Money9: ગણેશ 60 વર્ષની ઉંમર સુધી કામ કર્યા પછી નિવૃત્ત થયો છે… જો તેની પાસે નોકરી હોત તો પૈસાનું કોઈ ટેન્શન ન હતું…પણ હવે કમાણી બંધ થઈ ગઈ છે… ગણેશ નિવૃત્તિ પર મળેલા પૈસાનું એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં રિટર્ન ફિક્સ હોય પૈસા સેફ રહે અને નિયમિત કમાણી થતી રહે. ગણેશ જેવા વરિષ્ઠ નાગરિકો માટે રોકાણની આવી તકો દુર્લભ છે…પ્રધાનમંત્રી વય વંદના યોજના હતી, જે 31 માર્ચ 2023ના રોજ બંધ થઈ ગઈ છે. જો તમે પણ ગણેશ જેવા વરિષ્ઠ નાગરિક છો, તો એક એવી યોજના છે જે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આ છે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ…આવો જાણીએ તેના વિશે.
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ એટલે કે SCSS વરિષ્ઠ નાગરિકોને ચિંતામુક્ત રોકાણની સાથે સારું રિટર્ન આપે છે. સરકારના બેકિંગ સાથે આવતી આ સ્કીમ જમા થયેલી રકમની સુરક્ષાની ગેરંટી છે. હાલ તેમાં 8.2 ટકા વ્યાજ મળી રહ્યું છે. જે ઘણી મોટી બેંકોની ફિક્સ્ડ ડિપોઝીટ કરતા વધારે છે. નાણા મંત્રાલય દર ત્રિમાસિક ગાળામાં વ્યાજ દરની સમીક્ષા કરે છે. જો કે, એકવાર રોકાણ કરવામાં આવે તો, વ્યાજ દર સમગ્ર ટેન્યોર દરમિયાન સમાન રહે છે.
હવે એ જાણી લઇએ કે SCSS કોણ ખોલી શકે છે ખાતું?
કોઈપણ વ્યક્તિ જેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે તે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં ખાતું ખોલાવી શકે છે. જે લોકોની ઉંમર 55 વર્ષથી વધુ છે પરંતુ 60 વર્ષથી ઓછી છે અને તેઓ નિવૃત્ત થયા છે અથવા VRS લીધું છે તેઓ પણ ખાતું ખોલી શકે છે. ડિફેન્સ સર્વિસિઝ એટલે કે સંરક્ષણ ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓ અમુક ખાસ શરતોને આધીન 50 વર્ષની ઉંમરે ખાતું ખોલાવી શકે છે… ખાતું 5 વર્ષ માટે ખોલવામાં આવે છે… જે વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે…પેનલ્ટી એટલે કે દંડની સાથે 5 વર્ષ પહેલા પણ પૈસા પૈસા કાઢી શકાય છે.
કેટલું રોકાણ કરી શકાય તેની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણની મર્યાદા વધારવામાં આવી હતી. આ કારણે લોકોનો રસ ઘણો વધી ગયો છે… હવે આ સ્કીમમાં તમે 15 લાખને બદલે 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો… ઓછામાં ઓછા 1,000 રૂપિયા જમા કરાવી શકો છો… મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરના ફેરફાર બાદ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છમાસિક ગાળામાં એટલે કે એપ્રિલ થી સપ્ટેમ્બર દરમિયાન આ યોજના દ્વારા સરકારી તિજોરીમાં 1 લાખ કરોડ રૂપિયા આવ્યા છે, જે નાણાકીય વર્ષ 2022-23માં એકત્ર કરાયેલા 40 હજાર કરોડ રૂપિયા કરતાં અઢી ગણા વધુ છે.
આ સ્કીમમાં, ત્રિમાસિક ધોરણે વ્યાજ ચૂકવવામાં આવે છે… ઉદાહરણ તરીકે, જો ગણેશ રૂ. 30 લાખનું રોકાણ કરે છે, તો તેને દર ક્વાર્ટરમાં એટલે કે ત્રણ મહિને 8.2 ટકાના દરે 61,500 રૂપિયા મળશે. જ્યારે વાર્ષિક 2 લાખ 46 હજાર રૂપિયા મળશે. જો મહિનાનો હિસાબ લગાવીએ તો 20,500 રૂપિયા થશે… જો તમે દર ત્રણ મહિને મળતા પૈસા નહીં લો તો તમને વ્યાજ નહીં મળે.
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં જમા કરાયેલી રકમ પરનું વ્યાજ જો નાણાકીય વર્ષમાં રૂ. 50 હજારથી વધુ હશે તો TDS એટલે કે ટેક્સ કાપવામાં આવશે…30 લાખની રકમ પર વ્યાજ તરીકે એક વર્ષમાં રૂ. 2 લાખ 46 હજાર મળશે, જે 50 હજારથી વધુ છે. તેથી, વ્યાજની રકમ પર ટેક્સ ચૂકવવો પડશે. જો વરિષ્ઠ નાગરિકની આ સ્કીમ ઉપરાંત કોઇ બીજી કમાણી નથી તો તે રિફંડનો દાવો કરી શકે છે. વરિષ્ઠ માટે બેઝિક એગ્ઝેમ્પશન લિમિટ 3 લાખ રૂપિયા છે.
જો, ગણેશની જેમ, તમે પણ જોખમ વિના સારું રિટર્ન મેળવવા માંગછો તો સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ એક સારો વિકલ્પ છે. આના માટે, તમે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો. જો તમે ઇચ્છો તો નાની બેંકોની ફિક્સ ડિપોઝિટ FDમાં પણ રોકાણ કરી શકો છો. આ બેંકો FD પર 9 ટકા સુધીનું રિટર્ન ઓફર કરી રહી છે. જેમ કે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક સીનિયર સિટિઝનને 444 દિવસની FD પર વાર્ષિક 9 ટકા, ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક 12 મહિના અને 560 દિવસની FD પર 8.75 ટકા વ્યાજ અને RBL બેંક 15 મહિનાથી લઇને 24 મહિનાથી ઓછા સમયની FD પર 8.30 ટકા વ્યાજ આપી રહી છે. નાની બેંકોની તુલના સીનિયર સીટીઝન સ્કીમ સાથે કરવામાં આવે તો તેની એફડી પર જરૂર વધારે વ્યાજ મળી રહ્યું છે પરંતુ મોટી કોમર્શિયલ બેંકના વ્યાજની સરખામણી કરીએ તો તેનું વ્યાજ તો સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમના વ્યાજથી ઓછું જ છે. તો જો તમે સીનિયર સિટિઝન છો અને એક સુરક્ષિત રોકાણ કરવા માંગો છો તો સિનિયર સિટિઝન સ્કીમને એક વાર જરૂર જોઇ લેજો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો