MONEY9 GUJARATI: આગ્રાના અમરસિંહ કરોડોની સંપત્તિના માલિક છે… ખેતી અને વ્યવસાયમાંથી દર મહિને લાખોની કમાણી કરે છે… પરંતુ તેમને તેમના છ વર્ષના દિવ્યાંગ પુત્રની ચિંતા છે…તેમના પછી પુત્રની સંભાળ કોણ રાખશે? કરોડોની સંપત્તિનું સંચાલન અને વહેંચણી કેવી રીતે થશે? તેમને આ જ ચિંતા રહ્યા કરે છે… તેઓ સમજી શકતા નથી કે શું કરવું…?
હકીકતમાં, દિવ્યાંગ બાળકો ધરાવતા પરિવારોને એસ્ટેટ પ્લાનિંગની ખાસ જરૂરિયાત હોય છે. એસ્ટેટ પ્લાનિંગ એટલે કે ભવિષ્યની સુરક્ષા માટે રોકાણ, સંપત્તિનું વ્યવસ્થાપન વિતરણ… દિવ્યાંગ બાળકોને તેમની સંભાળ અને શિક્ષણ માટે સામાન્ય બાળકો કરતાં વધુ નાણાંની જરૂર પડે છે… તેમના માટે વધુ મિલકત વારસામાં છોડી રહ્યા હોવ તો ચિંતાઓ પણ વધી જાય છે. આવા બાળકોના જીવનભરના ખર્ચાઓ, ગાર્ડિયનની નિમણૂક, સભ્યોમાં મિલકતની વહેંચણી અને પરિવારના અન્ય સભ્યોની જરૂરિયાતો જેવી ચિંતાઓ માતાપિતાને શાંતિથી જીવવા દેતી નથી…
દેશમાં 2011ની વસ્તી ગણતરી મુજબ 2.68 કરોડ દિવ્યાંગ લોકો છે. યુનેસ્કો અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2019માં ભારતમાં 19 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 78 લાખ બાળકો દિવ્યાંગ હતા. આવા બાળકો માટે એસ્ટેટ પ્લાનિંગ પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે… કારણ કે વારસદારને વારંવાર પૈતૃક મિલકતમાં હિસ્સાનો દાવો કરવા માટે કાનૂની પ્રક્રિયામાં સામેલ થવું પડે છે…
ઘણી વખત પરિવારમાં વિભાજનને લઈને વિવાદ એટલો વધી જાય છે કે વર્ષો સુધી કોર્ટમાં કેસ ચાલે છે.બાળક દિવ્યાંગ હોય તો તેના માટે આવા પડકારોનો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. પૈતૃક મિલકતમાં આવા બાળકો માટે કોઈ વિશેષ અધિકારો નથી હોતા.. તેમના માટે કોઈપણ કાનૂની અવરોધ તેમના ભવિષ્યને જોખમમાં મૂકી શકે છે…
એસ્ટેટ પ્લાનિંગ દ્વારા, તમે ખાતરી કરી શકો છો કે બાળકની જીવનભર સંભાળ રાખવામાં આવતી રહેશે… હવે પ્રશ્ન એ છે કે તેના માટે શું કરવું… માતાપિતાને કાયદાકીય રીતે તેમના બાળકો 18 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી જ તેમના ગાર્ડિયન કે સંરક્ષક માનવામાં આવે છે… પુખ્ત વયે પહોંચ્યા પછી, બાળક પોતાના નિર્ણયો લઈ શકે છે…
જો કે, વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકોને આજીવન આધારની જરૂર હોય છે… તેથી માતા-પિતાએ 18 વર્ષની ઉંમર પછી પણ કાયદાકીય વાલી બનવું પડે છે… પરંતુ મોટો પ્રશ્ન એ છે કે માતા-પિતા પછી બાળકની સંભાળ કોણ રાખશે અને મિલકતનું સંચાલન કોણ કરશે? આની અગાઉથી વ્યવસ્થા કરવી પડશે… વિશેષ બાળકોની સંભાળ લેવા માટે વધુ પૈસાની જરૂર પડશે… આ સમય દરમિયાન પરિવારના અન્ય સભ્યોની જરૂરિયાતોને પણ અવગણી શકાય નહીં…
આવી સ્થિતિમાં, મિલકતની વહેંચણી, બાળકોની સંભાળ લેવાની જવાબદારી જેવી ચિંતાઓ…કોઈ યોગ્ય વકીલ દ્વારા વસિયતનામું લખાવીને દૂર કરી શકાય છે..નિર્ણયો લેવામાં સક્ષમ ના હોવાને કારણે માતા-પિતા, મિલકત અને રોકડને સીધા સ્પેશિયલ જરૂરિયાતવાળા બાળકને આપવાનું પસંદ નહિ કરે… તેઓએ આ પ્રોપર્ટીનું સંચાલન કરવા માટે એક સારા ગાર્ડિયનની શોધ કરવી પડશે.. એક ખાનગી ટ્રસ્ટ બનાવીને આ ચિંતાને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે.
આ કેટલાક મુદ્દાઓ છે જેને માતા-પિતા ટ્રસ્ટ ડીડમાં સમાવી શકે છે… પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ જિતેન્દ્ર સોલંકી કહે છે,,કે વિશેષ જરુરિયાતવાળા બાળકોને આવાસ, સારવાર, શિક્ષણ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે સારી એવી રકમની જરૂર પડશે.
આમાંના મોટાભાગના ખર્ચાઓ બાળકના જીવનના દરેક તબક્કે ભોગવવા પડશે. તેથી બાળક માટે એસ્ટેટ પ્લાનિંગ કરતી વખતે સૌથી પહેલા અંદાજ લગાવો કે બાળકના જીવનભરના ખર્ચાઓને પહોંચી વળવા માટે કેટલા પૈસા પૂરતા હશે. અને વહેલામાં વહેલી તકે પ્લાનિંગ શરૂ કરો. જેથી તમારા પછી તમારા લાડકાને પૈસાની તંગીનો સામનો ન કરવો પડે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો