Money9: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓએ પોતાના સભ્યો માટે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જે અંતર્ગત હવે જો કોઈ ઈપીએફઓ સભ્ય નોકરી બદલે છે તો તેની પીએફની રકમ નવી કંપની કે એમ્પ્લોયર પાસે ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે. સભ્યે તેના માટે કોઇ અરજી કરવાની જરૂર નથી. નવા નિયમને લાગુ કરી દેવાયો છે. કર્મચારીઓએ જૂનીથી નવી કંપનીમાં પીએફ રકમ ટ્રાન્સફર કરવા માટે ફોર્મ-31 નહીં ભરવું પડે. અત્યાર સુધી નોકરી બદલતી વખતે કર્મચારીઓએ યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુએએન હોવા છતાં બેલેન્સ ટ્રાન્સફર માટે એપ્લિકેશન કરવી પડતી હતી.
એપ્રિલ મહિનો શરૂ થતાની સાથે જ નાણાકીય વર્ષ 2023-24ના રીટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને આ પ્રક્રિયા ઓકટોબર સુધી ચાલશે. જેને એસેસમેન્ટ યર 2024-25 તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વ્યક્તિગત કરદાતાને જો જૂની કરવ્યવસ્થા જેમાં આવકવેરાની વિવિધ કલમો હેઠળ અઢી લાખની કરમુક્તિ મળે છે. જો તમારે જૂની ટેક્સ રેજિમ મુજબ રિટર્ન ફાઈલ કરવું હોય તો તમારે 31 જુલાઈ 2024 સુધીમાં રીટર્ન ફાઈલ કરી દેવું પડશે. જો તે તારીખ સુધીમાં રીટર્ન ફાઈલ નહી કરો તો તમને ઓલ્ડ ટેક્સ રેજિમ હેઠળ જે વિવિધ ડિડકશનનો લાભ મળે છે તે નહીં મળે. નાણા મંત્રાલયે ત્રણ વર્ષ પુર્વે લાગુ કરેલી નવી કરવ્યવસ્થા જેમાં કોઈ કરકપાતના લાભ વગર જ 7 લાખ સુધીની આવક કરમુક્ત છે અને ફકત 50 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડકશનનો લાભ મળે છે. જો કે આવકવેરા વિભાગે તેને ડીફોલ્ટ સીસ્ટમ તરીકે જાહેર કરી છે.
ગોલ્ડના ભાવ વધતાની સાથે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમના અધિકારીની એર ઇન્ટેલીજન્સ યુનિટ અને ડીઆરઆઇના અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે. અખાતી દેશો જેવા કે, દુબઈ ,મસ્તક,શાારજાહ અને દોહાથી આવતા પેસેન્જરો પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને પેસેન્જરોની શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામા આવી રહી છે. બેગેજનું ૧૦૦ ટકા સ્ક્રિનિંગ કરાઈ રહ્યું છે. પેસેન્જરો દાણચોરી કરવા માટે નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે. તાજેતરમાં જ પાંચ શખ્સોની ૪૯ લાખની દાણચારીના કેસમાં ધરપકડ કરાઈ હતી. માર્ચ મહિનામાં અંદાજે ૧૦ કરોડનું અંદાજિતા દાણચોરીનું ગોલ્ડ એરપોર્ટ પરથી પકડાયું હતું.
સાયબર ક્રાઈમમાં રૂપિયા પડાવલા માટે નીતનવી મોડસ ઓપરેન્ડી સામે આવી રહી છે. તેવામાં હવે ટ્રાઈના નામે રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. પહેલા ઠગ ટોળકી કુરિયરમાં ડ્રગ્સ કે શંકાસ્પદ વસ્તુ તમારા નામથી મળી હોવાનું કહીને લોકોને પોલીસ અધિકારી બનીને ડરાવીને પૈસા પડાવતી હતી. ત્યારે હવે આ સાયબર ક્રિમિનલોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. જેમાં ઠગ ટોળકી પ્રિ રેકોર્ડેડ ઓડિયો કોલ કરે છે. બાદમાં તમારા ફોન નંબરનો કોઈ ગુનામાં ઉપયોગ થયો હોવાથી બે કલાકમાં બ્લોક જશે તેમ કહે છે. બાદમાં નંબર ચાલુ રાખવો હોય તો 9 નંબર ડાયલ કરો તેમ કહીને ટેલિકોમના કોઈ અધિકારી બનીને ફોન કરે છે અને તમારી પાસેથી પૈસા પડાવે છે. પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ કરી ત્યારે આ પ્રકારની ગેંગ દેશ બહાર રહી પોતાનું નેટવર્ક ચલાવતી હોવાનું સામે આવ્યું છે.
ઊંઝા એપીએમસીમાં ઊંઝા ગંજબજારમાં શિયાળુ પાકોની આવકો શરૂ થઈ છે જેમાં જીરુની જીરુની દૈનિક ૪૫ હજાર બોરીની આવક થઈ રહી છે. જ્યારે વરિયાળીની ૨૫થી ૩૦ હજાર બોરી અને અજમાની ૩૦૦૦ બોરી આવકો થઈ રહી છે. જોકે, જીરુમાં સુપર ભાવ રૂ. ૪,૫૫૦થી ૪,૫૦૦ બેસ્ટ ભાવ ૪,૪૦૦થી ૪૪૫૦ મીડિયમના ૪,૩૫૦થી ૪,૪૦૦ અને ચાલુ ભાવ રૂ. ૪,૨૫૦થી ૪,૩૫૦ સુધીના જોવા મળ્યા હતા. જીરૂમાં હોળી-ધૂળેટી અને માર્ચ એન્ડિંગ બાદ એપ્રિલ મહિનામાં આવકો ધીમી પડી રહી છે. ભાવો ઊંચકાયા તો આવકો વધે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. જોકે ઉત્પાદન વધુ હોવાથી ભાવમાં તેજી થવાની શક્યતા ઓછી છે. નીચા ભાવે ખેડૂતો માલ વેચવા તૈયાર નથી. થોભો અને રાહ જુઓની રણનીતિ ખેડૂતોએ જીરુમાં અપનાવી છે.
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપએ વિવિધ નિયમોના ભંગ બદલ ભારતમાં ૭૬ લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. WhatsAppએ નવા IT નિયમો ૨૦૨૧ હેઠળ તેનો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં યૂઝર્સના એકાઉન્ટસ પર પગલાં લેવાની માહિતી સામે આવી છે. તો જો તમારે પણ તારુ વોટ્સએપ ચાલુ રાખવું હોય તો આટલું કરો..તમારે વિવાદાસ્પદ સામગ્રી શેર કરવાનું હંમેશા ટાળવું જોઈએ. જો તમે કંપનીની નીતિનું ઉલ્લંઘન કરતું કંઈક કરો છો, તો તમને પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. થર્ડ પાર્ટી કોપિરાઇટ, ટ્રેડમાર્ક અને અન્ય નીતિઓને તોડવી પણ યૂઝર્સ માટે મોંઘી સાબિત થઈ શકે છે.
વિશ્વપ્રસિદ્ધ મહાકાલના દરબારમાં શ્રદ્ધાળુઓ દર્શનની અભિલાષા સાથે જતા હોય છે પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેઓ રીલ બનાવે છે અને પ્રતિબંધિત ક્ષેત્રમાં ફોટોગ્રાફી કરતા જોવા મળે છે. અગાઉ મહાકાલ મંદિરમાં ફિલ્મી ગીતો પર ડાન્સનો વીડિયો બનાવવાના બનાવો બન્યા હતા..એક યુવતીએ ગર્ભગૃહમાં બાબા મહાકાલના અભિષેકની રીલ બનાવી હતી, એક યુવતી પરિસરમાં નાચતી જોવા મળી હતી. આવા લોકોને કાબૂમાં રાખવા માટે મહાકાલ મંદિર વ્યવસ્થાપક સમિતિએ કેટલાક દિશાનિર્દેશો બનાવ્યા છે અને તેનું કડક પાલન કરવાના નિર્દેશ આપ્યા છે. જો કોઈ શ્રદ્ધાળુ મંદિરમાં રીલ બનાવતા જોવા મળશે તો પહેલાં તેને સમજાવવામાં આવશે તેમ છતાં નહીં માને તો તેની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.
ભારતીય રેલવેએ નવી પહેલ શરૂ કરી છે. જે અંતર્ગત હવે પ્રવાસીઓને રેલવે સ્ટેશન ઉપર રાશન સામગ્રી પણ ઉપલબ્ધ કરવામાં આવશે. ભારતીય રેલવે ત્રણ મહિના માટે પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. કરોડો પ્રવાસીઓને તેમનાં ગંતવ્યસ્થાન પર પહોંચાડતી રેલવેની આ નવી પહેલ છે. મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકારે ભારત બ્રાન્ડ હેઠળ સસ્તા ભાવે લોટ અને ચોખા ઉપલબ્ધ કરાવ્યા છે. હવે ભારતીય રેલ્વેએ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પસંદગીના સ્ટેશનો પર લોટ અને ચોખા પ્રદાન કરવાની યોજના શરૂ કરીછે. આ સમગ્ર સિસ્ટમ પર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ કમર્શિયલ મેનેજર દ્વારા દેખરેખ રાખવામાં આવશે વેચાણની જવાબદારી એક એજન્સીને સોંપવામાં આવશે આ એજન્સી ત્રણ મહિના સુધી વેચાણનું કામ કરશે.
ભારતમાં પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડો થયો છે, પરંતુ તેની માંગ સતત વધી રહી છે. માર્ચમાં વાર્ષિક ધોરણે ઈંધણના વપરાશમાં 0.6 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે નાણાકીય વર્ષ 2024માં ઈંધણની માંગ લગભગ 5 ટકા વધી છે. તેનું મુખ્ય કારણ પેટ્રોલ, ડીઝલ અને નેપ્થાના વેચાણમાં થયેલો વધારો છે… ઓઇલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ PPACના પ્રારંભિક ડેટા અનુસાર માર્ચમાં ઈંધણનો કુલ વપરાશ 4.99 મિલિયન બેરલ પ્રતિ દિવસ હતો. જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં તે 5.02 મિલિયન બેરલ પ્રતિ દિવસ કરતાં નજીવો ઓછો હતો. જો કે, નાણાકીય વર્ષ 2024 માટે ઇંધણની માંગ 233.276 મિલિયન ટન અથવા 4.67 મિલિયન બેરલ પ્રતિ દિવસની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી છે, જે ગયા વર્ષના 223.021 મિલિયન ટન અથવા 4.48 મિલિયન બેરલ પ્રતિ દિવસના આંકડા કરતાં થોડી વધારે છે.
જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખ્યો હોય અને કામ માટે ટ્રેનમાં મુસાફરી કરવી પડી હોય… તો IRCTC એ તમારા માટે નવરાત્રી સ્પેશિયલ થાળીનું આયોજન કર્યું છે… વંદે ભારત, શતાબ્દી એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ વગેરે એ VIP ટ્રેનો છે જેમાં બિઝનેસ ક્લાસના મુસાફરો મુસાફરી કરે છે. આ વખતે IRCTC સમગ્ર નવરાત્રિ દરમિયાન તેમના માટે સાત્વિક થાળીની વ્યવસ્થા કરી રહી છે. જો તમે આ ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમે ઇ-કેટરિંગ દ્વારા તમારા માટે ઉપવાસની થાળી અથવા સંબંધિત ખોરાકની માંગ કરી શકો છો. આ માટે મુસાફરે ઓનલાઈન ઓર્ડર આપવાનો રહેશે અને તેની સીટ પર સાત્વિક થાળી આપવામાં આવશે. લસણ અને ડુંગળી વગરનું ભોજન, ઉપવાસ માટે ડ્રાય ફ્રૂટ્સ, જૈન થાળી, ફળો, જ્યુસ, દૂધ અને સ્વચ્છ પીવાનું પાણી ઓર્ડર પર તમામ મુસાફરોને મળશે…
સ્વિગીએ હવે પાણી પર પણ તેની ફૂડ ડિલિવરી સેવાઓ શરૂ કરી છે. કંપનીએ તેની શરૂઆત જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી કરી છે. સ્વિગીએ કહ્યું કે કંપનીએ શ્રીનગરના આઇકોનિક દાલ લેક પર હાઉસબોટ સુધી ખોરાક પહોંચાડવા માટે તેની સેવાઓનો વિસ્તાર કર્યો છે. કંપનીના ડિલિવરી ભાગીદારો આ તરતી હાઉસબોટ્સ સુધી પહોંચવા માટે શહેરની પ્રખ્યાત શિકારા બોટનો ઉપયોગ કરશે. કંપનીની પ્રેસ રિલીઝ મુજબ, આ ઓપરેટરોને એક્સટેન્ડેડ ડિલિવરી ટાઇમ માટે વળતર પણ આપવામાં આવે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો