MONEY9 GUJARATI: રિઝર્વ બેન્કે તેની તાજેતરની બેઠકમાં સતત બીજી વખત વ્યાજ દર યથાવત રાખ્યા છે. એટલે કે રેપો રેટમાં કોઇ ફેરફાર નથી કર્યો. તેમ છતાં બેન્કો લોન આપવાનો વ્યાજ દર વધારી રહી છે. HDFCના મર્જર બાદ HDFC બેન્કના એમડી અને સીઇઓ શશિધર જગદીશને પહેલી જ AGMમાં ફન્ડિંગ રિસ્કની વાત કરી. આનો શું અર્થ છે આવો જાણીએ.
પહેલું કારણ તે છે કે ભલે રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો નથી કર્યો પરંતુ લાંબા સમય સુધી ઉંચો રહી શકે છે. આવું એટલે કે, મોંઘવારી હજુ પણ રિઝર્વ બેન્કના કન્ફર્ટ ઝોન 4 ટકાથી હજુ પણ ઉંચા સ્તરે છે. તાજેતરમાં જારી થયેલા આંકડા મુજબ, જુલાઇમાં CPI મોંઘવારી 7.44 ટકા પર રહી, જે 15 મહિનાનું મહત્તમ સ્તર છે. બીજું કારણ તે છે કે, બેન્કો ઉંચા દરે ફંડ મળી રહ્યું છે કારણકે ફિક્સ ડિપોઝિટના દર ઉંચા છે અને બોન્ડ યીલ્ડ પણ. બેન્કોના આ જ બે મુખ્ય સ્ત્રોત છે.
આના કારણે બેન્કોનો ફંડ મેળવવાનો ખર્ચ વધી રહ્યો છે જે MCLRમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. રિઝર્વ બેન્કના નિયમ મુજબ, બેન્કોએ દર મહિને તેમના MCLR રિવાઇઝ કરવા પડે છે. તેના કારણે તાજેતરમાં જ HDFC બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, iCICI બેન્ક, કેનરા બેન્ક, બેન્ક ઓફ બરોડાએ ધિરાણ દરમાં 0.2 ટકાનો વધારો કર્યો છે.
આનું કારણ તે છે કે, 10 ઓગસ્ટે મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રિઝર્વ બેન્કે બેન્કોને તેમના કેશ રિઝર્વ રેશિયો 10 ટકા રાખવાનો આદેશ કર્યો છે. જે અંતર્ગત બેન્કોએ 1મેથી 28 જુલાઇ દરમિયાન મેળવેલી ડિપોઝિટ્સ પર વધુ CRR રાખવો પડશે. બેન્કોએ આ રકમ 12 ઓગસ્ટથી રિઝર્વ રાખવી પડશે. રિઝર્વ બેન્કના આ પગલાથી ઇકોનોમીમાં લિક્વિડિટી ઘટશે, અને તેના કારણે મોંઘવારી કાબૂમાં લેવામાં મદદ મળશે. આ પગલાથી બેન્કોની લિક્વિડિટી ઘટશે અને આ ખાદ્યને સરભર કરવા માટે ડિપોઝિટર્સ એટલે કે જમાકર્તાઓ પાસેથી વધુ ડિપોઝિટની જરૂર પડશે. ડિપોઝિટને આકર્ષિત કરવા માટે બેન્ક ડિપોઝિટ પર વ્યાજ વધારી રહી છે.
ઘરેલુ જ નહીં વૈશ્વિક સ્તરે પણ જોખમ વધી રહ્યું છે. તેના બે મુખ્ય કારણો છે. એક તો, અમેરિકામાં બેન્કોના રેટિંગનું ડાઉન ગ્રેડિંગ. રેટિંગ એજન્સી ફિચે ચેતવણી જારી કરી છે કે અમેરિકાની JP મોર્ગન સહિતની અનેક બેન્કોને ડાઉનગ્રેડિંગ કરવી પડી શકે છે. આના પહેલાં જૂનમાં ફીચે યુએસ બેન્કિંગ સેક્ટરનું રેટિંગ AAથી ઘટાડીને AA- કર્યું હતું. અને હવે ચેતવણી છે કે તે AA-થી ઘટાડીને A+ થઇ શકે છે. જો આવું થયું તો AAથી વધુની રેટિંગવાળી બેન્કોને ડાઉનગ્રેડ કરવી પડશે કારણકે વ્યાજ દર વધવાથી લોન ડિફોલ્ટ અને બેન્કોના માર્જિન પર દબાણ ઉભું થવાની આશંકા છે. ગયા સપ્તાહે મૂડીઝે 10 મિડ-સ્મોલકેપ બેન્કોને ડાઉનગ્રેડ કરી હતી અને 17 બેન્કો માટે વોર્નિંગ ઇશ્યૂ કરી હતી. જો ભારતીય બેન્કોનું અમેરિકાની બેન્કોમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કોઇ પણ પ્રકારનું જો એક્સપોઝર હશે તો તે ચિંતાનો વિષય છે.
બીજું એક કારણ છે, ચીનમાં આર્થિક નબળાઇ. ચીનની સેન્ટ્રલ બેન્ક PBOCએ તેના અર્થતંત્રને ટેકો આપવા માટે ત્રણ મહિનામાં બીજી વખતે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યો છે. ચીનમાં છેલ્લા બે મહિનાથી આર્થિક આંકડા સતત ઘટીને આવી રહ્યા છે. જુલાઇમાં, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ બંને અપેક્ષા કરતાં ઘટ્યા હતા જ્યારે ઇકોનોમી ડિફ્લેશનની સ્થિતિ છે એટલે કે જુલાઇમાં CPI અને WPI બંનેમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ચીનમાં બેન્ક લોન ગ્રોથ 14 વર્ષના તળીયે છે.
આ જ બધી ચિંતાઓ ને કારણોને લીધે બેન્કોના શેર સારો દેખાવ નથી કરી રહ્યા. છેલ્લા એક વર્ષમાં બેન્ક નિફ્ટિએ 11 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા એક મહિનામાં તેમાં 3.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. 16 ઓગસ્ટ સુધીના છેલ્લા 5 સેશન્સમાં તેમાં 1.72 ટકા સુધીનો ઘટાડો થયો છે. આ બધી ચિંતાઓની વચ્ચે રોકાણકારોના મનમાં સવાલ આવશે કે બેન્કિંગ શેરોમાં અત્યારે શું રણનીતિ હોવી જોઇએ. શું બેન્કોમાં પ્રોફિટ બુકિંગ કરવું જોઇએ કે રોકાણ જાળવી રાખવું જોઇએ. અને જેમણે નવું રોકાણ કરવું છે તેમના માટે કઇ બેન્કો છે જેના શેર સારા વેલ્યૂએશને મળે છે.
તો સ્થાનિક ઉપરાંત વૈશ્વિક સ્તરે ચિંતા વધી રહી છે. જે રીતે સેન્ટ્રલ બેન્કોએ વ્યાજ દર વધાર્યા છે અને એજન્સીઓ એક્ટિવ થઇ છે તે જોતા ધારણા કરી શકાય કે આગળ જતા બેન્કોના પ્રોફિટ પર દબાણ આવશે. જેને કારણે શેરોમાં ઉપરના સ્તરેથી કરેક્શન જોવા મળ્યું છે. જોકે હજુ પણ ઘણી બેન્કોનું વેલ્યૂએશન મોંઘું છે અને બેન્કિંગ શેરોમાં રોકાણ કરતા પહેલાં ઘટાડાની રાહ જોઇ શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો