરાવવી પડશે. અત્યાર સુધીમાં 30 બેંકો ઉદગમ પોર્ટલ સાથે જોડાઈ ચુકી છે. આમાં SBI, PNB, બેંક ઓફ બરોડા જેવી સરકારી બેંકો.. HDFC, ICICI, Axis Bank જેવી ખાનગી બેંક અને Citibank, Standard Chartered અને HSBC જેવી વિદેશી બેંકોનો સમાવેશ થાય છે.
જો અનક્લેમ્ડ એકાઉન્ટની યાદીમાં તમારુ નામ છે, તો તમારે હોમ બ્રાન્ચનો સંપર્ક કરવો પડશે અને ક્લેમ ફોર્મ ભરવું પડશે. આ સાથે ડિપોઝિટ સ્લિપ અને KYC સાથે સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા પડશે. જો ગ્રાહક ઈચ્છે ખાતાને ફરી ચાલુ કરાવી શકે છે કે પછી ક્લેમ એમાઉન્ટ ઉપાડીને ખાતું બંધ કરાવી શકે છે. જો ખાતાધારકનું મૃત્યુ થયું હોય, તો તે કિસ્સામાં કાયદેસરના વારસદાર અથવા નોમિનીએ ખાતાધારકનું મૃત્યુ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. પેમેન્ટ કરતા પહેલા બેંકો ક્લેમની ઓથેન્ટિસિટી એટલે કે સત્યતા તપાસશે… જો દાવો સાચો જણાશે, તો તમને પૈસા મળી જશે.
જો તમારા પણ કોઇ જુના બેંક એકાઉન્ટમાં કોઇ પૈસા પડ્યા છે તો બેંકની વેબસાઈટ અથવા ઉદગમ પોર્ટલ પર ચેક કરી શકો છો કે તમારા પૈસા અનક્લેમ્ડ ડિપોઝિટ છે કે નહીં… જો તે અનક્લેમ્ડ ડિપોઝિટ નથી તો તમે બેંક સાથે સીધી વાત કરીને એકાઉન્ટ બંધ કરીને પૈસા પાછા લઇ શકો છો અથવા એકાઉન્ટને ફરીથી ચાલુ કરાવી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો