Home >
છેલ્લાં 1 વર્ષમાં ચોખાની છૂટક કિંમતમાં 15 ટકા વધારો થયો છે ત્યારે સરકાર દ્વારા સસ્તા ભાવે ચોખાનું વેચાણ શરૂ થવાથી સામાન્ય માણસને ખાદ્ય મોંઘવારીમાં રાહત મળશે.
ઉત્પાદન ઘટ્યું હોવાથી અને માંગ જળવાઈ રહેવાથી એક કિલોગ્રામ લસણના ભાવ વધીને 500 રૂપિયા થઈ ગયા છે, જે એક મહિના અગાઉ 250-300 રૂપિયા હતા.
ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક 20 લાખ કરોડ રૂપિયા છે, જે વધારીને 22-25 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે.
રાજ્યો અને સરકારી એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે, કેન્દ્રીય કૃષિ મંત્રાલયે 2022-23માં બાગાયતી પાકોના ઉત્પાદનનો ત્રીજો આગોતરો અંદાજ બહાર પાડ્યો છે. ફળો, શાકભાજી, મસાલા, ફૂલો અને મધના ઉત્પાદનમાં વધારો થવાની અપેક્ષા છે. આ વર્ષે બાગાયતી પાકોનું ઉત્પાદન 355.25 મિલિયન ટન થવાનો અંદાજ છે.
સરકારી વખારોમાં 2017 પછી ઘઉંનો સૌથી ઓછો જથ્થો નોંધાયો છે. જોકે, અત્યારે બફર કરતાં વધારે સ્ટોક છે.
છેલ્લાં કેટલાક મહિનામાં થયેલા અનિયમિત વરસાદ અને જળાશયોમાં પાણીનું સ્તર ઘટવાથી કર્ણાટક તથા મહારાષ્ટ્ર જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ડુંગળીના વાવેતરમાં ઘટાડો થયો છે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, દેશમાં દાળની માંગ પૂરી થઈ શકે તેટલું ઉત્પાદન થતું નથી, આથી આયાત કરવી પડે છે.
FCI દ્વારા સરકાર માટે થતી ચોખાની ખરીદીમાં 14% ઘટાડો નોંધાયો છે. સરકારી વખારોમાં બફર સ્ટોક પણ ઘટી રહ્યો છે. ફ્રી રાશન આપવા માટે ચોખાની વ્યવસ્થા કરવાનો પડકાર ઊભો થઈ શકે છે.
સરકારે તુવેર અને અડદ દાળની આયાતમાં આપેલી રાહત છેક માર્ચ 2025 સુધી લંબાવી છે. આ નિર્ણય બાદ આયાતકારોએ દાળની આયાત પર જકાત નહીં ચૂકવવી પડે. પરિણામે, દાળની કિંમત નીચે રાખવામાં મદદ મળશે અને બજારમાં દાળનો સપ્લાય પણ વધશે.
સરકારે ડુંગળીની કિંમતને અંકુશમાં લેવા માટે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. 8 ડિસેમ્બરે જાહેર થયેલા નિર્ણયને પગલે ડુંગળીની કિંમતમાં 50% સુધીનો ઘટાડો થયો છે.