MONEY9: અભિનવને દવા વેચવામાં આવતી હતી, પણ આ પ્રકારના કૉલ આપણને બધાને રોજ બે-ચાર તો આવતા જ હોય છે. ક્યારેક દવા, ક્યારેક લોન, ક્યારેક ક્રેડિટ કાર્ડ, ક્યારેક ટ્રાવેલ પેકેજ.. એટલે કે તમારા પર કોઈને કોઈ રીતે પ્રોડક્ટ ખરીદવાનું દબાણ કરવામાં આવે છે. માલ વેચવાની આ પદ્ધતિને કહેવામાં આવે છે પુશ સેલિંગ…તમને ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, પછી ભલે તમને તે ઉત્પાદનની જરૂર હોય કે ન હોય.. ‘જાગતે રહો’માં, સમજો કે પુશ સેલિંગ કેવી રીતે કામ કરે છે અને શા માટે તે તમારા માટે આ ખરીદી નુકસાનકારક છે?
પુશ સેલિંગમાં, તે નથી વેચવામાં આવતું જેની તમને જરૂર છે પરંતુ તે વેચાય છે જે કંપની વેચવા માંગે છે. માલના અતિશયોક્તિપૂર્ણ વખાણ કરે છે અને પછી ઓફરને આકર્ષક બનાવવા માટે ડિસ્કાઉન્ટ, કૂપન કોડ, સસ્તી લોન, વધારાની સેવા જેવી ઓફર ઉમેરવામાં આવે છે… પુશ સેલિંગ અથવા પુશ માર્કેટિંગ એ એક પ્રમોશનલ વ્યૂહરચના છે જેના માટે કંપનીઓ એજન્ટ, રિટેલરથી લઈને ઈ-કોમર્સ પોર્ટલ સાથે ટાઈઅપ કરે છે અને તેમને માલના વેચાણ માટે ઈન્સેન્ટિવ આપે છે. કોઈપણ જાહેરાત વિના પ્રોડક્ટ વેચવામાં આવે છે અને કેટલીકવાર આવી પ્રોડક્ટ કે જેના પ્રદર્શનનો કોઈ રેકોર્ડ હોતો નથી, ન તો તે કયા માપદંડના આધારે બનાવવામાં આવે છે તેની કોઈ પુષ્ટિ હોય છે.
જેવી રીતે અભિનવે જબરદસ્તી થોપવામાં આવી રહેલી હર્બલ પ્રોડક્ટ્સ વેચનારને ના પાડી દીધી,, તમારે પણ તે જ કરવું જોઈએ. પરંતુ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ અભિનવની જેમ સમજદારીથી વર્તો. લોકો પુશ સેલિંગની જાળમાં ફસાઈ જાય છે અને તે વસ્તુઓ ખરીદે છે જેની તેમને જરૂર નથી.એવી પ્રોડક્ટ્સ પણ ગ્રાહકોને વેચી દેવામાં આવે છે જેના પર કંપનીઓને એ પણ ખબર નથી હોતી કે મંજૂરી મળી છે કે નહીં…
કંપનીઓ ગ્રાહકોને નવી પ્રોડક્ટ વેચવા માટે પુશ સેલિંગનો આશરો લે છે. ખરીદીનું આ દબાણ મિસસેલિંગનું મુખ્ય કારણ બને છે. આક્રમક સેલ્સ પિચમાં,, ઘણી વખત પ્રોડક્ટને એટલી અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવે છે કે ગ્રાહક ગેરમાર્ગે દોરાય છે અને ખોટું ઉત્પાદન ખરીદી લે છે. પુશ સેલિંગ અને મિસસેલિંગ વચ્ચે ખુબ જ ઓછું અંતર હોય છે.
મોટાભાગના પેસ્કી કોલ્સ અને ટેક્સ્ટ મેસેજ અનરજિસ્ટર્ડ ટેલીમાર્કેટર્સ (UTM) તરફથી આવે છે. આ અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ વ્યક્તિગત મોબાઇલ નંબરો પરથી કૉલ કરે છે જેને અટકાવવું અથવા મોનિટર કરવું લગભગ અશક્ય છે. ઈન્ડસ્ટ્રી એસ્ટમેટ્સ મુજબ, લગભગ 2,50,000 નોંધાયેલા ટેલીમાર્કેટર્સ છે જ્યારે નોંધણી વગરના ટેલીમાર્કેટર્સની સંખ્યા તેના કરતા બમણી છે. ગયા વર્ષે LocalCircle દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ, 66% લોકોએ કહ્યું હતું કે તેઓને દરરોજ ત્રણ કે તેથી વધુ પેસ્કી અથવા સ્પામ કોલ આવે છે.આવું DND એટલે કે ડૂ-નૉટ-ડસ્ટર્બ હોવા છતાં થઈ રહ્યું છે, જેની મદદથી પેસ્કી કૉલર્સ પર રોક લગાવવાનો દાવો કરવામાં આવે છે. DND કરનારા 95% લોકોએ કહ્યું કે તેઓને આવા કૉલ આવવાનું બંધ થયું નથી.. આ સર્વેમાં એવું પણ જાણવા મળ્યું હતું કે દેશમાં સૌથી વધુ સંખ્યામાં સ્પામ કોલ્સ ફાઈનાન્સિયલ પ્રોડક્ટસ (51%) અને રિયલ એસ્ટેટ (29%)ના પુશ સેલિંગ માટે આવે છે.
પુશ સેલિંગ એ જાણીતી સેલ્સ સ્ટ્રેટેજી છે. આમાં કાંઈ ખોટું નથી, ઘણી કંપનીઓ તેનો સામાન વેચવા માટે તેનો ઉપયોગ કરે છે. પરંતુ તે ખોટું છે કે કંપનીઓ પૈસા કમાવવા માટે પુશ સેલિંગ દ્વારા ગ્રાહક પર સામાન ખરીદવા માટે દબાણ કરે છે, જેની તેને જરૂર જ નથી.. આવી રીતે ખરીદાયેલો સામાન જો તમારા કામ ના આવ્યો અથવા વાયદા પ્રમાણેનો ના નીકળ્યો તો તમે કઈ કરી પણ નથી શકતા.. ફરિયાદ તો કરી દેશો સરકારી પોર્ટલ પર પરંતુ તેનું ફોલોએપ કેટલું થશે તેની કોઈ ગેરંટી નથી..કંપનીઓનું કામ વેચાણ કરવાનું છે અને તમારું કામ સેલ્સ પીચથી પ્રભાવિત ના થવાનું.. ટેલીકૉલરના કૉલ્સ, ઈ-કોમર્સ સાઇટ્સ પર મિસલિટિંગ એડ, બાઈ વન ગેટ 2ની લાલચમાં આવીને શૉપિંગ ના કરો.. કોઈપણ વસ્તુ ખરીદવી કે ન ખરીદવી એ તમારી પસંદગી હોવી જોઈએ ના કે કોઈ બીજાની… તેથી જાગતે રહો અને પછી ખરીદી કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો