Money9 Gujarati
લોકસભાની ચૂંટણી પહેલા સરકાર જનતાને રીઝવવા માટે ઘણી મહત્વની જાહેરાતો કરી શકે છે. સરકાર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં ઓછી કિંમતની હાઉસિંગ લોન પર આપવામાં આવતી સબસિડી વધારવાની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત પીએમ આવાસ યોજનાનું (Pradhan Mantri Awas Yojna) પણ વિસ્તરણ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 2024-25 માટે ઓછી કિંમતના આવાસ માટે ફાળવણી 15 ટકાથી વધુ વધારીને 1 લાખ કરોડ રૂપિયા થવાની સંભાવના છે. 2023માં આ રકમ 790 અબજ રૂપિયા હતી.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં 140 કરોડથી પણ વધારે લોકો રહે છે અને ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડથી પણ વધારે મકાનોની અછત છે. એક અંદાજ અનુસાર, 2030 સુધીમાં શહેરી આવાસની અછત 15 લાખથી પણ બમણી થવાની ધારણા છે. સરકારી ડેટા અનુસાર, ભારતની સંઘીય અને રાજ્ય સરકારોએ ગામડાં અને શહેરોમાં ઓછા ખર્ચે આવાસ માટે સહાય પૂરી પાડવા માટેના કાર્યક્રમો પર છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 29 અબજ ડૉલરનો ખર્ચ કર્યો છે.
પીએમ મોદીએ આ આવાસ યોજના 2015માં શરૂ કરી હતી. તે ડિસેમ્બર 2024માં સમાપ્ત થવાની હતી, પરંતુ સરકાર તેને ત્રણથી પાંચ વર્ષ માટે લંબાવી શકે છે. એવું માનવામાં આવે છે કે યોજના હેઠળનો લક્ષ્યાંક હજુ સુધી પ્રાપ્ત થયો નથી.
સૂત્રોનું કહેવું છે કે, જમીન અને બાંધકામ સામગ્રીની કિંમત વધી હોવાથી પીએમ આવાસ યોજનાના વિસ્તરણ પર સબસિડી આપવાની ભલામણ કરવામાં આવી છે. સરકાર આ ભલામણ સ્વીકારે તેવી શક્યતા છે.
પ્રધાન મંત્રી આવાસ યોજનાની શરૂઆત જૂન 2015માં થઈ હતી. સરકારે ‘હાઉસિંગ ફોર ઓલ’નો ઈરાદો વ્યક્ત કરીને આ સ્કીમ લોન્ચ કરી હતી. આ યોજનાની છેલ્લી તારીખ ડિસેમ્બર 2024 હતી, પરંતુ ટાર્ગેટ પૂરો થયો ન હોવાથી સરકાર તેને વધુ 3થી 4 વર્ષ માટે લંબાવી શકે છે.
કેન્દ્ર સરકાર હાઉસિંગ સ્કીમ હેઠળ, હાઉસિંગ બાંધકામ માટે બેંક લોન મેળવતા પરિવારોને 1,00,000થી 2,67,000 વચ્ચેની વ્યાજ-ખર્ચ સબસિડી આપે છે. આવી સ્થિતિમાં, અધિકારીઓએ ગ્રામીણ વિસ્તારોમાં પ્રત્યેક પરિવાર માટે આશરે 2,00,000 રૂપિયાની નાણાકીય સહાય અને શહેરી વિસ્તારોમાં 50 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર વ્યાજ સબસિડીને સમર્થન આપ્યું હતું.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો