Money9: બેંકો કેવાયસી processને વધારે મજબૂત કરવાની તૈયારીમાં છે. કેવાયસી સ્ટાન્ડર્ડને કડક બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જે અંતર્ગત બેંક એકાઉન્ટ્સ અને એકાઉન્ટ્સ હોલ્ડર્સની ઓળખ કરવા માટે બીજા કેટલાક વેરિફિકેશન લેયર્સને જોડવામાં આવશે. યોજના મુજબ એક ફોન નંબરથી જોડાયેલા એક કે તેથી વધુ એકાઉન્ટ્સ કે પછી જોઇન્ટ એકાઉન્ટ્સમાં કેવાયસી અપડેટ કરવામાં આવશે. એકથી વધુ એકાઉન્ટ રાખનારા કસ્ટમર્સ જેમણે અલગ-અલગ ડોક્યુમેન્ટ્સ લગાવીને ખાતા ખોલ્યા છે. તેમનું બેંક વધુ વેરિફિકેશન કરી શકે છે. જોઇન્ટ એકાઉન્ટ્સ માટે પાન, આધાર અને યૂનિક મોબાઇલ નંબર તરીકે મલ્ટી લેવલ સેકન્ડરી આઇડેન્ટિફાયર્સ (multi level secondary identifiers ) પર વિચારણા કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં મલ્ટીપલ એકાઉન્ટ્સ રાખનારા કસ્ટમર્સ પાસેથી બેંક વધારે ડોક્યુમેન્ટ્સ માંગી શકે છે.
ચાલુ financial yearમાં સોનાની કિંમતો રેકોર્ડ ઉંચાઇએ પહોંચવા અને સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઇમ હાઇ પર પહોંચવા છતાં ભારતમાં ગોલ્ડ બોન્ડ તરફ લોકોનું આકર્ષણ ઘણું વધ્યું છે. આરબીઆઇના આંકડાથી ખબર પડે છે કે ગયા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં રોકાણકારોએ બોન્ડ સ્વરૂપે 8,008.38 કરોડ રૂપિયાનું રેકોર્ડ 12.78 ટન સોનું ખરીદ્યું જે અત્યાર સુધીની maximum amount છે. ગયા મહિને બહાર પાડવામાં આવેલા સોવરિન ગોલ્ડ બોન્ડ 6,263 રૂપિયા પ્રતિ ગ્રામના રેકોર્ડ હાઇ પર હતા. ફિઝિકલ ગોલ્ડના ઓપ્શન તરીકે બોન્ડ માટે કન્ઝ્યુમર એટ્રેક્શન FY 2024માં 44.33 ટન રહ્યું જે કોઇપણ financial yearમાં સૌથી વધુ છે.
કોવિડ-19 મહામારી સમયે એવું લાગી રહ્યું હતું કે પ્રોપર્ટી માર્કેટમાં ઘટાડો જોવા મળશે પરંતુ કોરોના કાળ બાદ ઘર અને જમીનોના ભાવમાં મોટો વધારો થયો. ફિક્કી અને એનારોકના એક સર્વેમાં આ અંગે માહિતી આપવામાં આવી છે. આ સર્વેમાં જણાવાયું છે કે દેશમાં મોટા અને લક્ઝરી ઘરોની માંગમાં ઉલ્લેખનીય તેજી આવી છે. સર્વે અનુસાર ફરી એકવાર દેશના લોકો રહેણાંક મકાનો ખરીદી રહ્યા છે. 36 ટકા લોકો રોકાણના હેતુથી ઘર ખરીદવા માંગે છે. સંભવિત ઘર ખરીદનારા મોટું ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને નવા પ્રોજેક્ટ્સમાં ફ્લેટ ખરીદવાથી પણ ખચકાતા નથી. ફિક્કીનું કહેવું છે કે disposable income વધવા, અને કોવિડની મહામારી બાદ ઘરેથી કામ કરવાના ટ્રેન્ડના કારણે આજે ખરીદનાર મોટા ઘર ખરીદવા માંગે છે. જેનાથી દેશમાં મોટા અને લક્ઝરી ઘરોની માંગમાં ઘણી તેજી આવી છે. ઉપરાંત હવે લોકો ભાડાના ઘરમાં રહેવાના બદલે ઘરના માલિક બનવા માંગે છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેનોનું ભારણ ઘટાડવાની સાથે રિડેવલપેન્ટના ભાગરૂપે અમદાવાદ સ્ટેશનથી ઊપડતી કેટલીક ટ્રેનોના રૂટ બદલાયા છે. જેમાં સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ, અમદાવાદ-લખનઉ એક્સપ્રેસ, અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ, અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ, અમદાવાદ-સુલતાનપુર એક્સપ્રેસ અને અમદાવાદ- માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનેથી તેમ જ અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ, અમદાવાદ-જમ્મુતાવી એક્સપ્રેસ અને અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ સ્ટેશનેથી ઊપડશે. આ તમામ ટ્રેનને 15 માર્ચથી તબક્કાવાર શિફ્ટ કરાશે, સાથે જ ગાંધીનગરથી ઉપડતી ટ્રેનો વાયા ચાંદલોડિયા થઇને જશે એટલે કે તે કાલુપુર કે સાબરમતી સ્ટેશન નહીં ઉભી રહે. એટલે જો તમે અમદાવાદમાં રહો છો અને ગાંધીનગરથી ઉપડતી ટ્રેનોમાં બેસવા માંગો છો તો તમારે ચાંદલોડિયા સ્ટેશને જવું પડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો