ડિમાન્ડ-સપ્લાયનું ગણિત ખોરવાઈ ગયું હોવાથી કઠોળના ભાવ વધી રહ્યાં છે અને ઓક્ટોબરમાં નવો માલ બજારમાં આવે ત્યાં સુધી મોંઘા ભાવે કઠોળ ખાવા પડે તેવી શક્યતા છે.
સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો (wholesale Inflation) 1.26%ના 13 મહિનાના ઊંચા સ્તરે પહોંચી ગયો છે. સતત છ મહિનાથી જથ્થાબંધ ફુગાવો પોઝિટિવ રહ્યો છે.
છૂટક મોંઘવારીનો દર RBIની 2%-6%ની રેન્જમાં છે, પરંતુ ખાદ્ય ફુગાવાનો દર હજુ પણ 8%ની ઉપર છે.
કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર, પાક વર્ષ 2023-24માં ઘઉંનું ઉત્પાદન 1,120.19 લાખ ટન થશે, જે ગયા વર્ષે 1,105.54 લાખ ટન હતું. સરકારે માર્કેટિંગ વર્ષ 2024-25 માટે 196 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે.
ગરમી વધવાથી શાકભાજીના સપ્લાય પર અસર પડી છે અને તેના કારણે આગામી કેટલાક મહિના સુધી મોંઘવારી દરમાં 0.4-0.6% વધારો થવાનો અંદાજ છે.
સરકારી આંકડા પ્રમાણે, માર્ચ મહિનામાં છૂટક ફુગાવાનો દર 5%ની અંદર અને 10 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે જ્યારે ખાદ્ય ફુગાવો 7.68%એ પહોંચ્યો છે.
FCIના આંકડા અનુસાર, માર્ચ મહિનાના પ્રારંભે સરકારી વખારોમાં ઘઉંનો જથ્થો 97 લાખ ટન નોંધાયો છે, જે 2017 પછીનું સૌથી નીચલું સ્તર છે.
અન્ય દેશોમાં વણસી રહેલી રાજકીય તણાવની સ્થિતિને કારણે પણ મોંઘવારી ઘટાડવાની લડાઈ પડકારજનક બની રહી છે, એમ રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું છે.
મોંઘવારીના મોરચે રાહત મળી છે. ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થવાથી જાન્યુઆરી 2024માં ગ્રાહક-ભાવાંક આધારિત ફુગાવાનો દર ઘટ્યો છે.
સરકારે મહત્ત્વનાં કૃષિ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં 7 ટકા જેટલાં વધાર્યાં છે. ઓછામાં પૂરું ચૂંટણીમાં ઘઉં અને ચોખા પર વધુ રાહતો જાહેર કરી છે. આવતા વર્ષે પણ લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને વચનોની લ્હાણી થવાની ધારણા છે. આ તમામ પરિબળો ખાદ્ય મોંઘવારીને ઊંચા સ્તરે જાળવી રાખશે.