Money9 Gujarati:
કેન્દ્ર સરકારે સોના-ચાંદીની આયાતના નિયમો વધુ કડક કરી દીધા છે. હવે સોના-ચાંદી અને સિક્કામાંથી બનેલી ચીજવસ્તુઓ પર પણ 15 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લાદવામાં આવશે. અગાઉ આ દર 10 ટકા હતો. નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે સોના અને ચાંદીની વસ્તુઓ અને સિક્કાઓ પર 10 ટકા બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD) અને 5 ટકા એગ્રીકલ્ચર સેસ (કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ) વસૂલવામાં આવશે. નવા દરો 22 જાન્યુઆરીથી અમલી બનશે. આમાંથી, સામાજિક કલ્યાણ સરચાર્જ (SWC)ને મુક્તિ છે. દેશનાં ઉદ્યોગને ફાયદો થાય તે માટે સરકારે આ પગલું ભર્યું છે. ઘરેણાં બનાવવા માટે ઉપયોગમાં લેવાતા હૂક અને ક્લિપને તારણ કહે છે અને તેની આયાત પર મોંઘી થશે.
કિંમતી ધાતુઓ ધરાવતા ઉત્પ્રેરક પરની આયાત ડ્યૂટી પણ વધારી છે. ડ્યૂટી વધારીને 14.35 ટકા કરવામાં આવી છે જેમાં 10 બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (BCD) અને 4.35 ટકા AIDC (કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ) SWSમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સોના અને ચાંદીની આયાત પર લાગતી ડ્યૂટી ઘટાડવા માટે દેશનાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન બોર્ડે વિનંતી પણ કરી છે. GJEPCએ વિનંતી કરી છે કે, મૂલ્યવાન મેટલ્સ પર અત્યારે 15 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લાગે છે, જેને ઘટાડીને 4 ટકા કરવી જોઈએ. કટ અને પોલિશ્ડ ડાયમંડ પર અત્યારે 5 ટકા કસ્ટમ્સ ડ્યૂટી લાગે છે, જેને ઘટાડીને 2.5 ટકા કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ભારતનો જેમ અને જ્વેલરી ઉદ્યોગ આયાત પર નિર્ભર છે. ભારતમાં ગોલ્ડ, ડાયમંડ, સિલ્વર અને કલર્ડ જેમસ્ટોન જેવા કાચા મટીરિયલની મહત્તમ આયાત કરવામાં આવે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો