વ્ચાજ દર ઘટવાની આશા રાખનાર થયા નિરાશ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં સસ્તી લોનની આશા જતી રહી છે. શુક્રવારે નાણાંકીય વર્ષ 2024-25 માટે વ્યાજ દરોની જાહેરાત કરતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે હાલમાં રેપો રેટ 6.5 ટકા પર રહેશે. 3 એપ્રિલથી શરૂ થયેલી આરબીઆઈ એમપીસીની ત્રણ દિવસીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બેંકે છેલ્લી સતત છ એમપીસી બેઠકોથી રેપો રેટ યથાવત રાખ્યો છે. રિપોર્ટ અનુસાર હાલમાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાને કારણે મોંઘવારી વધી શકે છે. આરબીઆઈ આને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આરબીઆઈનો ઉદ્દેશ્ય મોંઘવારી દરને ચાર ટકાની અંદર રાખવાનો છે. આ ઉપરાંત, વૃદ્ધિ જાળવી રાખવા માટે, રેપો રેટમાં ફેરફાર નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કરવામાં આવે તેવી અપેક્ષા છે. રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો આરબીઆઈનો નિર્ણય વૈશ્વિક આર્થિક વલણોથી પ્રભાવિત થઈ શકે છે. વાસ્તવમાં યુએસ ફેડરલ રિઝર્વે દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. યુએસ ફેડ જૂનમાં તેનો પ્રથમ કાપ મૂકશે.
માર્ચમાં શાકાહારી થાળી 7% મોંઘી
ખાદ્ય ચીજોના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે માર્ચ મહિનામાં શાકાહારી થાળી ૭ ટકા મોંઘી થઈ છે. ખાસ કરીને ડુંગળી, ટામેટા અને બટાકાના ભાવમાં વૃદ્ધિને કારણે રોજિંદુ ભોજન મોંઘું થયું હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસિસે માસિક રોટી રાઇસ રેટ અહેવાલમાં જણાવ્યું છે કે, માર્ચમાં રોટલી, શાકભાજી, ભાત, દાળ, દહીં અને કચુંબર સાથેની શાકાહારી થાળીનો ભાવ અગાઉના વર્ષના સમાન ગાળાના રૂ.૨૫.૫૦થી વધીને રૂ.૨૭.૩૦ થયો છે, પણ ફેબ્રુઆરી ૨૦૨૪ના રૂ.૨૭.૪૦ની તુલનામાં શાકાહારી થાળી સસ્તી થઈ છે. સમાન ગાળામાં નોન-વેજ થાળીનો ભાવ ૭ ટકા ઘટ્યો છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર ડુંગળીના ભાવમાં ૪૦ ટકા, ટામેટામાં ૩૬ ટકા અને બટાકાના ભાવમાં ૨૨ ટકા વૃદ્ધિને કારણે શાકાહારી થાળી મોંઘી થઈ છે.
Appleના 600થી વધુ કર્મચારીઓની છટણી
એપલે તાજેતરમાં જ 600થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. રિપોર્ટ અનુસાર, એપલે આ કર્મચારીઓને છૂટા કરવાના સમાચારોને ફન્ફર્મ કર્યા છે. કંપનીએ કેલિફોર્નિયા એમ્પ્લોયમેન્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કરેલી ફાઇલિંગમાં આની જાણકારી આપી છે. કાર અને સ્માર્ટવોચ ડિસ્પ્લે પ્રોજેક્ટ બંધ થવાને કારણે કંપનીએ છટણીનો આ નિર્ણય લીધો છે. કંપનીના ફાઇલિંગ અનુસાર, છૂટા કરાયેલા લોકોમાંથી ઓછામાં ઓછા 87 એપલની સીક્રેટ ફેસિલિટીમાં કામ કરી રહ્યા હતા, જ્યાં નેક્સ્ટ જનરેશન સ્ક્રીન ડેવલપમેન્ટ થઈ રહ્યું હતું. બાકીના કર્મચારીઓ નજીકના અન્ય બિલ્ડિંગમાં કામ કરતા હતા, જેઓ કાર પ્રોજેક્ટ માટે ડેડિકેટેડ હતા.
મોંઘી થઇ વિમાન ટિકિટ
વિસ્તારા એરલાઇનની મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ કેન્સલ થવાનો બોજ મુસાફરોના ખિસ્સા પર પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે…વિસ્તારની ફ્લાઇટ કેન્સલ થવાના કારણે મુખ્ય હવાઇ રૂટ પરના ભાડામાં 38 ટકાનો વધારો થયો છે… ક્લિયરટ્રિપ અનુસાર, વિસ્તારાએ જે રૂટ પર ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી તે રૂટ પરના ભાડામાં સૌથી વધુ વધારો થયો છે… પગારમાં સુધારાના વિરોધમાં વિસ્તારાના ઘણા પાઇલોટ્સ રજા પર ઉતરી ગયા છે…જેના કારણે કંપનીએ ઘણા રૂટ પરની ફ્લાઇટ્સ રદ કરવી પડી છે… તેમાં દિલ્હી-ઈન્દોર, દિલ્હી-શ્રીનગર, મુંબઈ-કોચી, બેંગલુરુ-ઉદયપુર જેવા ફ્લાઈંગ રૂટનો સમાવેશ થાય છે. આ રૂટ પર હવાઈ ભાડામાં 30-35 ટકાથી લઈને 30-38 ટકા સુધીનો વધારો થયો છે.
ઉનાળામાં લાઇટ નહીં જાય
હવામાન વિભાગે લાંબા અને ભીષણ ઉનાળાની આગાહી કરી છે ત્યારે સરકાર ઉનાળાની સીઝનમાં વીજળીની ઊંચી માગને પહોંચી વળવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. સરકારે તમામ વીજળી પ્લાન્ટને સંપૂર્ણ ક્ષમતા પર કામ કરવાની તાકીદ કરી છે, એમ ઉર્જા પ્રધાન આર કે સિંહે ગુરુવારે જણાવ્યું હતું. સરકારે મેન્ટેન્સ અથવા અન્ય કારણોસર બંધ રહેલા તમામ પ્લાન્ટોને ઝડપથી ચાલુ કરવા અને ચોક્કસ વપરાશકર્તાઓ માટેના જનરેટિંગ સ્ટેશનો પર ઉપલબ્ધ વધારાની વીજળીનો ઉપયોગ કરવા જણાવ્યું છે. સરકાર એ પણ સુનિશ્ચિત કરી રહી છે કે થર્મલ પાવર પ્લાન્ટ્સ પાસે જૂન સુધી ચાલે તેટલા કોલસાનો સ્ટોક ઉપલબ્ધ બને. સરકારે તમામ પાવર યુનિટ્સને સરપ્લસ વીજળી પાવર એક્સ્ચેન્જમાં ઓફર કરવાની પણ સૂચના આપી છે.
બ્રિટનમાં ફેમિલી વિઝા મળવા મુશ્કેલ બનશે
ફેમિલી વિઝા પર યુ.કે. જવું હવે મુશ્કેલ બનશે. બ્રિટિશ નાગરિક અને કાયમી રહેવાસીઓએ ફેમિલિ વિઝા પર પાર્ટનર અથવા સ્પાઉઝને બોલાવવા માટે સૂચિત લઘુત્તમ વાર્ષિક પગારની મર્યાદાનો અમલ ૧૧ એપ્રિલ ૨૦૨૪થી લાગુ પાડવામાં આવશે. હાલ ફેમિલી વિઝા માટે ૧૮,૬૦૦ પાઉન્ડની વાર્ષિક લઘુત્તમ પગારમર્યાદા હતી તેને વધારીને ૨૯,૦૦૦ પાઉન્ડ કરવામાં આવી છે. ગુરૂવારથી યુકેના કુશળ કર્મચારી વિઝા એટલે કે સ્કીલ્ડવર્કર વિઝા માટે નવા લઘુત્તમ વાર્ષિક પગારધોરણો અમલી બનાવવામાં આવ્યા હોવાનું બ્રિટિશ સરકારે જણાવ્યું છે. ગૃહ પ્રધાન જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું છે કે સ્થાનિક સર્વન્ટ્સને પણ વિદેશથી મળતી સસ્તી મજૂરીની સ્પર્ધામાંથી છૂટકારો થશે. જો સરકારે ગયા વર્ષે આ ધોરણો લાગુ પાડયા હોત તો ત્રણ લાખ લોકોને યુકેમાં પ્રવેશ મળ્યો ન હોત.
આઇસ્ક્રીમ કોઇ લકઝરી આઇટમ નથી
છત્તીસગઢ હાઇકોર્ટે એક મહત્વના ચુકાદામાં આઇસ્ક્રીમને લક્ઝુરિયસ પદાર્થ ન હોવાનું જણાવીને તેને જીએસટીની કમ્પોઝિશન સ્કીમમાંથી બાકાત રાખવાના કાઉન્સિલના નિર્ણય પર પુનઃવિચારણા કરવાની સલાહ આપી છે. દેશભરમાં આઇસ્ક્રીમ પર 18 ટકાનો જીએસટી લગાવાય છે. જ્યારે કમ્પોઝિશન સ્કીમમાં 5 ટકા જીએસટી દર અમલી છે. છત્તીસગઢ હાઇકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું કે કોઇપણ કર સિસ્ટમ અંગે કાયદો બંધારણની કલમ 14 કે જેમાં સમાનતાનો અધિકાર અપાયો છે તેના મુજબ હોવો જોઇએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો