આવકવેરા રિટર્ન માટે નવા ફોર્મ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આવકવેરા રિટર્ન માટે નવા ફોર્મ બહાર પાડ્યા છે. આ માટે સીબીડીટીએ ઈ-ગેઝેટમાં નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. ITR-2 ફોર્મ એવા લોકોએ ભરવાનું રહેશે જેમને કેપિટલ ગેઇનની આવક થઇ છે અને તેઓ ITR-1 ફોર્મ ભરી શક્યા નથી. આ સિવાય ITR-3 ફોર્મ એવા લોકોએ ભરવાનું રહેશે જેમની પાસે બિઝનેસ અથવા પ્રોફેશનથી આવક થઇ છે. આ બંને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 નક્કી કરવામાં આવી છે. જો ટેક્સપેયરે આવકવેરાનું ઓડિટ કરાવવું હોય અને તેને બિઝનેસમાંથી આવક થઇ છે તો ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2024 રહેશે.
નાણામંત્રીની સ્પષ્ટતા
લોકસભા ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ટેક્સ છૂટ અને અન્ય લોકપ્રિય જાહેરાતો ન કરવા અંગે સ્પષ્ટતા કરી છે. નાણામંત્રીએ કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે આ વોટ ઓન એકાઉન્ટ છે અને અમે તેને આ રીતે સમજ્યા છીએ. નાણામંત્રીએ કહ્યું કે જુલાઈમાં જ્યારે તેમની સરકાર બજેટ રજૂ કરશે ત્યારે કયા વર્ગ માટે શું કરવાનું છે તે અમે જોઇશું.
Paytm આ સર્વિસ બંધ કરી
આરબીઆઈના આદેશના એક દિવસ બાદ મોબાઈલ પેમેન્ટ્સ ફર્મ પેટીએમે તેના લોન આપનારા પ્લેટફોર્મ ઓપરેશન્સને બંધ કરી દીધું છે. Paytm એ કહ્યું છે કે કંપનીએ તેનું લોન આપવાનું પ્લેટફોર્મ ઓપરેશન થોડા અઠવાડિયા માટે બંધ કરી દીધું છે. જોકે, કંપની કેટલીક બેંકો સાથે ભાગીદારી માટે વાતચીત કરી રહી છે. 31 જાન્યુઆરી, 2024 ના રોજ, એવા સમાચાર આવ્યા હતા કે ભારતીય રિઝર્વ બેંકે Paytm Payments Bank લિમિટેડને 29 ફેબ્રુઆરી પછી કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ મોડ, વૉલેટ અને ફાસ્ટેગમાં થાપણો અથવા ટોપ-અપ્સ ન સ્વીકારવા માટે નિર્દેશ આપ્યો છે.
EV પર હવે ઓછી સબસિડી
ભારતમાં હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી અપનાવવા અને ફેમ યોજના માટે ફાળવણીમાં 44 ટકાનો ઘટાડો કર્યો છે. નાણાકીય વર્ષ 2024-25 માટે ફેમ યોજનામાં 2,671 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સરકાર આ યોજનાને પહેલા જ બે વર્ષ માટે લંબાવી ચુકી છે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં આ યોજના માટે 5,171 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. સરકારે FAME યોજનામાં એવા સમયે કાપ મૂક્યો છે જ્યારે એ વાતને લઇને કોઇ ક્લેરિટી નથી કે શું સરકાર હાલની FAME-2 યોજનાને ફરી એકવાર લંબાવશે કે પછી એક નવી FAME-3 યોજના લાવશે.
ફાસ્ટેગ યુઝર્સને રાહત
ફાસ્ટેગ યુઝર્સ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. NHAI એ ફાસ્ટેગ માટે KYCની ડેડલાઈન એક મહિનો લંબાવી છે. અગાઉ 15 જાન્યુઆરીએ NHAI એ ખાતામાં પૈસા હોવા છતાં અધૂરા KYC વાળા ફાસ્ટેગને 31 જાન્યુઆરી બાદ ઇનએક્ટિવ કરવાની જાહેરાત કરી હતી. ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમની કાર્યક્ષમતા વધારવા અને ટોલ પ્લાઝા પર વાહનોની અબાધિત અવરજવરને સક્ષમ બનાવવા માટે, NHAI એ એક વાહન, એક ફાસ્ટેગ પહેલ લાગુ કરી છે. તેનો હેતુ અનેક વાહનો માટે એક જ ફાસ્ટેગના ઉપયોગને રોકવા અથવા એક ખાસ વાહન માટે ઘણાં ફાસ્ટેગને જોડવાથી રોકવાનો છે.
ખાદ્યતેલોમાં આત્મનિર્ભર બનશે ભારત
સરકાર તેલીબિયાંના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને ખાદ્યતેલોમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની રણનીતિ બનાવશે. આ ઉપરાંત, ડેરી ખેડૂતોને ટેકો આપવા માટે એક વ્યાપક કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. ખાદ્યતેલની સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ભારત મોટા પ્રમાણમાં ખાદ્યતેલોની આયાત કરે છે. ખાદ્યતેલોની આયાત પર નિર્ભરતા ઘટાડવા વચગાળાના બજેટમાં તેલીબિયાંના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને દેશને આત્મનિર્ભર બનાવવા માટે રણનીતિ ઘડવાની વાત કરવામાં આવી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો