Home >
Agri exports: લાલ સમુદ્રમાં કટોકટી (Red Sea Crisis), રશિયા-યુક્રેન યુદ્ધ અને સરકારે ઘઉં, ચોખા, ખાંડ તથા ડુંગળી જેવી મહત્ત્વપૂર્ણ ખાદ્ય ચીજવસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા હોવાથી નિકાસ પર અસર પડી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે ભારતમાં ચોમાસું સારું રહેશે અને સામાન્ય કરતાં વધારે પડશે. દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદ પડશે અને લા નીના તથા પોઝિટિવ IODથી ચોમાસું સારું રહેવાની શક્યતા છે.
સરકારી આંકડા પ્રમાણે, માર્ચ મહિનામાં છૂટક ફુગાવાનો દર 5%ની અંદર અને 10 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે જ્યારે ખાદ્ય ફુગાવો 7.68%એ પહોંચ્યો છે.
weather forecasting company Skymetએ જણાવ્યું છે કે, આ વખતે લાંબા ગાળાની 880.6 મીમી વરસાદની સરેરાશના 98 ટકા જેટલો વરસાદ પડી શકે છે. ભારતમાં સરેરાશ વરસાદની 65 ટકા શક્યતા છે.
ગરમી વધવાથી ઘઉંના પાકને અસર પડશે? હવમાન વિભાગે ઘઉં પકવતા રાજ્યો અંગે શું આગાહી કરી? કયા રાજ્યોમાં અસહ્ય લૂ લાગવાની શક્યતા છે?
FCIના આંકડા અનુસાર, માર્ચ મહિનાના પ્રારંભે સરકારી વખારોમાં ઘઉંનો જથ્થો 97 લાખ ટન નોંધાયો છે, જે 2017 પછીનું સૌથી નીચલું સ્તર છે.
ફેબ્રુઆરીમાં શાકભાજીનો ફુગાવો 30.25%ના ઊંચા સ્તરે પહોંચી ગયો છે. સરકારે જાહેર કરેલા ડેટા અનુસાર, જાન્યુઆરીમાં દેશનો ઔદ્યોગિક ઉત્પાદનનો આંક (IIP) 3.8% થયો છે.
CRISILના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2024માં શાકાહારી થાળીની કિંમત અગાઉના મહિનાની સરખામણીએ 2% ઘટીને 27.5 રૂપિયા થઈ છે.
જથ્થાબંધ વેપારી અને મિલરો અથવા ખેડૂતો વચ્ચેના વેપારને સરળ બનાવવા માટે, કૃષિ ઉત્પાદનો પર વસૂલવામાં આવતા બ્રોકરેજ પર 18 ટકાના દરે GST લાદવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, અલ નીનોની અસર હળવી થઈ છે, પરંતુ તેની અસર છેક મે મહિના સુધી જળવાઈ રહેશે. જેના લીધે હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધારે રહેશે.