Home >
FCIના આંકડા અનુસાર, માર્ચ મહિનાના પ્રારંભે સરકારી વખારોમાં ઘઉંનો જથ્થો 97 લાખ ટન નોંધાયો છે, જે 2017 પછીનું સૌથી નીચલું સ્તર છે.
ફેબ્રુઆરીમાં શાકભાજીનો ફુગાવો 30.25%ના ઊંચા સ્તરે પહોંચી ગયો છે. સરકારે જાહેર કરેલા ડેટા અનુસાર, જાન્યુઆરીમાં દેશનો ઔદ્યોગિક ઉત્પાદનનો આંક (IIP) 3.8% થયો છે.
CRISILના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2024માં શાકાહારી થાળીની કિંમત અગાઉના મહિનાની સરખામણીએ 2% ઘટીને 27.5 રૂપિયા થઈ છે.
જથ્થાબંધ વેપારી અને મિલરો અથવા ખેડૂતો વચ્ચેના વેપારને સરળ બનાવવા માટે, કૃષિ ઉત્પાદનો પર વસૂલવામાં આવતા બ્રોકરેજ પર 18 ટકાના દરે GST લાદવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, અલ નીનોની અસર હળવી થઈ છે, પરંતુ તેની અસર છેક મે મહિના સુધી જળવાઈ રહેશે. જેના લીધે હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધારે રહેશે.
સરકાર પાસે લગભગ 7.20 લાખ ટન મસૂર દાળનો જથ્થો પડ્યો છે. અન્ય ભારત બ્રાન્ડ પ્રોડક્ટની જેમ મસૂર દાળનું વેચાણ ડિસ્કાઉન્ટ ભાવે કરવામાં નહીં આવે.
પ્રત્યેક વિધાનસભામાં ભારત બ્રાન્ડ હેઠળ સસ્તા ભાવે ચોખા, લોટ અને દાળનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની યોજના તૈયાર થઈ ગઈ છે.
2023ની 15 ફેબ્રુઆરી સુધીમાં 2.293 કરોડ ટન ખાંડનું ઉત્પાદન નોંધાયું હતું. ઓક્ટોબરથી સપ્ટેમ્બરના 12 મહિનાને ખાંડનું માર્કેટિંગ વર્ષ ગણવામાં આવે છે. તાજા આંકડા અનુસાર, આ વર્ષે ખાંડનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે.
સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ના આંકડા દર્શાવે છે કે, 16 ફેબ્રુઆરી સુધીમાં દેશનાં મુખ્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ ઘટીને 47% થઈ ગયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 82% હતો. છેલ્લાં 10 વર્ષની સરેરાશ 95 ટકા છે અને તેની સરખામણીએ પાણીનું સ્તર લગભગ અડધું થઈ ગયું છે.
PM Kisan યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 2023-24માં 14 ટકા ઘટીને 9.21 કરોડ થઈ છે, જે ગયા વર્ષે 10.73 કરોડ હતી. લાભાર્થીઓની અંતિમ સંખ્યા લગભગ 9.5 કરોડ છે.