Money9: અજીતને ઘરની સફાઈ કરતી વખતે એક જૂની પાસબુક મળી. તેણે બેંકની પાસબુક ખોલી તો ખુશ થઈ ગયો… ખાતામાં 50 હજાર રૂપિયા હતા… રકમ બહુ મોટી હતી, તેથી અજીતની ચિંતા પણ વધી ગઈ.. અજિત વિચારે છે કે 3 વર્ષ થઇ ગયા છે. પૈસા મળશે કે નહીં? એકાઉન્ટ ચાલુ છે કે બંધ થઇ ગયું? શું એકાઉન્ટ ફરી ચાલુ થશે? અજીતની ચિંતાને દૂર કરતા પહેલા જાણીએ કે લાંબા સમયથી ખાતુ ઓપરેટ ન થયું હોય તો શું થાય અને તેને ચાલુ કેવી રીતે કરાવી શકાય?
અજિતની જેમ, આજકાલ મોટાભાગના લોકો પાસે એકથી વધુ બેંક હોય છે. ઘણા લોકો જુદા જુદા હેતુઓ માટે એક કરતા વધુ ખાતા ખોલે છે. ઘણી વખત નોકરી બદલવા પર નવું બેંક ખાતું ખોલી નાંખવામાં આવે છે. આવી સ્થિતિમાં, બની શકે કે કોઇ ખાતું તમારા ધ્યાન બહાર જતુ રહે. જો તમારી પાસે સેવિંગ્સ કે કરન્ટ બેંક એકાઉન્ટ છે, જેમાં તમે 12 મહિના કરતાં વધુ સમયથી કોઈ લેવડદેવડ એટલે કે ટ્રાન્ઝેક્શન નથી કર્યું, તો એકાઉન્ટને ઇન-એક્ટિવ એકાઉન્ટ ગણવામાં આવશે.
કોઇ સેવિંગ્સ કે કરન્ટ એકાઉન્ટને ડોર્મેન્ટ કે ઇન-ઓપરેટિવ ત્યારે માનવામાં આવે છે જ્યારે તે એકાઉન્ટ દ્વારા 24 મહિના એટલે કે 2 વર્ષ કરતાં વધુ સમયથી કોઈ લેવડદેવડ કરવામાં ન આવી હોય. જો તમે 2 વર્ષ કરતાં વધુ સમયથી ખાતામાં નાણાં જમા કરાવ્યા કે ઉપાડ્યા નથી.. IMPS, NEFT, RTGS, UPI દ્વારા કોઈ ટ્રાન્સફર નથી કર્યું તો ખાતું નિષ્ક્રિય થઈ જશે એટલે કે અસ્થાયી રૂપે બંધ થઈ જશે.
ખાતામાં જમા થયેલી રકમ પર બેંક તરફથી મળતું વ્યાજ અને બેંક દ્વારા કાપવામાં આવેલ ચાર્જીસને આ કિસ્સામાં ટ્રાન્ઝેક્શન ગણવામાં નથી આવતા.. પરંતુ જો કોઇ ફિક્સ ડિપોઝીટ એટલે કે FDમાંથી વ્યાજ ખાતામાં આવી રહ્યું છે તો તેને કસ્ટમર ઇન્ડ્યુસ્ડ ટ્રાન્ઝેક્શન એટલે કે ગ્રાહક તરફથી ટ્રન્ઝેક્શન ગણવામાં આવે છે.
બેંકો ગ્રાહકને ખાતું નિષ્ક્રિય હોવાની જાણ કરે છે… બેંક ઓફ બરોડાની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ બેંકને દર વર્ષે તમામ બચત અને ચાલુ ખાતાઓની સમીક્ષા કરવાની હોય છે… જો કોઈ એવું એકાઉન્ટ છે જેમાં જો એક વર્ષ કરતાં વધુ સમયથી કોઈ વ્યવહાર નથી થયો તો બેંક માટે લેટર, ઈ-મેઈલ, મેસેજ અથવા ફોન કોલ સહિતના અન્ય માધ્યમો દ્વારા કસ્ટમરને જાણ કરવી જરૂરી છે. બેંક ગ્રાહકને એકાઉન્ટ ન ચલાવવાનું કારણ પૂછે છે અને પૈસા જમા કરીને કે ઉપાડીને એકાઉન્ટને ચાલુ એટલે કે એક્ટિવ રાખવાની સલાહ આપે છે. જો તમે સલાહ માનીને ટ્રાન્ઝેક્શન કરશો તો તમારું ખાતું એક્ટિવ થઈ જશે. જો બેંકને તમારા તરફથી કોઈ જવાબ ન મળે અને બીજા વર્ષે પણ એકાઉન્ટ એક્ટિવ ન થાય તો બે વર્ષ પસાર થઇ ગયા બાદ બેંક એકાઉન્ટને ડોર્મેન્ટ કરી નાંખે છે. ઇન-ઓપરેટિવ અથવા ડોર્મેન્ટ હોવા છતાં, ખાતામાં જમા કરાયેલી રકમ વ્યાજ મળતું રહેશે.
જ્યારે ખાતું ડોર્મેન્ટ થશે ત્યારે ખાતાધારક કોઈપણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન એટલે કે પૈસા જમા, ઉપાડ કે ટ્રાન્સફર નહીં કરી શકે. જોકે, એનો અર્થ એ નથી કે ખાતામાં પડેલા પૈસા ડૂબી ગયા છે. પોતાના બેંક એકાઉન્ટને ડોર્મેન્ટથી એક્ટિવ કરવા માટે ખાતાધારકે બેંક બ્રાન્ચમાં જવું પડશે. પાસબુક અને ચેકબુક સાથે, તમારે બેંક અધિકારીને એક અરજી લખીને આપવી પડશે અને જણાવવું પડશે કે ખાતાનો આટલા સમયથી કેમ ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો. આ સિવાય, KYC અપડેટ કરાવવું પડશે..આ માટે, એડ્રેસ પ્રુફ, ID પ્રૂફ અને ફોટોની જરૂર પડશે. દસ્તાવેજ જમા કર્યાના 2 થી 3 વર્કિંગ ડેમાં ખાતુ ચાલુ થઇ જશે.
અજિતની જેમ, જો તમારી પાસે પણ કોઇ બેંક એકાઉન્ટ છે, જે લાંબા સમયથી બંધ છે, તો તમે તેને ચાલુ કરાવી શકો છો… ખાતું ચાલુ થયા પછી, તમે પૈસા ઉપાડી શકો છો અથવા ખાતાને ચાલુ રાખી શકો છો… નિષ્ક્રિય એટલે ડોર્મેન્ટ એકાન્ટને એક્ટિવ કરવા માટે કોઈ ચાર્જ નથી લાગતો. જો તમારું એકાઉન્ટ પંજાબ નેશનલ બેંકમાં છે, તો બેંકે ડોર્મેન્ટ એકાઉન્ટને ચાલુ કરાવવા માટે 2જી ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર સુધી વિશેષ ઝુંબેશ ચલાવી છે.. એકાઉન્ટ એક્ટિવ થયા બાદ તેનાથી ઓછામાં ઓછા એક વર્ષમાં એકવાર જરૂર ટ્રાન્ઝેક્શન કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો