Money9 Gujarati:
EPFO Wage Ceiling: સામાજિક સુરક્ષાનો વ્યાપ વધારવા માટે સરકાર ટૂંક સમયમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હેઠળ પીએફ ખાતાધારકોનો લઘુતમ પગાર વધારીને 21,000 રૂપિયા કરવા અંગે વિચારણા કરી રહી છે. EPFO હેઠળ, પગાર મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 21,000 રૂપિયા કરવા અંગે વિચારણા ચાલી રહી છે અને જો આવું થશે તો, EPFOના સભ્યોને ફાયદો થશે.
સામાજિક સુરક્ષા કવરેજ વધારવા માટે સરકાર EPFOની પગાર મર્યાદા વધારી શકે છે. વાસ્તવમાં ઘણા સમયથી પગાર મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી રહી છે. જો સરકારી પગાર મર્યાદા 15,000 રૂપિયાથી વધીને 21,000 રૂપિયા થશે, તો 21,000 રૂપિયાના 8.33 ટકા લેખે માસિક EPS યોગદાન 1,749 રૂપિયા થઈ જશે.
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હેઠળ પીએફ ખાતાધારકોનો લઘુત્તમ પગાર 15 હજાર રૂપિયાથી વધારીને 21 હજાર રૂપિયા કરી શકાય છે. એક રિપોર્ટ અનુસાર, જો સરકાર આવું કરશે તો કર્મચારીઓના પેન્શન (EPS)માં યોગદાનની રકમ પર અસર થશે. આ સાથે પીએફની રકમ પણ વધી શકે છે.
નોંધનીય છે કે EPFO અને ESIC બંને શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવે છે. EPFO હેઠળ પગાર મર્યાદામાં છેલ્લી વખત 2014માં સુધારો કરવામાં આવ્યો હતો. તે સમયે તે 6,500 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી હતી, જે આજે પણ લાગુ છે. આ સાથે, કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) પાસે 21,000 રૂપિયાની ઊંચી પગાર મર્યાદા છે કારણ કે તેમાં છેલ્લે 2017માં સુધારો કરવામાં આવ્યો હતો. સરકારનું કહેવું છે કે બે સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ પગાર મર્યાદાને જોડી દેવી જોઈએ.
કર્મચારી અને એમ્પ્લોયર બંને EPF ખાતામાં 12 ટકા યોગદાન આપે છે. કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ 1952 હેઠળ, કર્મચારીનું સંપૂર્ણ EPF યોગદાન પીએફ ખાતામાં જમા કરવામાં આવે છે, જ્યારે એમ્પ્લોયરના યોગદાનના 8.33 ટકા કર્મચારી પેન્શન યોજનામાં જમા થાય છે અને બાકીના 3.67 ટકા પીએફ ખાતામાં જમા થાય છે.
EPFOના અધિકારી જણાવે છે કે, પગાર મર્યાદા વધારવાથી સરકાર અને ખાનગી ક્ષેત્ર બંને પર મોટી નાણાકીય અસર પડશે. પરંતુ કામદારોને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવાનો આ વધુ સારો પ્રયાસ હશે. વધેલી વેતન મર્યાદાથી લાખો કામદારોને ફાયદો થશે કારણ કે મોટાભાગના રાજ્યોમાં લઘુત્તમ વેતન 18,000થી 25,000 રૂપિયાની વચ્ચે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો