Money9: આર્થિક સુધારાની શરૂઆતથી જ દેશના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન ઘટી રહ્યું છે. વર્ષ 1990-91માં તે 35 ટકા હતો, જે નાણાકીય વર્ષ 2022-23ના અંતે ઘટીને 15 ટકા થઈ ગયો. એટલે કે છેલ્લા 32 વર્ષમાં દેશના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રની હિસ્સેદારી 20 ટકા ઘટી ગઇ. જો કે, આ ઘટાડા પાછળ કૃષિ ક્ષેત્રના ઘટાડાના બદલે ઔદ્યોગિક અને સર્વિસ સેક્ટરના ગ્રોથમાં તીવ્ર ઉછાળો વધારે મોટું કારણ છે. સરરકારી આંકડા અનુસાર, છેલ્લા 5 વર્ષમાં કૃષિ અને સંલગ્ન સેકટર્સનો સરેરાશ વાર્ષિક ગ્રોથ 4 ટકા રહ્યો છે.
દેશમાં ટ્રેક્ટરના વેચાણના આંકડા પરથી કૃષિ ક્ષેત્ર અથવા ગ્રામીણ અર્થતંત્રની તંદુરસ્તીનો અંદાજ લગાવી શકાય છે…. તો કેવા છે આપણા દેશમાં ટ્રેક્ટરના વેચાણના આંકડા? કઈ કંપનીની પાસે કેટલો માર્કેટ શેર છે? અને આ સેક્ટરની કંપનીઓમાં રણનીતિ કેવી રીતે તૈયાર કરવી જોઈએ? આવો જાણીએ..
નાણાકીય વર્ષ 2022-23માં 12 ટકાના ગ્રોથની સાથે રેકોર્ડ 9.45 લાખ ટ્રેક્ટર વેચાયા. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ 9 મહિના એટલે કે એપ્રિલથી ડિસેમ્બર 2023 દરમિયાન દેશમાં ટ્રેક્ટરનું કુલ વેચાણ 4 ટકા ઘટ્યું છે. તેમ છતાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ટ્રેક્ટરના વેચાણનો આંકડો 6 ટકા વધ્યો છે. પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ટ્રેક્ટર વેચાણમાં મોટો ઘટાડો આવ્યો છે. ઉત્તર પ્રદેશનો ગ્રોથ, વેચાણમાં 40 ટકાથી વધુ યોગદાન આપનારા 7 રાજ્યોમાં થયેલા ઘટાડાની ભરપાઇ ન કરી શકી. આ 7 રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, બિહાર અને તમિલનાડુ સામેલ છે…
મહારાષ્ટ્રમાં 33 ટકા, કર્ણાટકમાં 21 ટકા અને તેલંગાણામાં ટ્રેક્ટર વેચાણ 36 ટકા ઘટ્યું છે. આ રાજ્યોમાં વેચાણનો આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. એટલું જ નહીં ટ્રેક્ટર વેચાણની દ્રષ્ટિએ દેશના બીજા સૌથી મોટા રાજ્ય મધ્ય પ્રદેશમાં 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
મહત્વનું છે કે નાણાકીય વર્ષ 24 ના પ્રથમ છ મહિનામાં એટલે કે એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન ટ્રેક્ટરના કુલ વેચાણમાં 3.7 ટકાનો ઘટાડો થયો હતો. સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદને કારણે ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં રવિના વાવેતર પર સકારાત્મક અસર જોવા મળી હતી. જેના કારણે FY 24 ના બીજા છમાસિક ગાળામાં ગ્રોથ અને FY 24ના અંતે ટ્રેક્ટર વેચાણમાં સામાન્ય ગ્રોથની આશા વ્યક્ત કરવામાં આવી હતી..
ટ્રેક્ટરની કુલ માંગનો ત્રણ ચતુર્થાંશ હિસ્સો એગ્રીકલ્ચર સેક્ટરમાંથી આવે છે… આ માંગની આગેવાની ખેડૂતોનું સેન્ટિમેન્ટ કરે છે જે ચોમાસા અને ગ્રામીણ આવકથી પ્રભાવિત થાય છે..માંગનો બાકીનો હિસ્સો ઈન્ફ્રા અને માઈનિંગ જેવા કોમર્શિયલ સેગમેન્ટમાંથી આવે છે.
ભલે રવિ પાકનું ઉત્પાદન સારું રહેવાની ધારણા હોય પરંતુ ખરાબ હવામાન, અલ નીનોના કારણે અસમાન મોનસૂન અને અપૂરતા વરસાદને કારણે કૃષિ ઉત્પાદનને પણ અસર થઈ છે… આનાથી કૃષિ આવક પર પણ અસર પડી છે જેનાથી ખેડૂતોએ ટ્રેક્ટર ખરીદવાની યોજનાને ક્યાં તો મુલતવી રાખી કે રદ્દ કરી દીધી… દેશની સૌથી મોટી ટ્રેક્ટર વેચતી કંપની M&M માને છે કે ચોથા એટલે કે વર્તમાન ક્વાર્ટરમાં વેચાણ 10 ટકા ઘટશે… આ રીતે, સમગ્ર FY24માં વેચાણ 5 ટકાના ઘટાડાની શક્યતા જે હાલમાં 4 ટકાથી થોડી વધુ છે. આવું જ કંઇક અનુમાન એસ્કોર્ટ્સ કુબોટા, સ્વરાજ મઝદા, ફોર્સ મોટર્સ વગેરે જેવી કંપનીઓનું પણ છે. રિઝવોર્યર એટલે કે જળાશયોના સ્તરમાં ઘટાડાની પણ સેન્ટિમેન્ટ પર અસર થઈ છે. સેન્ટ્રલ વોટર કમિશનના 150 મહત્વપૂર્ણ જળાશયો પરના રિપોર્ટ મુજબ ગયા વર્ષથી પાણીનું સ્તર 18 ટકા અને એક દાયકાની સરેરાશથી 5 ટકા નીચે છે.
હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ટ્રેક્ટર બિઝનેસને લગતી કંપનીઓમાં કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ?
AUM કેપિટલના HoR, રાજેશ અગ્રવાલનું માનવું છે કે FY24માં ટ્રેક્ટરનું વેચાણ વધવાની આશા લગભગ નહીંવત છે. જો ચોમાસું સારું રહે અને ચૂંટણી પછી ગ્રામીણ ખર્ચમાં વધારો થાય, તો FY25માં વેચાણમાં વાર્ષિક આધારે વૃદ્ધિ થઈ શકે છે. આ ક્ષેત્રમાં રોકાણના દૃષ્ટિકોણથી, માત્ર એસ્કોર્ટ્સને 15-16 ટકાના વાર્ષિક રિટર્નની આશાએ ખરીદી શકાય છે કારણ કે અન્ય વિકલ્પ M&Mનો શેર ઘણો વધી ચૂક્યો છે.
એકંદરે, FY23 માં રેકોર્ડ વેચાણ બાદ FY24 ટ્રેક્ટરના વેચાણની દ્રષ્ટિએ ખરાબ રહેવાની ધારણા છે… જો સરકારનું ગ્રોથ પર ફોકસ ચાલુ રહેશે અને ચૂંટણી પછી ગ્રામીણ ખર્ચમાં વધારો થશે, તો આવતા નાણાકીય વર્ષમાં વેચાણમાં સુધારો થઈ શકે છે. તેથી, એક આ સેક્ટરમાં પસંદગીની કંપનીઓમાં સમજદારીપૂર્વક રોકાણ કરવું જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો