Money9 Gujarati:
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ઈકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટ દ્વારા આવકની અસમાનતા અને કરદાતાઓના ડેટા પર બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાંથી ઘણી રસપ્રદ માહિતી જાણવા મળે છે. રિપોર્ટ અનુસાર, 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા વ્યક્તિગત કરદાતાઓએ દેશમાં સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો છે.
વાર્ષિક 5-10 લાખ રૂપિયા કમાતા વ્યક્તિગત કરદાતાએ ફાઈલ કરેલા ઈનકમ ટેક્સ રિટર્નમાં 295 ટકા વધારો નોંધાયો છે જ્યારે 10-25 લાખ રૂપિયા કમાતા કરદાતાએ ફાઈલ કરેલા ITRમાં 291 ટકા વૃદ્ધિ થઈ છે.
આવા કરદાતાઓ દ્વારા ફાઈલ કરવામાં આવેલા આવકવેરા રિટર્નમાં 295 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2014-22 દરમિયાન વ્યક્તિગત આવકની અસમાનતામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો કારણ કે વર્ષ 2014-21 દરમિયાન વ્યક્તિની સરેરાશ આવક રૂ. 3.1 લાખથી વધીને રૂ. 11.6 લાખ થઈ છે.
આ જ સમયગાળા દરમિયાન રૂ. 10 લાખથી રૂ. 25 લાખની વચ્ચેની આવક ધરાવતા લોકો દ્વારા ફાઇલ કરાયેલ ITRમાં 291 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, આવકવેરો ફાઇલ કરનાર વ્યક્તિઓની કુલ સંખ્યા 2022માં 7 કરોડથી વધીને 2023માં 7.4 કરોડ થઈ ગઈ છે.
રિપોર્ટ અનુસાર, 31 ડિસેમ્બર, 2023 સુધી 8.2 કરોડ ITR ફાઈલ કરવામાં આવ્યા છે અને માર્ચ 2024 સુધીના બાકીના નાણાકીય વર્ષમાં 50થી 80 લાખ રિટર્ન ફાઈલ થવાની અપેક્ષા છે, જે કુલ સંખ્યાને 8.5 કરોડથી વધુ લઈ જશે.
આવક વેરો મેળવવામાં પ્રભુત્વ ધરાવતા રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને કર્ણાટક પાછળ પડી ગયા છે. હવે એકંદર ટેક્સ બેઝમાં આ મુખ્ય રાજ્યોનો હિસ્સો સતત ઘટી રહ્યો છે, જ્યારે ઉત્તર પ્રદેશના આવકવેરા આધારમાં વધારો થયો છે.
આ ઉપરાંત આંધ્રપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ અને હરિયાણાના આવકવેરા આધારમાં પણ વધારો થયો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેરળ, તમિલનાડુ, પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા કેટલાક રાજ્યોમાં વ્યક્તિગત કર ભરનારાઓમાં મહિલા કરદાતાઓની સંખ્યા લગભગ 15 ટકા છે. આ રાજ્યોમાં મહિલા ટેક્સ ફાઇલર્સનો હિસ્સો વધુ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો