Money9 Gujarati: ગોલ્ડ સ્કીમ (Gold Scheme)માં, તમે જ્વેલરી શૉપ (Jewelery shop)ને દર મહિને એક નિશ્ચિત રકમ અથવા હપ્તો ચૂકવો છો… અને એક નિશ્ચિત સમયગાળા માટે જે સામાન્ય રીતે 11 કે 12 મહિનાની હોય છે, જે પછી જ્વેલર (jeweller) તમને આ સ્કીમમાં રોકાણ કરવા માટે એક ઈન્સેન્ટિવ (Incentive) આપે છે. આ ઈન્સેન્ટિવ એક હપ્તાની રકમના 50, 55, 65 અથવા 70 ટકા હોઈ શકે છે. એટલે કે આ સ્કીમ એક પ્રકારનો ફ્યૂચર પર્ચેઝિંગ પ્લાન છે.
ધારો કે તમે આવી સ્કીમમાં દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ કર્યું છે, તો 10મા મહિનામાં તે 50,000 રૂપિયા થઈ ગયા. જ્વેલર તમને એક હપ્તાના 50 ટકાનું ઈન્સેન્ટિવ આપે છે. 11મો અને 12મો મહિનો પાકતી મુદત હશે. જો તમે 11મા મહિનામાં જ્વેલરી ખરીદવાનો પ્રયાસ કરો છો, તો તે મહિનામાં તમને તમારી 50,000 રૂપિયાની મૂળ રકમ પર 2,500 રૂપિયાનું ઈન્સેન્ટિવ મળશે. આ રીતે, તમે કુલ 52,500 રૂપિયાની જ્વેલરી ખરીદી શકો છો.
મોટાભાગની મોટી જ્વેલરી કંપનીઓ આવી સ્કીમ ચલાવે છે, પછી તે તનિષ્ક, મલાબાર ગોલ્ડ કે પછી કલ્યાણ જ્વેલર્સ હોય. તનિષ્ક ગોલ્ડન હાર્વેસ્ટ સ્કીમ, કલ્યાણ જ્વેલર્સ ગોલ્ડ સ્કીમ્સ, મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ સ્માર્ટ બાય સ્કીમ,,એ કેટલીક લોકપ્રિય સ્કીમ છે જેમાં લોકો હાલમાં ભારે રોકાણ કરી રહ્યા છે.
આ સ્કીમ તમને સારી લાગી શકે છે, પરંતુ આ સ્કીમમાં બધું બરાબર નથી. આમાં માત્ર ઝવેલરને ફાયદો જ ફાયદો છે, રોકાણકાર એટલે કે તમારા માટે એવું નથી. જ્વેલરને મળતા લાભો વિશે વાત કરીએ તો, તેણે કોઈ પ્રાઈસ રિસ્ક નથી લેવું પડતું. તેને સસ્તામાં મૂડી મળે છે. તે તમારી પાસેથી પૈસા લે છે અને તમને તરત જ કંઈ આપવાનું નથી. તેનાથી વિપરીત, જો જ્વેલર બેંકમાંથી પૈસા લે છે, તો તેણે લોનની રકમ પર ઈન્ટરેસ્ટ ચૂકવવું પડશે. તેની જ્વેલરીનું વેચાણ નિશ્ચિત છે, તે સમયગાળાના અંતે તે તમને રોકડ આપશે નહીં, પરંતુ માત્ર કોઈ જ્વેલરી આપશે. આ સિવાય, જો તમારા પૈસા જ્વેલર સાથે જોડાયેલા છે, તો તે તમને જે જ્વેલરી વેચે છે તેના પર તે મનસ્વી મેકિંગ ચાર્જ લઈ શકે છે. મેકિંગ ચાર્જ સોનાની કિંમતના 15 થી 30 ટકા હોઈ શકે છે.
જ્વેલરથી વિપરીત, રોકાણકાર માટે એકમાત્ર ફાયદો એ છે કે તમે નાની રકમ જમા કરીને નિશ્ચિત સમયગાળા પછી કોઈપણ જ્વેલરી આઇટમ ખરીદી શકો છો. સોનામાં તમારું રોકાણ ચાલુ છે. જો કે ઘણા ગેરફાયદા પણ છે, જેમ કે મોટાભાગની યોજનાઓમાં, જો તમે 6 મહિનાથી ઓછા સમયમાં હપ્તા ભરવાનું બંધ કરો છો, તો તમને કોઈ ઈન્સેન્ટિવ અથવા ડિસ્કાઉન્ટ નહીં મળે. તમે એક જ જ્વેલર સાથે જોડાયેલા રહેશો. નાના જ્વેલર્સ પાસે રોકાણમાં જોખમ હોય છે, પરંતુ જો તેઓ મોટા જ્વેલર્સ એટલે કે જ્વેલરી ચેનમાં રોકાણ કરવામાં આવે તો વધુ મેકિંગ ચાર્જ ચૂકવવો પડી શકે છે.
આ સ્કીમ્સ હેઠળ મળતી જ્વેલરી પર તમારી પાસેથી મનસ્વી મેકિંગ ચાર્જીસ વસૂલવામાં આવે છે, આ સિવાય તમારે 3 ટકા GST પણ ચૂકવવો પડશે. તેનાથી વિપરીત, જો તમે સોવરિન ગોલ્ડ બોન્ડ્સમાં રોકાણ કરો છો, તો તમારે GST ચૂકવવો પડશે નહીં. આવી સ્થિતિમાં, સવાલ એ ઊભો થાય છે કે જો તમે સોનામાં રોકાણ કરવા માંગો છો, તો તમારી પાસે અન્ય ઘણા બીજા વિકલ્પો છે, જ્યાં જોખમ ઓછું છે અને તમને સારું વળતર મળી શકે છે.
તો ગોલ્ડ સ્કીમ્સ જેટલી ચમકદાર દેખાય છે તેટલી વાસ્તવિકતામાં હોતી નથી. તેથી, આ સ્કીમ્સમાં રોકાણ કરતા પહેલા આ બધી બાબતોને ધ્યાનમાં રાખો. જો તમે સોનામાં રોકાણ કરવા માંગો છો તો તમે સોવરિન ગોલ્ડ બોન્ડ, ETF ગોલ્ડ સ્કીમ્સમાં રોકાણ કરી શકો છો. સારા રિટર્ન માટે તમે RD અથવા SIPમાં રોકાણ કરી શકો છો. તેથી જાગૃત રહો અને યોગ્ય સ્કીમમાં જ રોકાણ કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો