Money9 gujarati: આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોય છે. આપણે બેંકમાં પૈસા જમા કરીએ અને બેંક તેને વ્યાજ સાથે પરત કરે. એનો અર્થ એ કે આપણે જેટલું આપ્યું તેનાથી વધારે આપણને પાછું મળે છે. પરંતુ શું ક્યારેય એવું વિચારવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યારે બેંક આપણને વધારે પૈસા ચૂકવે છે તો તે કેવી રીતે કમાતી હશે? આ સાથે બેંક તેના કર્મચારીઓના પગારથી લઇને તેમની સુવિધાઓ કેવીરીતે પૂરી પાડે છે?
1. SMS ચાર્જ-
તમારી બેંક તરફથી તમારી પાસે કેટલા એસએમએસ આવે છે? શું તમને ખબર છે કે આ એસએમએસ માટે બેંક કવાર્ટલી પોતાના કસ્ટમર્સને ચાર્જ કરે છે. RBIની ગાઇડલાઇન કહે છે કે બેંકો આ સર્વિસ ફ્રી આપવી જોઇએ પરંતુ ઘણી બેંક્સ એવી છે જે 5 પૈસા પ્રતિ એસએમએસના હિસાબે 25 રૂપિયા મહિનાના (જીએસટી અલગથી) કસ્ટમર્સના બેંક એકાઉન્ટમાંથી કાપી લે છે.
2. ફંડ ટ્રાન્સફર ચાર્જ-
NEFT, RTGS, IMPS જેવી સેવાઓ માટે અલગ ટ્રાન્ઝેક્શન મર્યાદા નક્કી કરવામાં આવી છે. એકવાર પૈસા ટ્રાન્સફર કરવા માટે IMPSમાં 5 થી 50 રૂપિયા લાગી શકે છે. આ માત્ર એક ટ્રાન્ઝેક્શનની ફી હશે એટલે કે જો તમે એક મહિનામાં 5 ટ્રાન્ઝેક્શન કરો છો તો પણ 250 વત્તા GST ચાર્જ થઈ શકે છે. સમાન શુલ્ક RTGS, NEFT માં પણ વસૂલવામાં આવે છે. 10,000 થી નીચેના ટ્રાન્ઝેક્શન માટે NEFT ચાર્જ 25 પૈસા જ લાગે છે.
3. ડેબિટ/ATM કાર્ડ ચાર્જ –
એ તો તમને ખબર જ હશે કે જો તમે નોન-બેંક એટીએમમાંથી ત્રણથી વધુ વખત પૈસા ઉપાડો છો, તો બેંક તેના માટે પણ અલગથી ચાર્જ લગાવે છે, બેંક તમારી પાસેથી પ્રતિ ટ્રાન્ઝેક્શન 25 રૂપિયા (જીએસટી સિવાય) ચાર્જ કરી શકે છે. એટલું જ નહીં, કાર્ડ માટે મેન્ટેનન્સ ચાર્જ પણ છે, જેમાં વર્ષમાં એકવાર તમારા ખાતામાંથી 100-500 રૂપિયાની રકમ કાપવામાં આવે છે. જો તમારે કોઈપણ પ્રકારનું નવું કાર્ડ બનાવવું હોય તો તમારે તેના માટે પણ ચૂકવણી કરવી પડશે.
4. ઇ-કોમર્સ બેંકિંગ ચાર્જ-
આ ચાર્જ આજકાલ સૌથી વધુ ચલણમાં છે અને બેંકો દ્વારા ઈ-કોમર્સ ચાર્જ લેવામાં આવે છે. આ શુલ્ક રૂ. 20 થી રૂ. 100 પ્રતિ ટ્રાન્ઝેક્શન લેવામાં આવે છે. આ માત્ર ઈ-કોમર્સ વેબસાઈટ પૂરતો જ સીમિત નથી, પરંતુ ઘણી સર્વિસિઝ જેવી કે IRCTCથી ટિકિટ બુક કરવી, પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરવા, યુપીઆઈ પેમેન્ટ વગેરે જેવી ઘણી સેવાઓ માટે પણ બેંક ચાર્જ વસૂલે છે.
5. ટ્રાન્ઝેક્શન ચાર્જ- હવે તમને લાગતું હશે કે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો અને પૈસા ટ્રાન્સફર કરવાનો અને ઈ-કોમર્સનો ચાર્જ બેંક લે છે, તેની સાથે અન્ય કેવા કેવા ટ્રાન્ઝેક્શન ચાર્જ છે, તો તમને જણાવી દઈએ કે આ કાર્ડ સ્વાઈપ કરવાનો પણ ચાર્જ છે. .
જો તમે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરો છો, તો 2% વધારાનો ચાર્જ લાગે છે. તેવી જ રીતે, ડેબિટ કાર્ડથી ચૂકવણી કરવા માટે વધારાનો ચાર્જ છે. જો તમે તમારી બેંકમાં રોકડ જમા કરાવવા અથવા તમારી બેંકમાંથી રોકડ ઉપાડવા જાઓ છો, તો તેના માટે પણ ચાર્જ લાગે છે. જો તમારી ટ્રાન્ઝેક્શન લિમિટ વધારે છે તો દર મહિને તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ શકે છે. આ ચાર્જ ગ્રાહક અને રિટેલર એમ બધા પાસેથી લેવામાં આવે છે.
6. પિન રીસેટ અને કાર્ડ ડિક્લાઇન
અહીં આપણે નેટ બેન્કિંગ પિન રીસેટ કરવાની વાત નથી કરી રહ્યા, પરંતુ અહીં આપણે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ પિન રીસેટ કરવાની વાત કરી રહ્યા છીએ. HDFC જેવી ઘણી ખાનગી બેંકો ગ્રાહકોને તેમનો પિન રીસેટ કરવા માટે વધારાના શુલ્ક વસૂલે છે. તેવી જ રીતે, જો કોઈ કાર્ડધારકને તેનું ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ સંપૂર્ણપણે બંધ કરવું હોય, તો તેના માટે પણ અલગ ચાર્જ છે.
7. લોન પરનું વ્યાજ-
હવે એવી કમાણીની વાત કરીએ જે કદાચ મહત્તમ પ્રોફિટ આપી શકે છે. બેંકો ગ્રાહકો દ્વારા જમા કરાયેલા નાણાં અન્ય ગ્રાહકોને ઉછીના આપે છે. આ સિવાય બેંકો બજારમાં જમા રકમમાંથી અમુક શેર અને ફંડમાં પણ રોકાણ કરે છે, બેંકો માત્ર ગ્રાહકોને જ નહીં પરંતુ ઘણા વ્યવસાયો અને પેઢીઓને પણ લોન આપે છે જેમની રકમ ઘણી વધારે હોય છે. આના પર બેંકોને વ્યાજ પણ ખુબ ઉંચું વસૂલે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો