MONEY9 GUJARATI: ખાનગી કંપનીમાં કામ કરતા ગજરાજે પોતાના પ્રોવિડન્ટ ફંડ (Provident Fund) એટલે કે પીએફ (PF) ખાતામાં તેના મિત્રને નોમિની (Nominee) બનાવ્યો હતો. લગ્ન બાદ આ એકાઉન્ટ (PF Account)માં પત્નીનું નામ અપડેટ ના કરાવ્યું. તાજેતરમાં જ ગજરાજનું મૃત્યું થઈ ગયું.. હવે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (Employees Provident Fund Organization) એટલે કે ઈપીએફઓ (EPFO) દ્વારા આપવામાં આવતી સુવિધાઓને લઈને પત્ની ચિંતિત છે. હવે PFની રકમ પર નોમિની અને ઉત્તરાધિકારીમાંથી કોનો વધુ અધિકાર છે? ચાલો સમજીએ-
EPFO એ એક રિટાયરમેન્ટ બૉડી છે જે કર્મચારીના મૃત્યુના કિસ્સામાં આશ્રિતોને PF અને ફેમિલી પેન્શનની સુવિધા પૂરી પાડે છે. ઇપીએફ સ્કીમમાં, કંપની તેના કર્મચારીના પગારમાંથી બેઝિક પે અને ડીએના 12 ટકા કાપી લે છે અને તે જ રકમ તેના પીએફ ખાતામાં જમા કરે છે. કંપનીના કૉન્ટ્રીબ્યુશનમાંથી 8.33 ટકા કર્મચારી પેન્શન સ્કીમ એટલે કે EPSમાં જમા થાય છે. બાકીની રકમ પીએફમાં જાય છે. જ્યારે કોઈ કર્મચારી EPFOનો સભ્ય બને છે ત્યારે તેણે નોમિનીની વિગતો તેની કંપનીને આપવી પડે છે. તપાસ બાદ કંપની આ વિગતો EPFOને સબમિટ કરે છે. કર્મચારીના મૃત્યુ પર, PF ના પૈસા નોમિનીને આપવામાં આવે છે… પરંતુ આ પૈસા મેળવવાની પ્રક્રિયા એટલી સરળ નથી. આ માટે ઘણા કાયદાકીય પડકારોનો સામનો કરવો પડે છે.
જો કે, હવે EPF ખાતામાં નૉમિનીનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જૂના ખાતાઓમાં, કેટલાક લોકોએ તેમના KYC અપડેટ કર્યા નથી. EPFO તેના સભ્યોને KYC અપડેટ કરવા માટે વારંવાર સૂચનાઓ મોકલી રહ્યું છે. જો કર્મચારીએ પીએફ ખાતામાં નૉમિની જાહેર ન કર્યો હોય અને તે મૃત્યુ પામે છે, તો ઉત્તરાધિકારીને કાયદા અનુસાર ખાતામાં જમા રકમ ચૂકવવામાં આવશે. આ રકમ સભ્યના કાનૂની વારસદારને આપવામાં આવશે.
આ સંદર્ભમાં, એજે ફર્નાન્ડિસ વિરુદ્ધ પીએફ કમિશનરના 2010ના કેસમાં, બોમ્બે હાઈકોર્ટે માન્યું છે કે કર્મચારીના મૃત્યુ પછી,,ઉત્તરાધિકાર કાયદા હેઠળ મૃતકના કાયદેસરના વારસદાર પીએફની સંપૂર્ણ રકમના હકદાર રહેશે. જો એક કરતાં વધુ આશ્રિત હોય, તો સભ્યને તેની પસંદગી મુજબ રકમનું વિતરણ કરવાનો વિકલ્પ મળે છે. ખાતાધારકના મૃત્યુ પર, પીએફની રકમ પહેલાથી જ જાહેર કરાયેલી ટકાવારી અનુસાર વહેંચવામાં આવશે. જો ખાતામાં શેરની વિગતો નોંધાયોલી નથી, તો પરિવારના સભ્યોને સમાન શેરમાં પીએફની રકમ મળશે. એક ખાતામાં કેટલા નૉમિની હોઈ શકે છે તેની કોઈ મર્યાદા નથી…
કર્મચારી પેન્શન યોજના અનુસાર, જો EPFO સભ્ય પુરૂષ છે તો પેન્શન પત્નીને આપવામાં આવશે. મહિલા સભ્યના કિસ્સામાં, પતિ અને પરિવારના પુત્રો અને પુત્રીઓ ફેમિલી પેન્શન માટે પાત્ર બનશે. કુટુંબની વ્યાખ્યામાં કાયદેસર રીતે દત્તક લીધેલા બાળકોનો પણ સમાવેશ થાય છે. માત્ર પરિવારના સભ્યોને જ ફેમિલી પેન્શનનો લાભ મળશે. જો ગજરાજની જેમ પરિવારમાં કોઈ સભ્ય ન હોય, તો તે કોઈપણ વ્યક્તિને તેના નૉમિની તરીકે નિયુક્ત કરી શકે છે. જો સભ્ય લગ્ન કરશે તો જૂનો નૉમિની અમાન્ય થઈ જશે. જો કે આ માટે સભ્યએ નવા નૉમિનીની જાહેરાત કરવાની રહેશે. ગજરાજે આ ફ્રન્ટ પર ભૂલ કરી દીધી.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ અનિલ કર્નાવલનું કહેવું છે કે કાયદા અનુસાર નૉમિની માત્ર પ્રોપર્ટીનો કસ્ટોડિયન એટલે કે સંરક્ષક છે. ઉત્તરાધિકાર કાયદા હેઠળ, મૃત્યુ પછી તેની મિલકત અથવા પૈસા તેના વારસદારને આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં શક્તિ યેઝદાની વિરુદ્ધ જયાનંદ સલગાંવકર કેસનો નિકાલ કર્યો છે જેમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું છે કે ભલે નૉમિની નોંધાયેલ હોય…પરંતુ કંપની એક્ટ હેઠળ, ઉત્તરાધિકારીને નૉમિની પર અગ્રતા આપવામાં આવશે. જોકે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કંપની એક્ટના સંદર્ભમાં આપ્યો છે, પરંતુ આ નિર્ણય EPF સહિત નૉમિની સાથે સંબંધિત અન્ય બાબતોમાં પણ એક ઉદાહરણ બને છે.
આવી સ્થિતિમાં ગજરાજની PFની રકમ પર તેની પત્નીનો અધિકાર છે. જો કે આ રકમ મેળવવા માટે તેમને કાયદાકીય લડાઈ લડવી પડશે. પરિવારને આવી પરિસ્થિતિઓમાંથી બચાવવા માટે, પીએફ, રોકાણ અને બચત સંબંધિત તમામ ખાતાઓમાં નૉમિનીની નોંધણી ખાસ કરો અને જરૂરિયાત મુજબ નૉમિનીને અપડેટ પણ કરતા રહો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો