બજેટ-2024 બાદ RBIની આ પહેલી પૉલિસી બેઠક છે. હોમ લોન લેનારાને આશા હતી કે, વ્યાજના દરમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ RBIએ વ્યાજના દર યથાવત્ રાખીને આશા પર પાણી ફેરવી દીધું છે.
8 ફેબ્રુઆરીએ મળેલી રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં વ્યાજના દર યથાવત્ રાખવામાં આવ્યા છે. રેપો રેટ 6.5 ટકાના દરે જાળવી રાખવામાં આવ્યો છે. RBIએ નાણાકીય વર્ષ 2024-25 માટે 7 ટકા GDP ગ્રોથનો અંદાજ વ્યક્ત કર્યો છે. ફુગાવો 4.5 ટકા રહેવાનો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. સતત છઠ્ઠી બેઠકમાં RBIએ રેપો રેટ યથાવત્ રાખ્યા છે.
બજેટ-2024 બાદ RBIની આ પહેલી પૉલિસી બેઠક છે. હોમ લોન લેનારાને આશા હતી કે, વ્યાજના દરમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ RBIએ વ્યાજના દર યથાવત્ રાખીને આશા પર પાણી ફેરવી દીધું છે. RBIને હજુ પણ ફુગાવાની ચિંતા સતાવે છે અને એટલા માટે વ્યાજના દર 6.5 ટકાએ યથાવત્ રાખવામાં આવ્યા છે.
છૂટક મોંઘવારીના દર અંગે RBIએ રાહતના સંકેત આપ્યા છે.
નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વાર્ટરમાં ફુગાવો 5 ટકા રહેવાની, બીજા ક્વાર્ટરમાં 4 ટકા રહેવાની, ત્રીજા ક્વાર્ટરમાં 4.6 ટકા રહેવાની અને ચોથા ક્વાર્ટરમાં 4.7 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
RBIના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું છે કે, સપ્લાયના મોરચે કોઈ આંચકા ના આવે તેના પર અમારી નજર રહેશે. હેડલાઈન ઈન્ફ્લેશન ઊંચા સ્તરે જળવાઈ રહ્યો છે અને ચાલુ વર્ષે તેમાં તીવ્ર વોલેટાલિટી જોવા મળી છે. હજુ સુધી 4 ટકા CPI ઈન્ફ્લેશન (છૂટક મોંઘવારી દર)નો ટાર્ગેટ હાંસલ થઈ શક્યો નથી.
Published - February 8, 2024, 10:46 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો