Money9: યુવા રોકાણકાર સાગરે હાલમાં જ રોકાણ કરવાનું શરૂ કર્યું છે. હવે તે મની9 જેવા મીડિયા પ્લેટફોર્મ પર જેટલા એક્સપર્ટને સાંભળે છે તો તેનો બે શબ્દોથી વારંવાર સામનો થાય છે…અને તે છે એસેટ એલોકેશન અને ડાયવર્સિફિકેશન..જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો આ શબ્દોને સારીરીતે સમજી લો. જેનાથી તમને લોંગ ટર્મમાં high return generate કરનારો પોર્ટફોલિયો તૈયાર કરવામાં મદદ મળશે.
પહેલા સમજીએ કે એસેટ એલોકેશન શું હોય છે? એસેટ એલોકેશન એટલે કે એસેટ ફાળવણીનો અર્થ એ છે કે તમે તમારી risk profile અને goal અનુસાર એસેટ પસંદ કરો અને તેમાં રોકાણ કરો. એસેટ ફાળવણીનો અર્થ છે કોઇ પોર્ટફોલિયોને અલગ અલગ એસેટમાં વહેંચવો. જેમ કે ઇક્વિટી ફંડ, ડેટ ફંડ, ગોલ્ડ વગેરે..
કોઇ રોકાણકારના પોર્ટફોલિયોમાં એસેટ ફાળવણી તેની પોતાની પ્રાથમિકતા પર આધાર રાખે છે. એક રોકાણકાર માટે સૌથી સારી એસેટ ફાળવણી તેની ઉંમર, ટાઇમ હોરાઇઝન એટલે કે રોકાણ કેટલા સમય માટે કરવાનું છે અને તેની રિસ્ક પ્રોફાઇલ પર આધાર રાખે છે.
આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. ગૌરવ 30 વર્ષનો યુવાન છે. તો નિયમ મુજબ તો તેણે પોતાના રોકાણનો એક મોટો હિસ્સો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં લગાવવો જોઇએ. કારણ કે તેમની પાસે વધુ રિટર્ન કમાવવા માટે ઘણો સમય છે અને તે વધુ જોખમ લઇ શકે છે. તે થોડુ રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં પણ કરી શકે છે. બીજી તરફ સૌરવ 60 વર્ષે નોકરીમાંથી નિવૃત થઇ ચુકેલો રોકાણકાર છે. તેણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઓછું રોકાણ કરવું જોઇએ, કારણ કે આ ઉંમરમાં તે વધુ જોખમ લેવા નહીં માંગે અને તેને વધુ સ્થાયી રિટર્નની જરૂરિયાત પડશે.
તો એક 30 વર્ષની વ્યક્તિનું ideal એસેટ એલોકેશન કેવા પ્રકારનું હોવું જોઇએ? એસેટ એલોકેશનના અલગ-અલગ ફેઝ હોય છે. પ્રથમ તબક્કામાં એક ફાઇનાન્સિયલ પ્લાન તૈયાર કરવો પડશે. આ પ્લાન હેઠળ એ વાતની ઓળખ કરવી પડશે કે રોકાણકારનું નાણાકીય લક્ષ્ય શું છે? તેને કુલ કેટલા corpusની જરૂરિયાત હશે અને તેનો ટાઇમ હોરાઇઝન કેટલો છે..એટલે કે કેટલા સમય માટે રોકાણ કરી શકે છે?
રોકાણકારે એ પણ જોવું પડશે કે લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તેણે કેટલું જોખમ લેવું જોઇએ. જોખમ લેવાની ક્ષમતા અનુસાર એસેટ ક્લાસ કે ફંડમાં ફેરફાર કરી શકાય છે. ઉદાહરણ તરીકે લોંગ ટર્મમાં હાઇ રિટર્ન મળવાના કારણે જ્યાં ઇક્વિટીમાં રોકાણ વધુ સારુ ગણાય છે તો બીજી તરફ ટૂંકાગાળામાં તે વધારે ઉતાર-ચડાવવાળું હોઇ શકે છે. બીજી તરફ, શોર્ટ ટર્મ ગોલ માટે ડેટ ફંડમાં રોકાણ વધુ ફાયદાકારક હોઇ શકે છે. કારણ કે ટૂંકાગાળામાં તેમાં ઓછો ઉતાર-ચડાવ થતો હોય છે. જેના કારણે એક એવરેજ રિટર્ન મળે છે અને સાથે મૂડીમાં પણ બચત થાય છે.
હવે વાત કરીએ કે ડાયવર્સિફિકેશન શું હોય છે?
રોકાણના મામલે એક બહુ જુની કહેવત છે. પોતાના બધા ઇંડા એક જ બાસ્કેટમાં ન મૂકો..આનો સ્પષ્ટ અર્થ એ છે કે એક રોકાણકાર તરીકે તમારે તમારા રોકાણ પોર્ટફોલિયોમાં વિવિધતા એટલે કે વેરાયટી લાવવી જોઇએ જેથી બજારના ઉતાર-ચડાવની પોર્ટફોલિયોના રિટર્ન પરની અસરને ઓછામાં ઓછી કરી શકાય. કોઇપણ એક જ પ્રકારની એસેટમાં પોતાના ફંડના 100 ટકા લગાવી દેવા, પછી તે ડેટ હોય કે ઇક્વિટી..નુકસાનકારક હોઇ શકે છે. જો કોઇ ફંડ કે સિક્યોરિટીએ સારુ પ્રદર્શન નથી કર્યું તો તમને મોટુ નુકસાન થઇ શકે છે. ડાયવર્સિફિકેશનનો સરળ અર્થ એ છે કે પોતાના જોખમને અલગ-અલગ એસેટ ક્લાસમાં અને પર્યાપ્ત સંખ્યાની સ્કીમમાં ફેલાવીને રાખો.
ઇનવેસ્ટોગ્રાફીના ફાઉન્ડર અને CFP શ્વેતા જૈન કહે છે કે એસેટ ફાળવણી ઘણી મહત્વની હોય છે કારણ કે જ્યારે તમારા પૈસા વધતા હોય ત્યારે તમારી જરૂરિયાત કે ગોલના સમયે તે ઉપલબ્ધ પણ રહેવા જોઇએ. બીજી તરફ ડાયવર્સિફિકેશનથી એ સુનિશ્ચિત કરે છે કે કોઇ એક જ પ્રોડક્ટ કે કંપની પર જ દાવ લગાવીને તમે વધુ જોખમ નથી લઇ રહ્યા. તેથી જો તે કંપની ફેઇલ પણ થઇ જાય તો તેનાથી પોતાના પોર્ટફોલિયો પર વધુ અસર ન પડે.
કોઇપણ રોકાણકારના દરેક ફાઇનાન્સિયલ ગોલ માટે યોગ્ય એટલે કે APPROPRIATE એસેટ એલોકેશન હોવું જોઇએ. સૌથી મહત્વનો ગ્રાઉન્ડ રૂલ એ છે કે એસેટ એલોકેશનની એવી રીત અપનાવો જેમાં તમારુ રોકાણ. ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ જેવા દરેક પ્રકારના એસેટ ક્લાસમાં ડાયવર્સિફિકેશન હોય. એસેટની ખોટી ફાળવણી હંમેશા લોંગ ટર્મમાં રિટર્ન પર અસર કરે છે.
કુલ મળીને એકવાર જ્યારે પૂરી માહિતી અને સમજની સાથે વિકલ્પ પસંદ કરી લો છો તો તમે ફોકસ્ડ રહો અને રોકાણ જાળવી રાખો. સમયાંતરે પોર્ટફોલિયોની સમીક્ષા કરતા રહો. કોઇ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવા માટે સૌથી સારી રીત એ છે કે ફાઇનાન્સિયલ પ્લાનર કે એડવાઇઝરની મદદ લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો