ચાર બેંકો સરકારી જ રહેશે
વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સાન્યાલે કહ્યું છે કે જાહેર ક્ષેત્રની ચાર મોટી બેંકો ભવિષ્યમાં પણ અસ્તિત્વમાં રહેશે. આ સાથે, આ બેંકો ભારતીય બેંકિંગ સિસ્ટમમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાન્યાલે કહ્યું કે વ્યૂહાત્મક સ્તરે તેઓ માને છે કે ભારતીય બેંકિંગ સિસ્ટમના કેટલાક ભાગો સરકારની માલિકીના રહેશે. મહત્વપૂર્ણ છે કે હાલમાં દેશમાં જાહેર ક્ષેત્રની 12 બેંકો છે જેમાં બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, પંજાબ નેશનલ બેંક., સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે.
લિથિયમની હરાજી થશે
દેશમાં પ્રથમ વખત લિથિયમ, નિઓબિયમ અને રેર અર્થ એલિમેન્ટ્સના બ્લોક્સની હરાજી માટે રસ્તો સાફ થઈ ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતા આ ખનિજો માટેના રોયલ્ટી દરને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટે લિથિયમ માટેનો રોયલ્ટી દર 3 ટકા નક્કી કર્યો છે જે લંડન મેટલ એક્સચેન્જ પર ચાલી રહેલી લિથિયમની કિંમતો પર વસૂલવામાં આવશે. ભારતમાં લિથિયમની માંગમાં મોટો વધારો થવાની સંભાવના છે. લિથિયમનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવવા માટે થાય છે.
ખાંડની નિકાસ પર પ્રતિબંધ લાગશે
દેશમાં ખાંડ મોંઘી ન થાય તે માટે સરકાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ લાદી શકે છે. ભારતના આ પગલાથી વૈશ્વિક પુરવઠામાં ઘટાડો થવાની શક્યતા વધી ગઈ છે. ચોમાસાની સિઝનમાં ઓછા વરસાદને કારણે શેરડીના પાકને અસર થયા બાદ ખાંડની નિકાસ પર પ્રતિબંધની શક્યતા છે… ISMAના જણાવ્યા અનુસાર, 2023-24 દરમિયાન દેશમાં ખાંડનું ઉત્પાદન 317 લાખ ટન થવાનો અંદાજ છે… જ્યારે સ્થાનિક માંગ 280 લાખ ટનની આસપાસ રહેશે. આવી સ્થિતિમાં પૂરતા પ્રમાણમાં ખાંડનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિબંધ જેવું મોટું પગલું લઈ શકે છે.
LICને પેનલ્ટી લાગી
GST ઓથોરિટીએ LIC પર પેનલ્ટી લગાવી છે… GST ઓથોરિટીએ ઓછો ટેક્સ ચૂકવવા માટે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા પર 36,844 રૂપિયાનો દંડ ફટકાર્યો છે… જમ્મુ GST ઓથોરિટીએ નાણાકીય વર્ષ 2019-20 માટે ટેક્સ ડિમાન્ડ નોટિસ ઇશ્યૂ કરી છે. જેમાં 10,462 રૂપિયાનો GST, 20,000 રૂપિયાનો દંડ અને 6,382 રૂપિયાના વ્યાજનો સમાવેશ થાય છે. LICએ કહ્યું કે આનાથી તેની અન્ય પ્રવૃત્તિઓ પર કોઈ અસર નહીં થાય.
ગો ફર્સ્ટ એરલાઇન વેચાશે
ભારે દેવા અને રોકડની તંગીનો સામનો કરી રહેલી ગો ફર્સ્ટ એરલાઈન્સ હવે વેચાવા જઈ રહી છે. મહિનાઓથી બંધ પડેલી ગો ફર્સ્ટને ખરીદવા માટે જિંદાલ પાવર લિમિટેડ સૌથી આગળ દેખાઇ રહી છે. ગુરુવારે એક અહેવાલમાં જણાવાયું છે કે ગ્રાઉન્ડેડ એરલાઇન ગો ફર્સ્ટને જિંદાલ પાવર લિમિટેડ તરફથી એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ એટલે કે EOI મળ્યું છે. કોઈપણ કંપનીને ખરીદવા માટે EOI એ પ્રથમ પગલું છે. EOI પછી બિડિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. EOI ફાઈલ કર્યા વિના કોઈ બિડ કરી શકતું નથી.
શુક્રવારે 99માં ફિલ્મ જુઓ
જો તમે ફિલ્મો જોવાના શોખીન છો, તો તમારા માટે એક સારા સમાચાર છે… 13 ઓક્ટોબર, શુક્રવારના રોજ, તમે સિનેમા હોલમાં માત્ર રૂ. 99માં કોઈપણ ફિલ્મ જોઈ શકશો…જી હાં, કોઈપણ મૂવી માત્ર રૂ. રૂ. 99માં…રાષ્ટ્રીય સિનેમા દિવસ 13મી ઓક્ટોબરે છે. આ પ્રસંગે દેશના તમામ સિનેમા હોલ જેવા કે PVR, INOX, Cinepolis, Delight Diamond માત્ર રૂ. 99માં મૂવી ટિકિટ ઓફર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, તમે માત્ર 99 રૂપિયામાં ફુકરે, રાણીગંજ, જવાન જેવી ફિલ્મો જોઈ શકો છો… તમે તેની ટિકિટ ઓનલાઈન પણ બુક કરાવી શકો છો… બાય ધ વે, તમે કઈ ફિલ્મ જોશો… કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો