Money9: શું તમારે હજુ પણ ચારધામ યાત્રા કરવાની બાકી છે? અને તમે ઇચ્છો છો કે તમે ટ્રેન મારફતે નહીં પણ હવાઇ માર્ગે આ યાત્રા કરો, તો IRCTC તમારા માટે એક પેકેજ લઇને આવ્યું છે. આ પેકેજ 11 દિવસ અને 12 રાત્રિનું છે. જેમાં તમને બદ્રીનાથ, બરકોટ, ગંગોત્રી, ગુપ્તકાશી, હરિદ્વાર, જાનકી ચટ્ટી, કેદારનાથ, સોનપ્રયાગ, ઉત્તરકાશી અને યમુનોત્રીના દર્શન કરાવવામાં આવશે. આ ટૂર 11 મે /18 મે /25 મેથી શરૂ થશે. આ પેકેજમાં પ્રવાસીઓને હોટેલમાં રોકાણ, ફ્લાઈટ ટિકિટ, ખાણી-પીણી વગેરે જેવી ઘણી સુવિધાઓ મળશે. આ ઉપરાંત ટ્રાવેલ ઈન્સ્યોરન્સ, પાર્કિંગ ચાર્જ અને ટોલ ટેક્સ પણ આ ટૂર હેઠળ સામેલ છે. બ્રેકફાસ્ટ અને ડીનરની સુવિધા IRCTC દ્વારા આપવામાં આવશે. આ માટે તમને પટના એરપોર્ટથી ફ્લાઈટ મળશે. તેને હરિદ્વારથી દિલ્હી પરત લાવવામાં આવશે અને પછી હરિદ્વાર, કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી થઈ દિલ્હી થઈને પટના પરત લાવવામાં આવશે. ભાડાંની વાત કરીએ તો જો એક વ્યક્તિ હોય તો ભાડું 1,03,100 રૂપિયા, બે વ્યક્તિ હોય તો 72,600 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને ત્રણ વ્યક્તિ હોય તો ભાડું 66,800 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે.
મ્યુચ્યુઅલ ફંડમાં મહિલા રોકાણકારોનો હિસ્સો માર્ચ 2017ના 15 ટકાથી વધીને ડિસેમ્બર 2023માં લગભગ 21 ટકા પર પહોંચી ગયો. ઈન્ડસ્ટ્રી બોડી એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા એટલે કે Amfiના ડેટા અનુસાર, મહિલાઓની સંખ્યામાં વધારો થવાનું પ્રમાણ શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ઝડપ છે. આ સાથે આ વર્ષે ફેબ્રુઆરીમાં મ્યુચ્યુઅલ ફંડમાં મેનેજમેન્ટ હેઠળની કુલ એસેટ 54 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. મોટી સંખ્યામાં રોકાણકારો બચત કરવા અને કમાણી વધારવા માટે મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે. ગોવામાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં મહિલાઓનો સૌથી વધુ હિસ્સો 40 ટકા છે. ઉત્તર-પૂર્વના રાજ્યો 30 ટકા સાથે બીજા સ્થાને છે. આ ઉપરાંત મહિલા મ્યુચ્યુઅલ ફંડ વિતરકોની સંખ્યામાં પણ વધારો થયો છે. ડિસેમ્બર 2023 સુધીમાં, તેમની સંખ્યા 42,000ના સ્તરે પહોંચી ગઈ છે.
કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના 11 લાખ જવાનો માટે રાહતના સમાચાર છે. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે CAPF કેન્ટીન એટલે કે કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડાર પર ઉપલબ્ધ ઉત્પાદનો પર GSTમાં 50 ટકા મુક્તિ આપવામાં આવશે. સેન્ટ્રલ પોલીસ કલ્યાણ ભંડારમાંથી સામાનની ખરીદી પર GSTમાં 50 ટકાની રાહત 1 એપ્રિલ, 2024થી લાગુ થશે. આ રાહત બજેટ દ્વારા ચૂકવવાપાત્ર થશે. કોન્ફેડરેશન ઓફ એક્સ-પેરામિલિટરી ફોર્સીસ શહીદ વેલ્ફેર એસોસિએશન લાંબા સમયથી આ છૂટછાટ માટે માગ કરી રહ્યું હતું. બજેટ સત્ર પહેલા, એસોસિએશને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને વચગાળાના બજેટમાં CAPF કેન્ટીન ઉત્પાદનો પર 50 ટકા GST મુક્તિની જાહેરાત કરવા વિનંતી પણ કરી હતી.
બિટકોઈન પહેલીવાર સોમવાર, માર્ચ 11ના રોજ 71,000 ડોલરની સપાટીને વટાવી ગયું. સ્પોટ બિટકોઈન એક્સચેન્જ-ટ્રેડેડ ફંડને બે મહિના પહેલા 11 જાન્યુઆરીએ યુએસમાં મંજૂરી આપવામાં આવી હતી ત્યારથી તેમાં સતત વધારો જોવા મળ્યો હતો. ત્યારે બિટકોઈનની કિંમત 46,000 ડોલરની આસપાસ હતી. એટલે કે ત્યારથી લઇનને અત્યાર સુધીમાં બિટકોઈનની કિંમતમાં 54 ટકાનો વધારો થયો છે. બિટકોઈનના ઉછાળાની અસર સમગ્ર ક્રિપ્ટો માર્કેટ પર દેખાઈ રહી છે. બીજા નંબરની સૌથી મોટી ક્રિપ્ટો ઇથેરિયમ પણ 4,000 ડોલરને પાર પહોંચી ગઇ છે. Bitcoin અને Ethereum બંને બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. વિશ્વની પ્રથમ ક્રિપ્ટો બિટકોઈન છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 12 માર્ચે 10 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી. હવે વંદે ભારતની કુલ સંખ્યા 50 ને વટાવી ગઈ છે. મુંબઈ-અમદાવાદ, વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ, મૈસુર-ચેન્નઈ, પટના-લખનઉ, ન્યુ-જલપાઈગુડી-પટના, પુરી-વિશાખાપટ્ટનમ, લખનઉ- દેહરાદુન, કલાબુર્ગી-બેંગલુરુ, રાંચી-વારાણસી, ખજુરાહો-દિલ્હી. આ 10 રૂટોને પીએમ મોદીએ લીલીઝંડી બતાવી. આ સાથે અમદાવાદ-જામનગર વંદે ભારતને દ્વારકા સુધી લંબાવવામાં આવી છે. અજમેર-દિલ્હી સરાય રોહિલ્લા વંદે ભારતનું ચંદીગઢ સુધી વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ગોરખપુર-લખનઉ વંદે ભારતને પ્રયાગરાજ સુધી અને તિરુવનંતપુરમ-કાસરગોડ વંદે ભારતને મેંગલુરુ સુધી લંબાવવામાં આવી રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો